SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૩ શારદા સાગર કુંભક, વિભીષણુ અને પેાતાના પુત્ર ઇન્દ્રજિતને ખેાલાવ્યા. ત્રણે ય જણાં રાવણ પાસે આવ્યા. લકડ઼ે પૂછ્યું કે માડી રાત્રે અમને કેમ ખેલાવવા પડયા ? ત્યારે રાવણે કહ્યું કે મારી તેા ઉંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે વિભીષણે પૂછ્યું કે મોટાભાઇ! એવું તે શું છે કે તમારી ઉંઘ ઉડી ગઈ છે? ત્યારે રાવણે કહ્યું, વરૂણુ મારી ઉંઘ મગાડી રહ્યા છે. ત્યારે ઈન્દ્રજિતે કહ્યું. પિતાજી! શું તે લંકા ઉપર ચઢી આવ્યેા છે? રાવણે કહ્યું ના. એ ચઢી આવ્યા નથી પણ જ્યાં સુધી હું તેનું અભિમાન ના ઉતારું ત્યાં સુધી મને ઊંઘ આવવાની નથી. ત્યારે વિભીષણ અને કુંભકર્ણે કહ્યું. ભાઇ! આપણે પવનજીની સમક્ષમાં તેની સાથે મિત્રતા બાંધી છે. હવે એની સાથે યુદ્ધ કેમ કરાય? ત્યારે રાવણે કહ્યુ કે શત્રુ સાથે વળી મિત્રતા કેવી? એ તેા ખર-દૂષણને મુકત કરવા માટે પવનજીએ યુક્તિ કરી હતી. ત્યારે વિભીષણ અને કુંભકર્ણે કહ્યું. ભાઈ! ગમે તેમ કર્યું" પણ આપણે તેની સન્મુખ મિત્રતા જાહેર કરી છે અને એ વાત પણ જગ જાહેર થઇ ચૂકી છે. હવે જો આપણે તેની સામે યુદ્ધ કરીએ તે જગતમાં અન્યાયી ઠરીએ. માટે યુદ્ધ કરી શકાય નહિ. પણ રાવણુના પુત્ર ઇન્દ્રજિત કહે છે કે જો વરૂણૢ ઉપર સીધું યુદ્ધ કરવામાં આવે તે લંકાપતિ બદનામ થાય છે. ને યુદ્ધ ન કરીએ તેા લંકાપતિના સમ્રાટપણામાં ખામી આવે છે. તે હવે આપણે એમ કરીએ કે વરૂણે આપણી સાથે મૈત્રીના ભંગ કર્યા છે એવી વાત વહેતી મૂકી દેવી. કાઈ પૂછે કે વરૂણે કેવી રીતે મિત્રાચારીને ભગ કર્યાં છે? તેા કહેવું કે આપણી હદમાં વરૂણના સુભટો પેસી જાય છેને લોકોને હેરાન કરે છે. આ ઉપાય રાવણને ખૂમ ગમ્યા. પણ વિભીષણ તથા કુ ંભકર્ણને ન ગમ્યા. ઇન્દ્રજિતે પિતાને ખુશ કરવા માટે આ ઉપાય શેાધ્યેા. પણ પિતાની વાત ન્યાયયુકત છે કે અન્યાયયુક્ત છે તેના વિચાર ન કર્યાં. પણ પિતાની ઇચ્છા પૂરી કરવા માટે અનાવટી વાત ઉભી કરી. “રાવણે યુદ્ધ કરવા માટે ઉભી કરેલી માયા ’:-રાવણે તરત દૂતને ખેલાવીને વષ્ણુને સ ંદેશા આપવા માકલ્યા. દૂત સ ંદેશા લઇને વર્ણુપુરી આવ્યેા. ને વરૂણૢરાજાની સભામાં પ્રવેશ કરીને વરૂણરાજાને પ્રણામ કરીને ઉભા રહ્યો. વર્ણે પૂછ્યું કે તમે કયાંથી આવે છે? દૂતે કહ્યું. લંકાથી. વર્ણ કહે-લંકાપતિ કુશળ છે ને ? વરૂણના દિલમાં સ્હેજ પણ શત્રુતાના ભાવ નથી. એ તે રાવણને પેાતાના મિત્ર માનતે હતા એટલે નિખાલસતાથી સુખશાંતિના સમાચાર પૂછ્યા. ત્યારે તે ઉગ્રતાથી કહ્યું કે મિત્ર જ્યારે ઢગા દે ત્યારે કુશળતા કેવી રીતે હાય? ત્યારે વરૂણે ઉત્સુકતાથી પૂછ્યુ એવા તે કાણુ મિત્ર છે કે જેણે લંકાપતિને ઢંગા દીધા? તે કહ્યું-વરૂણરાજ! આપ મને શું પૂછે છો ? આપ વિચાર કરો ને ? આપે પવનજીની સમક્ષમાં લંકાપતિ સાથે મૈત્રીના સબ ંધ માંચૈા હતા. અમે આજ સુધી તેનું ખરાબર પાલન કર્યું" છે. પણ તમે એ મૈત્રીના ભગ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy