SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર જ્ઞાન સુગ ંધ વિનાના પુષ્પ જેવું છે. આપને હવે સમજાઈ ગયું હશે કે ચારિત્ર, સદાચારના અભાવમાં ધન-સ ંપત્તિનું કોઈ મૂલ્ય નથી. જેવી રીતે ઔષધિ શરીરના રાગેાના નાશ કરે છે તે રીતે સદાચાર આત્માના રાગેને નાશ કરી તેને શુદ્ધ મનાવે છે. તેથી ચારિત્રને મહિમા મતાવતાં સૂયગડાયગ સૂત્રમાં કહ્યું છે કેઃ 666 अव पुरा विभिक्खुवो, आएसा वि भवन्ति सुव्वया । एयाइं गुणाई आहुते, कासवस्स अणुधम्मचारिणो ॥ ય. સ. અ-૨ ૭. ૩ ગાથા ૨૦ જે જિનેશ્વર ભગવાન પહેલા થઇ ગયા છે. તે ખધા સુવતી હતા. અને ભવિષ્યમાં થશે તે બધા ચારિત્રના પ્રભાવે જિનેશ્વર થશે. તે જિનેશ્વર ભગવાને સદ્દગુણ્ણાને ઉપદેશ આપ્યા. કારણ કે કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ ધર્મનું આચરણ કર્યું" હતુ. ગમે તેટલું જ્ઞાન હાય પણ નિર્મલ અને ઢ ચારિત્રના અભાવમાં જ્ઞાનનું હાવુ ન હાવુ સમાન છે. ચારિત્રના અભાવમાં જ્ઞાન મેાજા સમાન લાગે છે. જ્ઞાનની સાર્થકતા ચારિત્રની પ્રાપ્તિમાં છે. અને સાચા જ્ઞાની તેા તે છે જે પેાતાના સદ્દજ્ઞાનથી પેાતાના ચારિત્રને દૃઢ અને શુદ્ધ બનાવે છે. કાઇ માણસ જ્ઞાનને આચરણમાં ઉતાર્યા વિના સમજી લે કે કંઠસ્થ જ્ઞાનથી અમને ક્રર્માથી મુકિત મળી જશે ને અમારું કલ્યાણ થઈ જશે. તે તે માનવ ભ્રમમાં રહે છે. માટે આત્મકલ્યાણ માટે તેા સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેની આવશ્યકતા છે. પણ જ્ઞાનની સાથે અહંકાર ન હેાવા જોઇએ. કયારે પણુ અર્હંકાર આવી જાય તે ચાપૂ ધારીઓના જ્ઞાનનું સ્મરણુ કરવું. અને વિચાર કરવા કે કયાં એ મહાપુરૂષ અને કયાં હું! જો જ્ઞાનમાં અહંકાર આવે તે સમજવું કે જ્ઞાનનું અજીણુ છે. એ અજીને દૂર કરવા માટે જ્ઞાનીનું સ્મરણ કરવું તે પાવરફૂલ ઈજેકશન છે. ઉપાધ્યાય યÀવિજ્યજીનું નામ તમે સાંભળ્યું હશે ! જૈન સમાજના તેએ એક ઘણા મોટા વિદ્વાન થઈ ગયા. જૈન દર્શનની સાથે તેમણે અન્ય દર્શનાને પણ ખૂબ ઊંડા અભ્યાસ કર્યાં હતા. બાર વર્ષ સુધી કાશીમાં રહીને તેમણે અભ્યાસ કર્યા હતા. તે સમયના વિદ્વાનેામાં તેમની વિદ્વતાની છાપ સુંદર હતી. કેટલીય સભાએ માં તેમણે વાદવિવાદ્યમાં ભાગ લીધે હતા. જે સભામાં જતા સભામાંથી વિજય મેળવીને આવતા. બધેથી મળતા વિજયેની સાથે તેમને ન્યાયવિશારદની પદ્મવી પણ મળી હતી. એક વખતના પ્રસંગમાં વિદ્વાનાની સભા મળી હતી. આ સભાના મુખ્ય ધ્યેય એ હતા કે બધા વિદ્વાનેા ભેગા મળીને કાઇ શાસ્ત્ર કે તર્ક પર પેાતાના મૌલિક વિચાર રજૂ કરે. અને જનતા સમક્ષ નવા વિચારો પ્રર્શિત કરે. તેથી ખીજા પક્ષની ખોટી માન્યતાઓ દૂર થાય તે જ્ઞાનના પ્રકાશ ફેલાય. પરંતુ જ્યારે આ વાદ થાય ત્યારે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy