SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સિદ્ધિ ત્યારે અચાનક દીર્ઘરાજાના સૈનિકે એ મને પકડી લીધે ને ખૂબ માર મારીને મારા હાડકાં ભાંગી નાંખ્યા ને કહ્યું અમને બ્રહ્મદત્તકુમાર બતાવ, નહિ બતાવે તે તને જાનથી મારી નાંખીશું પણ હું તે કંઈ બે નહિ, એટલે હું તમને જ્યાં બેસાડીને આ હતે તે રસ્તે મને મારતા મારતા લઈને ચાલ્યા. મેં જોયું કે આ લોક કુમારને જેશે તે પકડીને મારી નાંખશે, માટે મેં એ લોકેની નજર ચૂકવીને તમને ત્યાંથી જલદી ભાગી જવા ઈશારો કર્યો, એટલે તમે ત્યાંથી તરત ભાગી ગયા. મેં જોયું કે તમે ત્યાંથી ચાલ્યા ગયા છે એટલે તમે જે સ્થળે બેઠા હતા તે જગ્યા બતાવીને કહ્યું કે બ્રહ્મદત્ત કુમાર અહીં બેઠા હતા પણ અત્યારે અહીં દેખાતા નથી માટે મને એમ લાગે છે કે આ વિકરાળ જંગલમાં કઈ વાઘ-વરૂ કે સિંહ આદિ ખાઈ ગયું હશે પણ મારા વચન ઉપર એમને વિશ્વાસ ન બેઠે, એટલે ફરીથી એ લોકોએ મને ખૂબ માર માર્યો. મને ખૂબ પીડા થવા લાગી ત્યારે મારા મનમાં થયું કે આ લોકે હવે મને જીવતે નહિ છોડે ત્યારે મને એક પરિવ્રાજકે આપેલી ગોળી હતી તે મેં મેઢામાં મૂકી દીધી. એ ગાળીને એ પ્રભાવ છે કે માણસ નિચેતન બની જાય. ગોળી મોઢામાં મૂકવાથી હું નિજીવ જે બની ગયે તેથી એ લોકેએ માન્યું કે આ મરી ગયે એટલે સૈનિકે ત્યાં જ પડેને મૂકીને ચાલ્યા ગયા. આ સમયે હું તે મારની અસહ્ય વેદનાથી બેભાન બની ગયેલો હતો. એમના ગયા પછી બે દિવસે હું ભાનમાં આવ્યું ત્યારે મેં મોઢામાંથી ગોળી બહાર કાઢી એટલે હું પહેલાંની જેમ ચેતનવંત બની ગયે પણ મને માર ખૂબ સાલતે હતે. ચાલવાની શક્તિ ન હતી, છતાં મનને મક્કમ કરીને તમારી શોધ કરતે આમતેમ જંગલમાં ભટકવા લાગ્યા. ! દુનિયામાં મિત્ર તે ઘણું હોય છે પણ આવા મિત્રને જેટો ક્યાંય મળતું નથી. મિત્ર છે તે આવા હજો. સુખદુઃખમાં સાથે રહેનાર મિત્ર તે કોઈક જ હોય છે. અંજના સતીને વસંતમાલા સખી એવી મળી હતી કે જે અંજના સતીની સાથે બાર બાર વર્ષ સુધી સુખદુઃખમાં સાથે રહી હતી. આનું નામ સખી. વરધનુ પિતાના દુઃખની કહાની બ્રહ્મદત્તને કહેતા કહે છે કે હે મિત્ર! હું તમારી શેધ કરતા વને વને ઘૂમતે હતો. આપની શોધ કરતો કરતે હું એક ગામમાં ગયા. ત્યાં તમે ન મળવાથી હું નિરાશ થઈને બેઠા હતા ત્યાં એક તાપસ આવ્યા ને મને પૂછ્યું બેટા! તું કે પુત્ર છે? અને ઉદાસ થઈને અહીં કેમ બેઠે છે? ત્યારે મેં એમને મારી ઓળખાણ આપી એટલે એમણે કહ્યું કે મને તારું મુખ જોઈને લાગ્યું કે તું મારા ભાઈને પુત્ર છે. હું તારા પિતાને નાનો ભાઈ સુભગ છું એમણે મને ખબર આપી કે તમે લક્ષાગૃહમાંથી ભાગી છૂટયા પછી ત્રણ ચાર દિવસે દીર્ઘરાજા અને ચુલની રાણીને ખબર પડી કે તમે બંને જીવતા છે એટલે એ વૈરને બદલે લેવા દીર્ઘરાજાએ તારા પિતાજીને પૂબ ત્રાસ આપે. તેથી તેઓ કયાંક ભાગી છૂટયા છે, અને તારી માતાને તેણે માતંગ
SR No.023373
Book TitleSharda Siddhi
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages992
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy