SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૮ શારદા સાગર તેમાંથી સત્ય તે દૂર જતું રહેતું અને અહં કામ કરવા લાગી જતું. જ્યારે વાદમાંથી સત્ય ચાલ્યું જાય છે ને અહં સ્થાન જમાવે છે ત્યારે વાદ વાદ ન રહેતાં વિવાબની જાય છે. પછી સત્યની રક્ષાને સવાલ ન રહેતાં વ્યક્તિગત માન-પ્રતિષ્ઠાનો વિષય બનાવવામાં આવે છે. જેનું ધ્યેય માત્ર બીજાને પરાજય આપી પોતાની પ્રતિષ્ઠાનું સ્થાપન કરવાનું હોય છે. ત્યારે જ્ય-પરાજયની હરીફાઈમાં સત્ય ખવાઈ જાય છે. આ સભામાં વિદ્વાને કઈ એક વિષય ઉપર શાસ્ત્રાર્થ કરતા અને એક નિર્ણાયક જય-પરાજયનો નિર્ણય કરતા. વિદ્વાનની આ સભામાં શાસ્ત્રાર્થનું આયોજન થયું. તેમાં વિજેતા બનનારને સભાએ પાંચસો કેવાઓ આપવાનું નક્કી કર્યું કે જે તેના વિજયની નિશાની તરીકે રહે. શાસ્ત્રાર્થની શરૂઆત થઈ. યશોવિજયજીએ તેમાં ભાગ લીધો હતો. પિતાની વિદ્વતા અને પ્રતિભાના બળે તેઓ વિજ્યી બન્યા ને સભાએ તેમને ૫૦૦ ધ્વજાઓની ભેટ આપી. જ્યારે યશવિજયજી એક સ્થળેથી બીજા સ્થળે વિહાર કરતા, ત્યારે આ ૫૦૦ વિજાઓ તેમના યશના પ્રતિક તરીકે આગળ રહેતી. આ દવાઓ જોઈને તેઓ પિતાનું ગૌરવ માનતા. જ્યારે વિચરતા વિચરતા તેઓ ગુજરાત તરફ જતા હતા ત્યારે રસ્તામાં આધ્યાત્મિક યોગી આનંદઘનજીને ભેટે થયે. આનંદઘનજી મહારાજ આ વજાઓ જોઈને તે આચાર્યની મનોદશા સમજી ગયા. પિતે બંને પૂર્વના નેહીઓ હતા. પિતાના સાથીના મનને અભિમાન ઓગાળવા તેમણે પ્રશ્ન કર્યો. હે આચાર્ય ! તમે સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાની કેને માને છે? આચાર્ય યશવિજયજીએ કહ્યું. મારી દષ્ટિએ તે કેવળ જ્ઞાની પુરૂષ સર્વશ્રેષ્ઠ જ્ઞાનના ધારક છે. કે જેમને આત્મા અનંત જ્ઞાનના પ્રકાશથી ચમકી રહ્યો છે. ગી આનંદઘનજીએ બીજો પ્રશ્ન કર્યો. તેનાથી ઓછા જ્ઞાનવાળા કોણ છે? આચાર્યે કહ્યું.બીજે નંબરે ચૌદ પૂર્વધરે આવે. કેવળજ્ઞાની પછી તેમને નંબર આવે. ચૌદપૂર્વધરો પછી કોણ કહે. સિદ્ધસેન દિવાકર. તેમના પછી? આચાર્ય હેમચંદ્રસૂરિ. આટલી ચર્ચા કર્યા પછી અવધૂત યેગી આનંદઘનજીએ પ્રશ્ન કર્યો. તમારા ઉત્તર બરાબર છે. હવે આપ મને એ જણાવશે કે તે વિશિષ્ટ જ્ઞાનીઓની પંક્તિમાં આપના જ્ઞાનનું સ્થાન ક્યાં પામે છે ખરું? ત્યારે યશોવિજયજીએ કહ્યું- તે મહાન જ્ઞાનીઓની સરખામણીમાં તે મારું જ્ઞાન ટકી શકે નહિ. કયાં તે વિશિષ્ટ મહાજ્ઞાનીઓ ને જ્યાં હું અલ્પજ્ઞ! કયાં સાગર અને કયાં બિંદુ! ક્યાં સૂર્ય ને કયાં આગિય! ત્યારે યોગીએ કહ્યું કે તો આપ એ કહો કે એ અનંત જ્ઞાનીઓની આગળ કેટલી વજાઓ ફરકતી હતી? આ પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય મૌન રહ્યા. હવે તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે વખતે તેમણે પિતાની ભૂલ સુધારી દીધી યશોવિજયજીએ તે પિતાની ભૂલ , તેને સ્વીકાર કર્યો અને સુધારી પણ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy