SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન મિથ્યાત્વને દૂર કરવા માટે જીવાદિ તત્ત્વાના સ્વરૂપના જ્ઞાતા બનવાના પ્રયત્ન કરવો જોઈ એ. અભણ માબાપને જ્યારે સમજાય કે આપણે અભણ રહ્યા તે મેાટી ભૂલ કરી છે તેથી કરાને ભણાવવાની ચિંતા કરે છે. ઇંગ્લીશ નહિ ભણેલા ખાપ છેકરાને ઇંગ્લીશ ભણાવે છે. જો છોકરો ખરાખર ભણુતા ન હોય તેા ખાપ શું કહે ? હું ઈંગ્લીશ ભણ્યા નહિ તેથી પેઢીના વ્યવહાર ખીજા પાસે કરાવવા પડે છે. કાંઈ લખવા વાંચવાનું હાય તા ખીજાની રાહ જોવી પડે છે, અને ત્રીજા પાસે પેઢીની ખાનગી વાત ખુલ્લી થઈ જાય છે. માટે કહુ છુ... કે તમે ધ્યાન દઈ ને ભણા કે-જેથી તમારે એવા વખત ન આવે. અમને તેા ભણાવનાર ન મળ્યા તેથી અભણ રહ્યા પણ તમને આટલી સગવડ છે, છતાં આટલા બધા બેદરકાર કેમ રહેા છે ? તત્વજ્ઞાનના વિષયમાં તમને આવુ... થાય છે ખરું ? ના, પિતાથી અંગ્રેજી ભણાયું નહિ તેનું જેટલું દુઃખ છે તેટલુ દુઃખ ધાર્મિક જ્ઞાન નથી મળ્યું એનું છે ? ઇંગ્લીશના ભણતરની જેટલી જરૂર લાગે છે તેટલી જરૂર તત્વજ્ઞાનની લાગે છે? જો ખરેખર ધર્મના રંગ લાગ્યા હાત તેા તત્વજ્ઞાન મેળવવાની મહેનત કરી હાત, પણ હજુ ધના રંગ લાગ્યા નથી. સંતાના તત્ત્વજ્ઞાનથી રહિત રહે છે. એમાં દોષ માબાપના છે. હજુ પણ માબાપને એ દોષ બહુ દોષરૂપ લાગતા નથી, કારણ કે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની તાલાવેલી જેવી જાગવી જોઈએ તેવી તાલાવેલી જાગી નથી. હવે તત્ત્વોલ પર રૂચિ જગાડા, પ્રેમ જગાડે, તા તત્ત્વજ્ઞાનના અમૃત ઘૂંટડા પી શકશે।. તત્ત્વજ્ઞાનના અમૃત પીણા પાનાર એવા શાસનપતિ ભગવાને પોતાના અંતિમ સમયે જ્ઞાનના મીઠા મધુરા ઝરણાં વહાવ્યાં. ભવ્ય જીવાએ તે અમૃત ઘુટડાનું આસ્વાદન કર્યું", આપણે ઉત્તરાયન સૂત્રના સાતમા અધ્યયનની વાત કરી. જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે. ને અનાસક્તિ છે ત્યાં સુખ છે. બેાકડા મીઠા ખાણામાં આસક્ત બન્યા તા મૃત્યુના શરણે થયા. માટે અનાસક્ત ભાવ કેળવેા. શાસ્ત્રમાં માટીના એ ગેાળા આપીને સમજાવ્યું છે. એક ભીની માટીના ગાળા ને બીજો સૂકી માટીના ગેાળા. ભીની માટીના ગાળેા ભીંત પર કુંકથો તા તે ચાંટી ગયા અને સૂકી માટીના ગાળા ફ્રેકચો તા ભીતે અથડાઇને પાછે આવ્યા. તમારે કોના જેવું બનવું છે ?સૂકી માટીના ગાળા જેવું કે ભીની માટીના ગાળા જેવુ... ? एवं लग्गन्ति दुम्मेहा, जे नरा कामलालसा । विरत्ता उ न लग्गन्ति, जहा सुक्के उ गोलए | ઉ. અ. ૨૫ ગા. ૪૩ e જે મનુષ્ય બુદ્ધિ અને કામભાગમાં આસક્ત છે તે વિષયામાં ચાંટી જાય છે, અને કામભાથી વિરક્ત આત્મા સૂકા ગાળાની જેમ ચાંટતા નથી. જ્યાં આસક્તિ છે ત્યાં સ‘સાર છે ભમવાપણુ છે. કહ્યુ` છે કે— પહેલા ખીજા દેવલાકમાં રહેલા દેવા પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય ને તિય ́ચ એ પાંચ કમાં જાય છે. મનુષ્ય તિય ઇંચમાં આવે તે ઠીક પણ પૃથ્વી, પાણી, વનસ્પતિમાં શા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy