SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન લાખ પૂર્વના આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ થયા. ત્યાં છઠ્ઠા ભવમાં થૂણા નગરીમાં પુષ્યમિત્ર નામે બ્રાહ્મણુ થયા. ત્યાં લાખ પૂર્વનું આયુષ્ય હતું. મિથ્યા દર્શનની પુષ્ટિ અને ગુફાઓમાં રહીને અજ્ઞાન તપ કરતા આયુષ્ય પૂર્ણ કરી સાતમા ભવે સૌધર્મ દેવલેાકમાં મધ્યમ સ્થિતિના દેવ થયા. આઠમા ભવે ૬૪ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિઢ'ડી વેશના સ્વીકાર કર્યાં. નવમા ભવે ઈશાન દેવલાકમાં મધ્યમ સ્થિતિના દેવ થયા. દશમા ભવે મદર નામના સનિવેશમાં ૫૬ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણુ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધા. અગીયારમા ભવે સનતકુમાર દેવલેાકમાં મધ્યમ સ્થિતિના દેવ થયા. બારમા ભવે શ્વેતાંબિકા નગરીમાં ૪૪ લાખ પૂર્વના આયુષ્યવાળા ભારદ્વાજ નામે બ્રાહ્મણુ થયા. ત્યાં ત્રિૠડી વેશ લીધેા. તેરમા ભવે મહેન્દ્ર દેવલેાકમાં દેવ થયા. ચૌદમા ભવે રાજગૃહ નગરીમાં ૩૪ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર વિપ્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિમંડી વેશ ધારણ કર્યાં. પંદરમા ભવે બ્રહ્મ દેવલાકમાં દેવ થયા. ૪૪૩ ત્રિૠડી વેશ ધારણ કર્યા. ત્રિૠડી વેશ લીધા. ૭૨ મરીચિના ભવમાં થયેલી ભૂલના ગુણાકાર એવા તેા ધરખમ આવ્યા કે મરીચિના ત્રીજા ભવથી સ્થાવર બ્રાહ્મણના ચૌઢમા ભવ સુધી એ જીવને ક્રમશઃ બ્રાહ્મણ જન્મમાં ત્રિૠ'ડી વેશ અને દેવલાક મળતા રહ્યો. આટલા કાળમાં તેને જૈનધર્મનુ' સાધુપણું દુ ભ ખની ગયું. કુળમદનું કર્મ કઈક ક્ષીણ થયું અને ૧૬ મા ભવમાં રાજગૃહ નગરમાં વિશ્વભૂતિ નામના રાજકુમાર તરીકે ઉત્પન્ન થયા. આ ભવમાં જૈનધર્મની દીક્ષા અંગીકાર કરી. અમુક પ્રસંગ ઉપસ્થિત થતાં તેમણે ત્યાં નિયાણું કર્યું કે મારા તપ–સંયમનુ ફળ હાય તા હું અપૂર્વ બળના ધણી થાઉં. ત્યાંથી કાળ કરીને સત્તરમા ભવે સાતમા દેવલાકે ગયા. અઢારમા ભવે પાતનપુરના પ્રજાપતિ નામે રાજાની પ્રભાવતી રાણીની કૂક્ષીએ ત્રિપૃષ્ઠકુમાર તરીકે જન્મ લીધા. વાસુદેવની માતા સાત સ્વપ્ના દેખે છે તે રીતે પ્રભાવતી રાણીએ સાત સ્વપ્ના જોયાં અને ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યા. એક વખત સમાચાર આવ્યા કે એક યુવાન સિંહે સહાર લીલા આદરી છે. ખેડૂતાએ ઘણા પ્રયાસ કર્યા પણ તેમાં તે ફ્રાવ્યા નહિ. ખેતરાનું રક્ષણ ભયમાં હતું. આ વાત સાંભળી ત્રિપૃષ્ઠ વાસુદેવ રથમાં બેસીને જ્યાં સિંહ હતા ત્યાં આવ્યા. એમના રથના અવાજથી સિંહ એક વાર જાગ્યા. રથમાં બેઠેલા ત્રિપુષ્ઠ વાસુદવે સિહની સામે યુદ્ધના પડકાર ફે‘કચો. સિ ́હુ સાબદો બનીને જાગી ઉઠયો. સિ...હ સામે સીધા સ`ગ્રામ કરવાની આ પળને વાસુદેવ કેમ જતી કરે! એમણે બાંયા ચઢાવી. સિંહુ એકલા હતા. એના હાથમાં વળી શરૂ કર્યાંથી હાય ! વળી એ જમીન પર હતા. ત્રિપૃષ્ઠને પેાતાની યુદ્ધ રીતિ અન્યાયી લાગી. એ તરત રથમાંથી નીચે ઉતરી ગયા. શસ્રોને ફગાવી દઈને એ સિંહુ તરફ્ ધસ્યા. આવી વીરતા, પરાક્રમ સિંહને જીંદગીમાં આ પહેલી વાર જોવા મળ્યાં. મારુ' નામ પડે ને લેાકેા ભાગી જાય એના બદલે આ વીરપુરુષ તે સામે આવ્યેા. સિંહ સાબદો બની ગયે. એણે જોરદાર ત્રાડ પાડી. ત્રિપૃષ્ઠે સામી રાડ નાખી. હું વનરાજ ! બળાબળના નિણ્ય કરવા મેદાનમાં ઝંપલાવ! આ રીતે રાડેા પાડવાથી શું વળવાનું છે ?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy