SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ શાજા રા ૩૧ જડીબુટ્ટી છે. એક કાળા રંગની અને એક ધેાળા રંગની, તેનો શુ' પ્રભાવ છે તે આપ સાંભળજો. ધેાલી કા ખાકર રાવે તે આંસુ મેાતી બન જાય, કાલી ખાકુર સાત દિનમેં, રાજાજી અન જાય. જે ધેાળી જડીબુટ્ટીને ખાય અને પછી રડે અને જે આંસુ પડે તે આંસુ ખધા સાચા મેાતી બની જાય અને જે કાલી જડીબુટ્ટીને ખાય તેને મેડામાં મેાડું સાત દિવસે રાજય મળી જાય ને તે રાજા બને. આવા આ જર્ડ ખુટ્ટીનો મહાપ્રભાવ છે. આ ચમત્કારિક જડીબુટ્ટી છે. આપ એને જલ્દી ગ્રહણ કરો, નહીં તા કોઈ હભાગી આવી જશે અને તે લેશે તેા માટા અનર્થ થશે. આટલું કહીને વિદ્યાધર તા પેાતાના વિમાનમાં બેસીને ભગવાનની દેશના સાંભળવા રવાના થયા. ખંધુએ ! ધર્મિષ્ઠ જીવાને કમઁચે દુઃખ આવે પણ દુઃખમાં એ ધર્મને છોડતા નથી. પેાતાનું સર્વસ્વ જાય તેા ભલે જાય પણ ધર્મને જવા દેતા નથી. એવા દૃઢ શ્રદ્ધાવાન રહે છે તે દેવા પણ એમના ચરણમાં ઝૂકે છે. સાગરદત્ત શેઠે આટલા બધા કષ્ટા શા માટે વેઠયા ? એક ધના માટે જ ને ? આટલું દુઃખ વેઠવા છતાં મનમાં વિચાર સરખા પણુ નથી આવતા કે ધર્માંના કારણે આટલા દુઃખો વેઠું છું, માટે ધમ ખાટા છે. આટલી અડગ શ્રદ્ધા રહી તે વિદ્યાધરનું વિમાન પણ સ્થંભી ગયું અને તેમનું દારિદ્ર, ગરીબી મટાડવા એ જડીબુટ્ટી આપી. વિદ્યાધર તા જડીબુટ્ટીના શે! પ્રભાવ છે તે કહીને ચાલ્યા ગયા. શેઠની પ્રમાણિકતાઃ-શેડ ત્યાંથી ઉભા થયા. તે વિચાર પ્રદેશેામાં ધૂમવા લાગ્યા મેં તેા ખાર વ્રત આદર્યા છે. ત્રીજા વ્રતમાં અણુદીધું લેવુ નહિ તેવા મારે નિયમ છે. હું આ જડીબુટ્ટી દેવી રીતે લઈ શકુ? જે ગ્રહણુ કરું તે। મારી પ્રતિજ્ઞાના ભંગ થાય છે અને નથી લેતા તેા વિદ્યાધરના વચન જાય છે ને અમૂલ્ય વસ્તુ ગુમાવી દેવાની થાય છે. એક બાજુ સુખની ઉંચી દોરી અને બીજી બાજુ દુઃખની "ડી ગર્તા. વિચાર રૂપ ત્રાજવાના બંને પક્ષા ઊંચા નીચા થવા લાગ્યા. ત્યાં ન્યાયયુક્ત ધડાએ સમતુલા બતાવી દીધી. વિદ્યાધરે મને કહ્યું છે માટે આવી ચમત્કારિક વસ્તુ આ ભૂમિમાંથી લઇ લઉં. આ ભૂમિમાંથી પ્રાપ્ત થયેલ વસ્તુ ઉજ્જૈની નરેશની ગણાય માટે એ વસ્તુ લઈને પછી હું ઉજ્જૈની નરેશને આપી ઈશ, એમ વિચારી શેઠે વિદ્યાધરે જે જગ્યાએ જડીબુટ્ટી બતાવી હતી, ત્યાંથી લઈ લીધી. જેને મન વ્રત એ પ્રાણ છે, સર્વસ્વ છે, એવા વ્રતધારી સાગરદત્ત શેઠને પૌદ્ગલિક રિદ્ધિ લેાભાવી શકી નહિ. જે એ જડીબુટ્ટી શેડ પેાતાના બે બાળકાને ખવડાવે તા રાજ્ય મળી જાય અને સાચા મોતી પણ મળે ને શેઠ મહાન શ્રીમંત બની જાય, પણ ના...ના... એ જડીબુટ્ટી રાજાની માલિકીની છે માટે મારાથી ન લેવાય. લઉં તા એમને આપવી જોઇએ. કેટલી શુદ્ધ ભાવના ! ગરીબાઇમાં પશુ કેટલી અમીરી છે! પેાતાની તદ્દન ગરીબ સ્થિતિ હેવા છતાં પણ તેમાં લલચાયા નહિ. આવા વ્રતધારી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy