SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ મરતા રત્ન આ ૩. જશમા ઓડણુ કઈ જેવી તેવી સ્ત્રી ન હતી. એ તો સતી હતી. સિદ્ધરાજના શબ્દો સાંભળીને એણે તા હૃદય તાડી નાખે એવા શબ્દોમાં કહ્યુ-હે રાજન્ ! આપને આ શબ્દો શુ શેાભે છે? તું ગમે તેમ કરીશ તે પણ હું તારી વાતને સ્વીકારવા જરાપણુ તૈયાર નથી. તારે જે કરવુ હાય તે કરી લે. તારી તાકાત નથી કે તું મારા શરીરને અડકી શકે! સિદ્ધરાજે ધમકી આપી, કે જે તું મારી વાતના સ્વીકાર નહિ કરે તેા તું જોઈ લેજે કે, તેનું પરિણામ કેવું આવે છે? તેણે જશમાના દેખતા તેની નજર સમક્ષ તેના વહાલસેાયા પુત્રને મારી નાખ્યા. આવા દુઃખા વેચા પણ ચારિત્ર લૂટાવા દીધું નહિ. આવા સેંકડો દાખલાએ ઇતિહાસના પાને છે. અહીં મયણુરેહા દાસીના વચને સાંભળી શું કરે છે? સતીએ બતાવેલ શક્તિના પરચા :-દાસીના વચને સાંભળીને મયણરેહાએ કહ્યું–હે દાસી ! તેં મને છાતીમાં ગેાળી મારી હોત તેા હું સહન કરત, પણ તારા દુષ્ટ વચના મારાથી સહન થતા નથી. દાસીની વાત સાંભળી મયણુરેહા તેની બધી માયાજાળ સમજી ગઈ. આ માયાજાળને તોડી નાખવા માટે સૌથી પ્રથમ આ માયાજાળ પાથરનાર દાસીને ભય બતાવી દૂર કરવી જોઇએ કે જેથી તે ફરી આવવાની હિંમત ન કરે. આ પ્રમાણે વિચાર કરીને મયણુરેહાએ દાસી પાસે તલવાર મંગાવી. આવનાર દાસીએ પૂછ્યુંઆપ તલવાર શા માટે મંગાવા છે ? મયણરેહાએ કહ્યું-મેં તલવાર શા માટે મંગાવી છે તે હમણાં બતાવું છું. તું પહેલા તારું માથું સંભાળી લે. આ પ્રમાણે કહેતી મયણુરેહાએ મ્યાનમાંથી તલવાર કાઢી અને દાસી ઉપર ઉપાડી, અને એકદમ આવેશમાં આવી ખેલી કે તું મને ઓળખતી નથી કે હુ કાણુ છું? આ તલવાર દ્વારા તા માથુ' ઉડાવી દઈશ. જો તને તારા પ્રાણ વહાલા હાય તે અહીંથી ભાગી જા, હવે ફરી કૈાઈ દિવસ પાછી આવતી નહિ. તું મારા પવિત્ર જેને દૂષિત બનાવવા ઇચ્છે છે ? હું ક્ષત્રિયાણી છું. આ પ્રકારની વાત હું કયારે પણ સહી શકીશ નહિ. મયણુરેહાનું એકદમ ભય'કર સ્વરૂપ જોઈ દાસી તા ત્યાંથી જીવ લઇને ભાગી. મયણરેહાના મનમાં થયું કે એક ખેાળામાં આળેાટેલા મારા પતિ આટલા પવિત્ર હોય તા મારા જેઠ શું આવા હાય ? આ દાસી બધા કામ કરતી લાગે છે. દાસી તા મયણુરેહાના કાધ જોઇને ધ્રુજતી ધ્રુજતી મિથના મહેલે ગઈ. દાસીને ધ્રુજતી જોઇને મણરથ રાજા પૂછે છે કે શું છે? દાસી કહે-તે વાત મને પૂછશે. નહિ, હું જીવ લઈને નાસી આવી છું. મયણુરેહા મારું' માથું ઉડાવી દેત, પણ હું એકદમ ભાગી ગઈ. માટે આ સતીને સંતાપવા જેવી નથી, તે તા સાક્ષાત્ દેવી છે, માટે હું તમાને કહું છું કે આપ એનું ધ્યાન છેડી દો. તમને કોઈ પ્રકારની ખામી નથી. તમે જો ચાહે તેા ખીજી રાણી પણ પરણી શકે છે; પણ મયણુરેહા ત્રણ કાળમાં તમારા હાથમાં આવી શકે તેમ નથી. દાસીએ મણિથને આ પ્રમાણે કહ્યુ છતાં મણિરથને કાંઈ અસર ન થઈ. ઉલ્ટા તે વધુ ઉત્તેજિત થયા ને કહેવા લાગ્યા કે હું ક્ષત્રિય છું. વાસ્તવિક વાત શી છે તે તું જાણતી નથી, પણ હું જાણુ છું. ઠીક, તું જા.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy