SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૦ શારદા રને જગતમાં એક શરણભૂત ધર્મતત્વ છે. તેનું શરણું સ્વીકારે. ધર્મ એટલે વાસ્તવિકતાનું જ્ઞાન કરાવે, સાત્વિકતાનું દર્શન કરાવે, તાવિકતાનું ભાન કરાવે, નાસ્તિતાનું નિરસન કરાવે, મેહકતાનું મારણ કરાવે, કષાનું કાસળ કાઢ, વિષયતાનું વિસ્તરણ કરે. જેમના જીવનમાં ધર્મ છે એવા નમિરાજા કે જેમના પાલક પિતાએ દીક્ષા લીધી છે, અને સાચી માતા મયણરેહાએ પણ દીક્ષા લીધી. આવા ધર્મિષ્ઠ માતાપિતાના સંતાનમાં ધર્મ હોય એ સ્વાભાવિક છે, પણ અત્યારે ચંદ્રશે નમિરાજાનો પટ્ટહસ્તિ લઈ લીધે છે, તેને મેળવવા નમિરાજ સંગ્રામ ખેલવા તૈયાર થયા છે. સંસારમાં માનવીનું મનધાર્યું ન થાય ત્યારે તેને સામી વ્યક્તિ પ્રત્યે કોઈ આવે. નમિરાજાના મનમાં થયું કે એ ચંદ્રયશ શું સમજે છે? જે એને અભિમાન છે તે હવે બતાવી દઉં ! તેથી સામંતને બેલાવી યુદ્ધની તૈયારી કરી, પછી સલાહકારોને લાવ્યા. જે સલાહકાર સારા હોય તે સારી સલાહ આપે અને ખોટા હોય તે બેટી સલાહ આપે. આ સલાહકારે ખૂબ ગંભીર અને ધીરવીર હતા. નમિરાજે સલાહકારોને કહ્યું–ચંદ્રયશ આપણે પટ્ટહસ્તિ પાછો દેવા તૈયાર નથી. તે માટે તે યુદ્ધ કરવા તૈયાર છે, તે આપણે શું કરીશું? સલાહકારો કહે છે, તમે યુદ્ધની બધી તૈયારી કરી લીધી છે, યુદ્ધના રણશીંગા ફુકાય છે. ભેરી વાગી રહી છે, હવે અમારી શી સલાહ લેવા આવ્યા છે? આપ આ સંબંધમાં પહેલા તે અમારી કાંઈ સલાહ લીધી નથી અને હવે અમારી સલાહ પૂછો છો? યુદ્ધની બધી તૈયારી થઈ ગઈ છે, હવે અમે શી સલાહ આપી શકીએ? ઘણુંને એવી ટેવ હોય છે કે અમે આમ કરીએ ? ભલા, બધી તૈયારી થઈ ગઈ છે, હવે પૂછવાને શો અર્થ ! - સલાહકારે કહે છે ખેર, જે આપ સલાહ લેવા આવ્યા છે તે એટલું કહીએ છીએ કે આપ રણશીંગા ફૂંકાવાના બંધ કરી દો. ભેરી વાગતી બંધ કરો. યુદ્ધની જાહેરાત કરશે નહિ અને છાનામાના લડાઈ લઈને જજે. રાત્રે સુદર્શનપુરને ઘેરી લેજે. નમિરાજાને આ સલાહકારોની સલાહ સાચી લાગી અને સેનાને સજ્જ કરી સુદર્શનપુર ઉપર ચઢાઈ કરી. નમિરાજે એવી ચઢાઈ કરી કે તેની સેના કયાં જઈ રહી છે તેની ખબર પણ પડવા ન દીધી. નમિરાજે સૈનિકોને કહ્યું કે આપણે હાથી જેવી સામાન્ય ચીજ લેવા જઈએ છીએ, પણ નાની ચીજ લાવતા આપણું મેટું વિશાળ રાજ્ય ગુમાવવું ન પડે તેનું ધ્યાન રાખજે, અને આપણે વિજય થાય એ રીતે યુદ્ધ કરજો. નંમિરાજાએ સલાહકારોની સુચના પ્રમાણે રાતોરાત સુદર્શનપુરને ઘેરી લીધું. આમ કરવાથી સુદર્શનપુરના રાજાને બહારની સહાયતા મળે નહિ અને કિલામાં જે સામગ્રી હશે તેના આધારે તે લડે અને સામગ્રી પૂરી થતાં તેઓ કિલ્લાની બહાર જવા નીકળે તેવા નમિસજાના સૈનિકે તેમના ઉપર હલ્લો કરી શકે. અમિરાજાને આવી મતિ કેમ સુઝી ? ચંદ્રયશ પ્રત્યે શત્રુતા કોણે પેદા કરી? અભિમાને. ચંદ્રશે પિતાને કાયર કહ્યો છે, પિતાનું અપમાન કર્યું તે હવે તેને બતાવી દઉં કે હું કાયર છું કે વીર? અભિમાનના શિખરે ચઢેલા છ ક્યાંય તળેટીમાં ફેંકાઈ ગયા છે. માન એક
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy