SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન વચનયોગ શક્તિને પ્રભાવ : હવે વચનગની તાકાત કેટલી હોય છે? ભગવાનને વચનયોગ ઉત્તમ કેટિને છે. જે તીર્થકર નામકર્મ બાંધીને આવ્યા હોય એવા તીર્થકર ભગવાન તે અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપે છે, પણ તેમના વચનાતિશયના કારણે સૌ સૌની ભાષામાં સમજી જાય છે. ભગવાનની દેશને સાંભળવા દેવદેવીઓ, મનુષ્ય-મનુષ્યાણી, તિર્યચ, તિર્યંચાણીઓ આદિ ૧૨ પ્રકારની પર્ષદ આવે છે. દેવદેવીઓની ભાષા જુદી હોય. મનુષ્યમાં કેઈ હિન્દી બોલનાર હોય, કેઈ ગુજરાતી બોલનાર હોય આદિ જુદી જુદી ભાષા બોલનારા હોય, તિર્યચેની ભાષા પણ જુદી હોય છે, પણ ભગવાનના વચનગની એવી તાકાત હોય છે કે ભગવાન ભલે અર્ધમાગધીમાં બોલે પણ સૌ સૌની ભાષામાં સમજી જાય. તેમના એક શબ્દથી અનેક જીના સંશ નાશ પામે છે. ભગવાનના વચનગનો એવો પ્રભાવ હોય છે કે કદાચ ભગવાન કાયમ દેશના આપે તે પણ સાંભળનાર કદી થાકે નહીં કે જરાય કંટાળે પણ ન આવે. એવી એમની ઓજસ ભરેલી વાણી હોય છે. ભગવાનના વચનોગની તાકાત અલૌકિક અને અજોડ હોય છે. કાગ શકિતને પ્રભાવ : જિનેશ્વર ભગવાનના કાયાગની શક્તિ પણ અજબગજબની છે. દેવલોકમાં સૂર્ય–ચંદ્ર નથી પણ ત્યાં દેવના શરીર પ્રકાશિત હોય છે. તેના ગટમાં રહેલ મણને પ્રકાશ તે એટલે બધે છે કે સૂર્ય-ચંદ્રની જરૂર ન રહ, પણ પ્રભુની દિવ્ય કાન્તિ આગળ દેના એ રૂપ પણ ઝાંખા પડી જાય છે. ભક્તામર સ્તોત્રની પ્રથમ ગાથામાં માનતુંગ આચાર્ય ભગવાનની સ્તુતિ કરતાં બોલ્યા છે કે, ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણું મુદ્યોતકં દલિત પાપ તમે વિતાનમ્ | સમ્યફ પ્રણમ્ય જિન પાદ યુગે યુગાદા વાલંબન ભવ જલે પતતાં જનાનામ્ છે ૧ હે પ્રભુ! ભક્તિને વશ થયેલા દે આપને નમસ્કાર કરે છે. તેમના મસ્તક પર મુગટ હોય છે, અને તે મુગટમાં જડેલા મણીઓ ખૂબ ચમકી રહ્યા હોય છે. જ્યારે દેવો પ્રભુના ચરણોમાં તેમનું મસ્તક નમાવે છે ત્યારે ભગવાનના ચરણેના નખની કાંતિ તે મણીઓ પર પડે છે. ભગવાનના નખની કાંતિ એટલી બધી છે કે તેનાથી દેવોના મુગટના મણીઓને પ્રકાશ પણ વધુ ચમકી ઉઠે છે. આ રીતે ભગવાનના ચરણુયુગલ પિતાની અપૂર્વ કાતિથી દેવના મુગટના મણીઓને પણ વધુ પ્રકાશિત કરે છે. ભગવાનના ચરણની કાંતિ દ્રવ્ય પ્રકાશમય તે છે જ પણ તેમનામાં ભાવ પ્રકાશ પણ છે. પ્રભુના પવિત્ર ચરણોમાં પાપરૂપી અંધકારને પણ નષ્ટ કરવાની શક્તિ છે. સૂર્ય, દીપક આદિના પ્રકાશથી તે બાહ્ય અંધકારને નાશ થાય છે, પરંતુ જિનેન્દ્રદેવના ચરણમાં તે ભાવઅંધકારનો પણ અંત કરવાની અનંત શકિત છે. ભગવાનના ચરણ સંસારરૂપી અસીમ સાગરમાં પડેલા જીવોને માટે આલંબન રૂપ છે. એક નૌકા સમાન છે. સમુદ્રમાં પડેલો
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy