________________
ચોથું સૂત્ર
સદનુષ્ઠાનનું ફળ મોક્ષ જ છે. કહ્યું છે કે-‘અહીં સાધુપણાનું મુખ્ય ફળ મોક્ષ જાણવું. બીજું (=આનુષંગિક) ફળ પરમાર્થથી ખેતીમાં પરાળની જેમ ફળ જ નથી. એમ જાણવું’’ પ્રતિજ્ઞાભંગનું અથવા તો વિધિ ભંગનું પણ ફળ ઉન્માદ વગેરે જ છે. કહ્યું છે કે-“અવિધિથી સ્વાધ્યાય કરનાર સાધુ ચિત્તવિભ્રમને પામે, અથવા ક્ષય-જ્વર વગેરે દીર્ઘકાલીન રોગોને કે આતંકને=જલદી પ્રાણ જાય તેવા શૂળ વગેરે રોગોને પામે, અથવા કેવલી ભગવંતે કહેલા પારમાર્થિક ચારિત્ર વગેરે ધર્મથી પણ ભ્રષ્ટ થાય. વિપરીત પ્રવૃત્તિ કરે તો ચારિત્રથી ભ્રષ્ટ થાય અને વિપરીત માને તો સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય.’’ (પંચવસ્તુ ગાથા ૫૬૮)
પંચસૂત્ર
૮૯
આ રીતે કેવલ સમ્યક્ત્વથી જ ભ્રષ્ટ થાય એમ નહિ, કિંતુ ચારિત્રથી પણ ભ્રષ્ટ થાય અને ઉન્માદ, રોગ, આતંક વગેરેને પણ પામે.
અહીં અનારાધનામાં કંઇ પણ ફળ કેમ મળતું નથી તે કહે છે-તેણે હજી પરમાર્થથી આરાધનાનો આરંભ જ કર્યો નથી.
(ન ચાસ્મિન્નવોદ્મવતિપ્રસકનૃત્=) પ્રશ્ન— અનારાધકને અવિધિથી સૂત્રગ્રહણ રૂપ વિરાધનાનું ફલ ભલે ન મળે, પણ સૂત્રગ્રહણ આદિની જે આરાધના કરી રહ્યો છે તેનું ફળ ઉદ્ભવે=મળે તેમાં શો વાંધો ?
ઉત્તર— એ દેખાતી આરાધના પરમાર્થથી આરાધના જ નથી. જો આરાધના જ નથી તો તેનું ફળ કેવી રીતે મળે ? આરાધના નથી છતાં તેનું ફળ મળે તો એનો અર્થ એ થયો કે કારણ વિના પણ કાર્ય થાય. આમ થાય તો અતિપ્રસંગ આવે. ઘટાદિની સામગ્રી વિના પણ ઘટાદિ ઉત્પન્ન થવાની આપત્તિરૂપ અતિપ્રસંગ દોષ આવે. ૫. અનારાધનાનું લક્ષણ
इत्य मग्गदेसणाए दुक्खं अवधीरणा अप्पडिवत्ती ।
1
इहैव लिङ्गमाह-अत्रानाराधनायां मार्गदेशनायां तात्त्विकायां दुःखं शृण्वतो भवति । उक्तं च शुद्धदेशना हि क्षुद्रसत्त्वमृगयूथसंत्रासनसिंहनादः । तथा अवधीरणा मनाग्लघुतरकर्मणो न दुःखम् । तथा अप्रतिपत्तिस्ततोऽपि लघुतरकर्मणो नावधीरणा । સૂત્ર-ટીકાર્ય—અહીં જ અનારાધનાનું (=આરાધનાના અભાવનું) લક્ષણ કહે છે- અનારાધનામાં પ્રવૃત્તને તાત્ત્વિક માર્ગદેશનામાં સાંભળતાં દુઃખ થાય.