SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવ પાસે સંયમી જીવનની બધી કળા શીખી લીધી. છેટી ઉંમરમાં દીક્ષા લેવા છતાં સંયમ લઈને પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂદેવની આશામાં એવા સમાઈ ગયા કે પોતાના જીવનકાળ દરમ્યાન કયારે પણ ગુરૂ આજ્ઞાનું ઉલંઘન તે શું પણ તેમની સામે દલીલ કે અપીલ પણ કરી નથી. ખરેખર મુક્તિનગરના પથિક બનનાર આત્માના ઉપવનમાં જ્યારે ગુરૂદેવની આજ્ઞા રૂપ સર્ચલાઈટ પ્રકાશે છે ત્યારે તેમનું જીવન હજાર ટયુબલાઈટના પ્રકાશ કરતાં પણ વધુ પ્રકાશિત બને છે, તે આજે પણ આપ પ્રત્યક્ષ નિહાળી રહ્યા છો. આ રીતે પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીજીની શીતળ છત્રછાયા મેળવ્યા પછી પૂ. મહાસતીજીના ધાર્મિક અભ્યાસને પુરૂષાર્થ પ્રબળ બન્યો અને ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રનું વાંચન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું, આ જ્ઞાનનો લાભ બીજાને આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને પ્રખર વ્યાખ્યાતા તથા વિદુષી તરીકે પૂ. શારદાબાઈ મહાસતીજી ખ્યાતિ પામ્યા. ખરેખર ખંભાત સંપ્રદાયનું આ શાસનરત્ન પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની મઘમઘતી સુવાસથી સારાયે જૈન શાસનનું કેહીનુર રત્ન બનીને પ્રકાશી રહ્યું છે. પૂ. મહાસતીજી જ્યારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વતા જ નહિ પણ આત્માના ચૈતન્યની વિશુદ્ધિનો રણકાર તેમના અંતરના ઉંડાણમાંથી આવે છે. ધર્મતત્ત્વના શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થને એવી ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ ન્યાય દૃષ્ટાંત આપીને સમજાવે છે કે શ્રોતાગ્રંદ તેમાં તમય-ચિન્મય બની જાય છે, અને અપૂર્વ શાંતિથી શારદા સુધાનું રસપાન કરે છે. તેમની વાણીમાં આત્માને અંતરવનિ આવે છે અને તે વનિએ અનેક જીવોને પ્રતિબોધ પમાડ્યા છે. સુષુપ્ત આત્માઓને ઢાળીને સંયમ માર્ગે દોર્યા છે. તેમાં પૂ. મહાસતીજીના પ્રવચનોના પુસ્તકોએ તે લોકોમાં એવું જાદુ કર્યું છે કે જે પુસ્તકનું વાંચન કરી લુહાણ જેવા ભાઈઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું છે. કંઈક જીવોએ વ્યસનોનો ત્યાગ કર્યો, નાસ્તિકમાંથી આસ્તિક બન્યા. પાપીમાંથી પુનિત બન્યા ને ભેગીમાંથી ત્યાગી બન્યા. આવા તે કંઈક દાખલા છે, પણ અત્યારે લખવા માટે જગ્યા નથી. અરે, વધુ શું લખું ? આ પુરત મીસાના કાયદામાં પકડાયેલા જૈન ભાઈઓ પાસે ગયા. તે પુસ્તકોનું વાંચન કરતા તેઓ આર્તધ્યાન છોડીને ધર્મધ્યાનમાં જોડાવા લાગ્યા, અને કર્મની ફિલેસેફિી સમજતા શીખ્યા. પૂ. મહાસતીજીની અંતર વાણુનો નાદ તેમના દિલ સુધી પહોંચતા એક વખતની જેલ ધર્મસ્થાનક જેવી બની ગઈ અને ત્યાં રહેલા ભાઈઓએ તપ ત્યાગની અને ધર્મારાધનાની મંગલ શરૂઆત કરી. ઘણે ભાઈઓ મસામાંથી મુક્ત થયા પછી પૂ. મહાસતીજીની પાસે આવીને રડી પડયા ને કહેવા લાગ્યા કે હે મહાસતીજી ! આપના વ્યાખ્યાને જે પુસ્તક રૂપે પ્રગટ થયા છે તે વાણીએ અમારા બળતા દિલમાં શીતળ જળ છાંટયું છે, પછી તેમણે ઘણું વ્રત નિયમ અંગીકાર કર્યા. ટૂંકમાં પૂ. મહાસતીજીના બહાર પડેલા વ્યાખ્યાનના પુસ્તકોએ જીવોનો કેટલે જીવનપટ્ટો કર્યો છે તે આ ઉપરથી વાચકે વિચારી શકશે. પૂ. મહાસતીજીમાં માત્ર વિદ્વતા જ છે એમ નથી. સાથે તેમના જીવનમાં અનેક
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy