SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૪૬૩ જોઈ એ. સામ્રાજ્ય તા અમારાં આત્માનું અમર રહે છે. હવે તા અમારે કર્મોનું નિકંદન કાઢી, જડમૂળથી ઉખાડીને આત્માનુ સામ્રાજ્ય મેળવવુ` છે. તે સામ્રાજ્ય મેળવવા માટે તેઓ તપ-ત્યાગનું અભેદ્ય બખ્તર પહેરી જ્ઞાન, ધ્યાન, સમતાદિ ખાણા ખભે લઈ ને પરાક્રમી સુભટની જેમ કરાજાની સામે સમરાંગણમાં ઉતરવા કટિબદ્ધ બન્યા હતા. વૈશાખ જેઠ મહિનાના પ્રચંડ તાપથી ધરતી તા ધમધમી ઉઠી હતી. નદીની રેતી ઉગ્રતાનું પ્રચંડ દર્શન કરાવતી હતી. જલાશયા, નદીનાળા જાણે નિĆનખની ચૂકયા હતા, છતાં બંને મુનિના મુખ પર દિવ્ય પ્રસન્નતા લહેરાઈ રહી હતી. તેઓ તા પાતાની સાધનામાં અડગ હતા. વૈશાખ પૂરા થયા, જેઠ પૂરા થયા ને અષાડ માસ પણ પૂરા થવા આવ્યા. અષાડ પૂરો થયેા છતાં વરસાદનુ ટીપું' પણ પડતુ નથી. કંઈક અજ્ઞાનીઓ એમ માનતા કે જૈનમુનિએ વરસાદ થંભાવી દે છે, પણ આ તેમનુ અજ્ઞાન છે. અહીં પણ આવું બન્યું. આતાપનામાં પણ દિવ્ય આનંદની અનુભૂતિ માણતાં અને મુનિવરાને જોઇને દુષ્કાળની આશંકાથી સમાજમાં ભારે ઉકળાટ મચી ગયા. વરસાદના અભાવે લેાકેા નિરાશ બની ગયા હતા. એટલે આ બંને સંતાને જોઈને અજ્ઞાની લેાકેા ખેલવા લાગ્યા કે આ સાધુડાએ, આ મુંડકાઓએ વરસાદ બાંધી રાખ્યા લાગે છે. પેાતે નદીમાં ઉમા છે ને વરસાદ આવે તેા નદીમાં પાણી ભરાઈ જાય ને પોતે ડૂબી જાય, માટે વરસાદ ખાંધ્યા લાગે છે. આ જૈન મુનિએ આ નદીમાં ઉભા રહીને મંત્રતંત્ર કરી રહ્યા લાગે છે. મંત્રત ંત્રથી આ સાધુઓએ વરસાદ થ‘ભાગ્યેા હશે. જ્યાં સુધી આ સાધુડા અહી ઉભા રહેશે ત્યાં સુધી વરસાદ આવશે નહિ, માટે એમને સજા કરી. સજાની મઝા ચાખશે એટલે આપોઆપ અહીથી વિદાય લઈને ચાલ્યા જશે. ધ્યાનસ્થ મુનિઃ–આમ વિચારી યુવાન કસાના તથા ખીજા ઘણા માણસા મુનિઓની વિવિધ રીતે કર્થના કરવા લાગ્યા. તેમને ફીટકાર આપવા લાગ્યા, હે ધૂતારા ! તમે વરસાદ ખાંધ્યા હાય તે છોડી દો. અરે કાફી! આ શા ધઉંધા કરા છે ? અમારા બધાના જીવન છીનવી લેવાના વિચાર કર્યા છે કે શું ? ચાલ્યા જાઓ અહીથી, આ શહેર છેડીને ! નહિ તા તમારું મૃત્યુ નજીકમાં છે, એમ માની લેજો. શા માટે વરસાદને ખાંધ્યા છે? છેડી દો અમારા પ્રાણસમા એ મેઘને ! પણ મુનિએ તા તેમની આત્મમસ્તીમાં મસ્ત છે! આ ક્ષમાસાગર મુનિએ શું વિચારે છે ? આ લેાકેા કર્થના કરશે તા શરીરની ને! આત્માની નહિ કરી શકે. ક્ષમાના મહાસાગરમાં મુનિવરા સ્નાન કરી રહ્યા છે. મનમાં પણ તેમના પ્રત્યે જરા દ્વેષ નહિ, કે ગુસ્સા નહિ, તે તે ધ્યાનમાં અડગ છે. મુનિને ધ્યાનમાં અડગ જોઈ ને કંઇક માણસો તેમની ઠેકડી ઉડાવી રહ્યા હતા. એ લેાકાએ તા ભારે રમખાણ મચાવી દીધી. તેઓ તેા મુનિ પર લાકડીના પ્રહાર કરવા લાગ્યા. પથ્થરના છૂટા ધા કરવા લાગ્યા. કાંકરા ફેંકવા લાગ્યા. શસ્રોથી માર મારવા લાગ્યા. મુનિવરેા પર ભયાનક સીતમ ગુજારવા માંડથો. પહેલી વાર તા ક્ષમા રાખી, પણ અતિ જુમા થવાથી તેમનાથી એ સહન ન થયું. એ સહન કરવામાં અસમર્થ બન્યા. તેમના ઉપયાગ ધ્યાનમાંથી છૂટી ગયા. એક અભાગી પળે અને મુનિવરા ધ્યાનથી ચલિત
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy