________________
ચોથું સૂત્ર
પંચસૂત્ર
સ્થિર બને છે. આથી જાવજીવ ગુરુકુલવાસનો ત્યાગ નહિ કરનાર સાધુઓ ધન્ય છે=ધર્મરૂપ ધનને મેળવે છે.’’ (પંચા. ૧૧ ગા. ૧૬)
८७
બુદ્ધિના શૂશ્રુષાદિ આઠ ગુણોથી યુક્ત, તત્ત્વમાં આગ્રહ હોવાથી વિધિમાં તત્પર, કરવા લાયક પ્રત્યે લક્ષ રાખનાર, આ લોક આદિની આશંસાથી રહિત અને મોક્ષાર્થી તે સૂત્રને પરમ મંત્ર માનીને જાતે પાઠ કરવા વડે અને ગુરુની પાસે સાંભળવાવડે ભણે છે.
બુદ્ધિના શુશ્રુષા વગેરે આઠ ગુણો આ પ્રમાણે છે-શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઇહા, અપોહ અને તત્ત્વાભિનિવેશ. શુશ્રુષા=સાંભળવાની ઇચ્છા. શ્રવણ=સાંભળવું. ગ્રહણ=શાસ્ત્રના અર્થને સમજવો. ધારણા=યાદ રાખવું. વિજ્ઞાન='અનધ્યવસાય, સંશય અને વિપર્યાસથી રહિત જ્ઞાન. ઇહા=વિચારવું, તર્ક ક૨વો. અપોહ=નિશ્ચિત જ્ઞાન. વિજ્ઞાન, ઇહા અને અપોહથી વિશુદ્ધ ‘આ આ પ્રમાણે જ છે’’ એવો નિર્ણય તે તત્ત્વાભિનિવેશ.
પ્રશ્ન— સૂત્રને પરમ મંત્ર કેમ માને છે ?
ઉત્તર— રાગાદિરૂપ વિષનો નાશ કરે છે માટે સૂત્રને પરમમંત્ર માને છે. ૩. અવિધિથી ભણેલું સૂત્ર સફળ ન થાય.
स तमवेइ सव्वहा, तओ सम्मं निउंजइ । एअं धीराण सासणं । अण्णा अणिओगो अविहिगहिअमंतनाएण ।
શા
अत एव स एवंभूतः तत्सूत्रम् अवैति, सर्वथा याथातथ्येन । ततः किं ? इत्याह- ततोऽवगमात्सम्यग्नियुङ्क्ते तत्सूत्रं, एतद्धीराणां शासनं, यदुतैवमधीतं सम्यग्नियुक्तमिति । अन्यथाऽविध्यध्ययनेऽनियोगः, नियोगादन्योऽनियोगः, विपर्ययनियोग इत्यर्थः । अत एवाह - अविधिगृहीतमन्त्रज्ञातेन, तत्रापि ग्रहादि - भावाद्विपर्ययादयोग एव ।
સૂત્ર-ટીકાર્થ— આથી તે સૂત્રને યથાર્થપણે જાણે છે. જાણીને સૂત્રનો સારી રીતે ઉપયોગ કરે છે. આ રીતે વિધિપૂર્વક ભણેલા સૂત્રનો સદુપયોગ થાય એવી ૧. નિશ્ચય રહિત ‘આ કંઇક છે' એવું જ્ઞાન તે અનધ્યવસાય. જેમ કે અંધારામાં ‘‘અહીં કંઇક છે’’ એવું જ્ઞાન. પરસ્પર વિરુદ્ધ બે વસ્તુનું જ્ઞાન તે સંદેહ. જેમકે આ દોરડું છે કે સાપ ? યથાર્થ વસ્તુના સ્વરૂપથી વિરુદ્ધ હોય તેવું ‘આ આમ જ છે’’ એવું એક પ્રકારનું જ્ઞાન તે વિપર્યય. જેમકે દોરડામાં આ સર્પ છે એવું જ્ઞાન.