________________
પંચસૂત્ર
ચોથું સૂત્ર
विणीए, भूअत्यदरिसी “न इओ हिअंतत्तंति' मन्नइ, सुस्सूसाइ गुणजुत्ते तत्ताभिनिवेसा विहिपरे, परममंतोत्ति अहिज्जइ सुत्तं, बद्धलक्खे आसंसाविप्पमुक्के आययट्ठी। ॥२॥
स एवं समभिप्रवजितः समलोष्टकाञ्चनः सन् सर्वथा समशत्रुमित्रः । एवं निवृत्ताग्रहदुःखः, अतः स प्रशमसुखसमेतः । अधिकारितया सम्यक् शिक्षामादत्ते ग्रहणासेवनारूपाम् । कथं ? इत्याह-गुरुकुलवासी, तदनिर्गमनेन । गुरुप्रतिबद्धः, तद्बहुमानात् । विनीतो बाह्यविनयेन । भूतार्थदर्शी तत्त्वार्थदर्शी, न इतो गुरुकुलवासात् हितं तत्त्वमिति मन्यते, वचनानुसारित्वात् । वचनं च"णाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य । धण्णा आवकहाए, गुरुकुलवासं ण मुंचंति" ॥ स खल्वत्र शुश्रूषादिगुणयुक्तः, शुश्रूषा १, श्रवण २, ग्रहण ३, धारणा ४, विज्ञाने ५, हा ६, पोह ७, तत्त्वाभिनिवेशाः ८ प्रज्ञागुणा इत्येतद्युक्तः । तत्त्वाभिनिवेशाद्विधिपरः सन् किं ? इत्याहपरममन्त्रो रागादिविषघ्नतयेति कृत्वाऽधीते सूत्रं पाठश्रवणाभ्याम् । किंविशिष्टः सन् ? इत्याह-बद्धलक्षोऽनुष्ठेयं प्रति । आशंसाविप्रमुक्तः इहलोकाद्यपेक्षया आयतार्थी मोक्षार्थी।
સૂત્ર-ટીકાર્થ– આ પ્રમાણે સારી રીતે પ્રવ્રજિત બનેલો તે પથ્થર અને સુવર્ણ વિષે સમભાવવાળો, શત્રુ અને મિત્ર વિષે સમભાવવાળો, કદાગ્રહના દુઃખથી રહિત બનેલો અને એથી પ્રશમસુખથી યુક્ત બનેલો તે અધિકારી થવાથી ગ્રહણ અને આસેવનરૂપ શિક્ષાને સારી રીતે ગ્રહણ કરે છે. કારણ કે ગુરુકુલવાસી, ગુરુ પ્રતિબદ્ધ, વિનીત અને પરમાર્થદર્શી તે ગુરુકુલવાસથી અન્ય કોઇ હિતકર તત્ત્વ નથી એમ માને છે.
ગુરુકુળથી બહાર ન નીકળવાના કારણે ગુરુકુલવાસી છે. ગુરુ પ્રત્યે બહુમાન હોવાના કારણે ગુસ્મૃતિબદ્ધ છે. બાહ્ય વિનય કરવાના કારણે વિનીત છે. ગુરુકુલવાસી, ગુરુપ્રતિબદ્ધ, વિનીત અને પરમાર્થદર્શીત ગુરુકુલવાસથી અન્ય કોઇ હિતકર તત્ત્વ નથી એમ માને છે. કારણ કે તે શાસ્ત્રવચનને અનુસરે છે. શાસ્ત્રવચન આ પ્રમાણે છે-“ગુરુકુલમાં રહેલ સાધુ દરરોજ વાચનાદિ થવાથી શ્રુતજ્ઞાનાદિનું ભાજન બને છે શ્રુતજ્ઞાનાદિને પામે છે. સ્વદર્શન-પરદર્શનનું સ્વરૂપ સાંભળવાથી શ્રદ્ધામાં અતિશય સ્થિર બને છે. વારંવાર સારણાદિ થવાથી ચારિત્રમાં અતિશય