SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શારદા સિંહિ પહેલા એની પાસે અચાનક એના ધંધામાં એક વખત એક શ્રીમત શેઠના પાપકમના ઉદય થયા. કરાડીની સ ́પત્તિ હતી પણ પુણ્યની ટાંકી ખાલી થઈ ગઈ એટલે ખાટ આવી અને એવી ભીંસમાં આવી ગયા કે ઘરમાર, મોટરગાડી અને પત્નીના દાગીના બધું જ વેચવાના વખત આવ્યા, ત્યારે શેઠના મનમાં થયું કે હવે હું શુ કરુ? ઝેર પીને મરી જાઉં ? આવી ગરીખાઈ ભરેલા જીવને જીવવાના શુ અથ ? ઝેર પીને મરી જવાનું નક્કી કર્યું", પછી શેઠને વિચાર આવ્યેા કે સતા એમ કહે છે કે આ મનુષ્ય જન્મ દુર્લČભ છે. આ સંસારમાં દુઃખથી કઉંટાળેલા જીવનું શરણુ ધર્મ છે. તે હું પણ મરતા પહેલા એક વખત તે સંતના દર્શન કરી લઉં, પછી વાત. આમ વિચાર કરીને શેઠ ગુરૂની શેાધ કરવા નીકળ્યા. એક આત્માથી સંત ગામ મહાર જંગલમાં એક વૃક્ષ નીચે બેસી એમની સાધના કરી રહ્યા હતા. આ શેઠને સ'ત સારી રીતે ઓળખતા હતા. સાચા નીતરાગી સતાને મન શ્રીમ'ત શું કે ગરીમ શું, કોઈના ભેદભાવ હાતા નથી. બધાને સમાનભાવથી જુએ છે. જ્યારે આ શેઠ શ્રીમત સ્થિતિમાં સંતની પાસે આવતા ને જે ઉપદેશ આપતા હતા તેવા જ ઉપદેશ અત્યારે ગરીબાઈના સમયમાં આપ્યા, પછી શેઠને પૂછ્યુ કે આજે આપની આ દશા કેમ થઈ ? ત્યારે શેઠે પેાતાના દુઃખની કહાની સ`ભળાવી ને કહ્યું ગુરૂદેવ ! હવે હું કયાં જાઉં ? શુ' કરું તે મને સમજાતુ નથી, ત્યારે કરૂણાના સાગર સત કહે છે છે ભાઈ! આ સ`સાર એક સિક્કો છે. સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુ છે, માટે પુણ્યના ઉદય હોય ત્યારે સુખ આવે છે ને પાપના ઉદય થતાં સુખ ચાલ્યુ' જાય છે. આવું સમજીને સમતાભાવ રાખા. “ ચલિત થવાના પ્રસંગે પણ શેડની સંયમની દૃઢતા ઃ- આ શેઠને સસારની ક્ષણિકતાનું ભાન થયુ' એટલે એમણે સ'તને વિન'તી કરી કે ગુરૂદેવ ! હવે મારે આ દુ:ખથી ભરેલા સ*સારમાં રહેવુ' જ નથી. આપ મને દીક્ષા આપે. સતે શેઠને સયમમાં કેમ રહેવાય, પરિષહા આવશે ત્યારે સમતાભાવ રાખવા પડશે, આ બધું શેઠને સમજાવ્યુ', પણ શેઠ અડગ રહ્યા. સંત એમને દીક્ષા આપવા તૈયાર થયા. આ સમયે શેઠના માણસો તે તપાસ કરતા કરતા ત્યાં આવ્યા ને શેઠને કહ્યુ` શેઠજી ! જલ્દી ઘેર ચાલો. હવે પુનઃ તમારા પુણ્યના ઉદય થયા છે. દરિયામાં ઘણાં વખતથી અટવાઈ ગયેલા વહાણા આજે આવી ગયા છે. જે લેણિયાત પૈસા માટે દરોડા પાડતા હતા તે હવે સામેથી આપવા આવે છે, માટે જલ્દી ધેર ચાલો. આ વખતે તમે હા તે શુ કરે ? આવુ... બધુ' સાંભળીને સંસારમાં પડવાનુ' મન થાય કે વૈરાગ્યના ભાવ ટકી રહે ? આ શેઠે તે કહી દીધું કે તમારે જેમ કરવું હોય તેમ કરે. સુખ દુઃખથી ભરેલા આ સસારમાં હવે મારે પડવુ' નથી. જો સપત્તિમાં સુખ હાત તે મારી આ દશા થાત ? માટે હવે મારે સ’સાર ન જોઈએ. આ શેઠ પાતાના નિયમાં દૃઢ રહ્યા ને સયમ લઈને ખૂબ સુંદર રીતે સાધના કરીને આત્માનું કલ્યાણ કર્યું..
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy