SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૫૭ વિચારવા લાગ્યા કે નાદારી તે ઘણાં નાંધાવે છે પણ આના જેવી ઇમાનદારી કાઇ ખતાવતું નથી. આવા કસેટીના સમય આવી ગયા છતાં ઢિલ કેટલું ચાખ્ખુ છે! કાઇ જાતની શંકા વગર ન્યાયાધીશે તેની યાદી કબૂલ રાખી. જેનુ દિલ સાફ હાય છે તેના ઉપર કાઈને શકા રહેતી નથી. એક વખતના કહેવાતા મહાન શ્રીમંત નિન ખની ગયા પણ તેનું સમગ્ર જીવન પ્રમાણિકતા અને સચ્ચાઈના વૈભવથી ભરેલું હતું. આ માતા પિતાના સંસ્કારનું ખળ હતું. કાર્ટમાંથી બહાર નીકળ્યે ને તેને યાદ આવ્યું. તરત પાછો ન્યાયાધીશ પાસે આવ્યા. ન્યાયાધીશ વિચાર કરવા લાગ્યા કે કઇ ફેરફાર કરાવવા આવ્યે લાગે છે પણ જુદું જ નીકળ્યું. તેમની આંગળીમાં એક હીરાની વીંટી રહી ગઈ હતી તે પણ ન્યાયાધીશને સોંપી દીધી. કેટલી સજ્જનતા! ન્યાયાધીશના માનસ ઉપર અનેરી છાપ પડી પણ સગાવહાલા ખાલવા લાગ્યા કે ધર્મના ઢીંગલા ને સત્ની પૂંછડી તે ખાપનું નામ એન્યું. પાતે તે ભિખારી થયા સાથે બધાને ભિખારી મનાવ્યા. આમ અનેક પ્રકારે જેને જેમ ફાવે તેમ ખેલવા લાગ્યા. શેઠ તેા ઉદાર હતા. સગા સમધીની નિંદા હંસતે મુખડે સાંભળી લીધી. તેણે એક જ વિચાર કર્યો કે આ તે વેળા વેળાની છાંયડી છે. સાચી નીતિ રાખીશ તે કાલે સુખી થઇ જઇશ. રોટલા ને છાશના સાંસા પડવા લાગ્યા છતાં સમતા ભાવથી અધુ સહન કરવા લાગ્યા. A આ શેઠના પિતાએ એક શેઠને પૈસા આપેલા પણ ચાપડે લખેલા નહિ, ઘેાડી ઘણી યાદી પણ નહિ કરેલી. હવે પેલા વહેપારી કારણસર પૈસા આપી શકેલ નહિ. આ છોકરા આ વાત જાણતા નહિ વીસ વર્ષે એ વહેપારીએ માલ સહિત વહાણુ માકલ્યા ને કહેવડાવ્યું કે તમારા વહાણુ આવ્યા છે લઇ જાવ. આ શેઠ વિચાર કરે છે મારે તેા કાઇ વહેપાર ધંધા છે નહિ ને મારા વહાણુ ક્યાંથી? તે કહે તમાશ પિતાજીએ ફલાણા શેઠને પૈસા ધીરેલા તે વ્યાજ સહિત માલ અને પૈસા માકલાવ્યા છે. ચાપડા તપાસ્યા પણ કંઇ નામ નિશાન મળતુ નથી, વહાણુ લેવા કેવી રીતે ? છેવટે તે શેઠને ખેલાવીને બધી વાત પૂછે છે. પૂરી ખાત્રી કર્યા પછી વહાણુના સ્વીકાર કર્યો. એ ક્રાયની મિલ્કત નીકળી, પૈસા મળ્યા એટલે શેઠે સર્વ પ્રથમ બધું દેશુ ચૂકવી દીધું. એક ક્રેડનુ દેણુ ચૂળ્યુ ને એક ક્રેડ વધ્યા તેનાથી પાછો વહેપાર શરૂ કર્યું. જે સગા સબંધી નિંદા કરતા હતા, જે સત્યના પૂછડા ને ધર્મના ઢીંગલા કહી તિરસ્કારતા હતા તે ખેલવા લાગ્યા કે “અંતે સત્યના જય થશે. ” એણે દુઃખમાં પણ સત્ય અને નીતિ ન છેડયા તેના આ પ્રભાવ છે. જુએ એક વખત તિરસ્કાર કરનારી દુનિયા આજે શુ ખેલવા લાગી! આ છે દુનિયાની રીત. ટૂંકમાં સત્યના જય છે. તમે આવે! એકાદ ગુણુ જો જીવનમાં અપનાવશે તેા તમારે જય થશે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy