SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૮૮ ચોથું સૂત્ર ધીરપુરુષોની આજ્ઞા છે. જેમ અવિધિથી ગ્રહણ કરેલા મંત્રનો ભૂતનો વળગાડ વગેરેથી સદુપયોગ ન થાય=વિપરીત રીતે ઉપયોગ થાય, તેમ અવિધિથી લીધેલા સૂત્રનો ઉપયોગ ન થાય=વિપરીત રીતે ઉપયોગ થાય. ઉત્સર્ગના સ્થાને અપવાદ આચરે, અપવાદના સ્થાને ઉત્સર્ગ આચરે, સૂત્રનો પોતાને ફાવતો અર્થ કરીને ન કરવા યોગ્ય પ્રવૃત્તિ કરે ઇત્યાદિ રીતે સૂત્રનો વિપરીત રીતે ઉપયોગ થાય. વિપરીત રીતે ઉપયોગ પરમાર્થથી ઉપયોગ જ ન કહેવાય. ૪. અવિધિથી ભણનારને કોઇ ફળ મળતું નથી. अणाराहणाए न किंचि, तदणारंभाओ धुवं । ॥४॥ अनाराधनायामेकान्तेन प्रवृत्तस्य न किञ्चिदिष्टमनिष्टं वा फलं मोक्षोन्मादादि । सदनुष्ठानं हि मोक्षफलमेव । यथोक्तम्-"श्रामण्यस्य फलं मोक्षः, प्रधानमितरत् पुनः । तत्त्वतोऽफलमेवेह, ज्ञेयं कृषिपलालवत्" । भङ्गस्याप्युन्मादाद्येव, यथोक्तम् उम्मादं च लभेज्जा, रोगातङ्कं व पाउणे दीहं । केवलिपण्णत्ताओ धम्माओ वावि भंसेज्जा ॥ न पुनरसम्यक्त्वमेव । कथमत्रानाराधनायां न किञ्चित् ? इत्याह-तदनारम्भतो ध्रुवं तत्त्वतस्यस्यानारम्भात् । न चान्यस्मिन्नेवोद्भवत्यतिप्रसङ्गात् । સૂત્ર-ટીકાર્થ– એકાંતે અનારાધનામાં પ્રવૃત્ત જીવને મોક્ષરૂપ ઇષ્ટ કે ઉન્માદ વગેરે અનિષ્ટ કંઇ ફળ મળતું નથી. કારણ કે તેણે હજી પરમાર્થથી આરાધનાનો આરંભ જ કર્યો નથી.' ૧. અનારાધના એટલે આરાધનાનો જ અભાવ. આથી જેમ વેપાર નહિ કરનારને નફો કે નુકશાન કંઇ થતું નથી. તેમ અનારાધનામાં પ્રવૃત્તને ધર્મથી લાભ કે નુકશાન કંઇ ન થાય. તે બાહ્ય દષ્ટિથી ધર્મ કરતો હોવા છતાં પરમાર્થથી તેને કંઇ લાભ ન થાય, અને (આરાધના કરનારને વિરાધનાથી જેવું નુકશાન થાય તેવું) નુકશાન પણ ન થાય. આ વિષે બીજું દષ્ટાંત આ પ્રમાણે છે-બે પુરુષો સમાન રોગવાળા છે. તેમાંથી એક પુરુષ ઔષધનું સેવન ન કરે. એક પુરુષ ઓષધનું સેવન કરે. એ ઔષધની સાથે સખત પથ્યનું પાલન કરવાની બહુ જરૂર હોય. જો ભૂલ થાય અપથ્યનું સેવન થઇ જાય તો હાથપગમાં લકવો થઇ જાય વગેરે અનર્થ થાય. આવો અનર્થ ઔષધ ન લેનાર પુરુષને ન થાય. ઔષધ ન લેનારને જેમ ઔષધથી લાભ થતો નથી તેમ ઔષધ લેનારને અપથ્યથી જેવું નુકશાન થાય તેવું નુકશાન પણ થતું નથી. તેમ અનારાધકને આરાધનાથી થનાર લાભ ન થાય અને આરાધકને વિરાધનાથી જેવું નુકશાન થાય તેવું નુકશાન પણ ન થાય.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy