SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિલિ આંગુળ લાંબું ને બે આંગુળ પહોળું હોય છે. તેને ઊંચે મૂકવાથી ચંદ્રમાની જેમ બાર જન સુધી પ્રકાશ કરે છે અને હાથીના મસ્તકે બાંધવાથી સ્વારને કેઈ પણ જાતની બીક રહેતી નથી. (૬) “ચર્મરન” બે હાથનું લાંબુ હોય છે. તે બાર જન લાંબી અને નવ જન પહેલી નાવ–હેડીરૂપ બની જાય છે. તેમાં ચક્રવતિની સેના સ્વાર થઈ ગંગા સિંધુ જેવી મહા નદીઓથી પાર થઈ જાય છે. (૭) “કાકિણી રત્ન” છે એ બાજુથી ચાર ચાર આંગુલ લાંબું, પહેલ્થ સેનાની એરણ સમાન, છ તળિયા, આઠ ખૂણ, બાર હાંસિયાવાળું અને વજનમાં આઠ સોનૈયા જેટલું ભારે હોય છે. એમાંથી વૈતાઢય પર્વતની અને ગુફાઓમાં એક એક એજનના આતરે ૫૦૦ ધનુષ્યના ગળાકાર ૪૯ મંડળ થાય છે. તેને ચંદ્ર સમાન પ્રકાશ જ્યાં સુધી ચક્રવતિ જીવતા રહે ત્યાં સુધી રહે છે. (આ ત્રણેય રને લક્ષ્મીના ભંડારમાં ઉત્પન્ન થાય છે.) બંધુઓ ! આ સાત એકેન્દ્રિય રત્નની વાત થઈ. જુઓ, ચકવતિના એકેક રનેમાં કેટલી બધી શક્તિ હોય છે ! આવા રત્ન મહાન પુણ્યને ઉદય હોય ત્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એની સહાયથી ચક્રવતિ છ ખંડ ઉપર જીત મેળવે છે. જ્યારે ચક્રવતિ ચક્રવર્તિની પદવી ઉપર આવે ત્યારે છ છ ખંડ ઉપર એમની સર્વોપરી સત્તા હોય છે. જ્યારે તેઓ છ ખંડ સાધવા જાય છે ત્યારે કંઈક રાજાઓ સામેથી એમના ચરણમાં પડી જાય છે અને ઘણું રાજાએ નમતા નથી ત્યારે ચકવતિને એની સાથે યુદ્ધ કરવું પડે છે. યુદ્ધ કરીને રાજાને જીતે છે. આવી રીતે છ ખંડ જીતવા જતાં તે કેટલા મોટા સંગ્રામે કરવા પડે છે. આવા મહાન સંગ્રામે કરીને જે રાજ્ય મેળવે છે એવા રાજયને ચક્રવતિએ છેલે અસ્થિર, અદ્ભવ, અશાશ્વત અને અનર્થનું કારણ સમજીને છેડીને દીક્ષા લે છે. દીક્ષા લેનારને તે સંસારની તમામ સંપત્તિ તણખલા તુલ્ય લાગે છે. એમને મન જેટલું ત્યાગનું મહત્વ હોય છે તેટલું રાજવૈભવનું મહત્વ નથી હતું. તેમજ સંસાર ત્યાગીને સાધુ બન્યા પછી પણ નામ અભિમાને નથી રહેતું કે હું તે મેટો ચક્રવતિ છું, છ છ ખંડની સમૃદ્ધિ અને વૈભવને છેડીને આવ્યો છું. એ તે એક જ વિચાર કરે કે વીતરાગ પ્રભુના શાસનમાં ચકવતિ કે ચમરબંધી, શ્રીમંત કે ગરીબના કેઈ ભેદભાવ નથી. સંપત્તિથી કોઈ અહી મોટા બની શકતા નથી, પણ જે દીક્ષા પહેલાં લે તે મોટા ગણાય છે. આવા ભગવાનના સાધુઓ નાવ સમાન છે. પિતે ભવસાગર તરે છે ને બીજાને તારે છે. જેમ હોડી પાણીમાં રહે છે. એમાં જ એની ગતિને આધાર છે, પણ જ્યારે એ ચાલતી હોય ત્યારે લહેરે કાપવામાં જરા પણ તે સંકેચાતી નથી. સાધક મેક્ષમાં ન જાય ત્યાં સુધી તે સંસારમાં રહે છે પણ સંસારની વાસનાઓ એની સાધનામાં વિદન નાંખે છે માટે તેને સંઘર્ષ કરવામાં જરા પણ વિલંબ નહિ કરે. સાધક આત્મા ગમે તેવા સંજોગોમાં પણ પિતાની સાધના ચૂકતા નથી, અને પિતાની પાસે આવનાર સુખી હોય કે દુઃખી હોય દરેકને ધર્મને સાચે રાહ બતાવી કલ્યાણના માર્ગમાં જોડે છે, શા. ૧૯
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy