SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર આ માનવજીવનનું પાંદડું કયારે ખરી પડશે તેની ખબર નથી. વૃક્ષનું પાંદડું તે પીળું થઈને ખરે છે. પણ મનુષ્યના જીવનનું પાંદડું પીળું થશે કે નહિ તેની ખબર નથી. કારણ કે આજે આપણે જોઈએ છીએ ને કે વૃદ્ધ બાપ બેઠો રહે ને યુવાન દીકરો ચાલ્યા જાય છે. દરેક ને માથે કાળનું ચેક ગતિ કરી રહ્યું છે. માટે પ્રમાદને છોડી, આત્મસાધના સાધવા તત્પર બને. પણ હજુ જીવની મમતા છૂટતી નથી. સવારે પથારીમાંથી ઉઠે ત્યારથી માંડીને સાંજ સુધી એક વાત કે કેમ સુખ અને શાંતિ મેળવું! જીવે સુખ કયાં માન્યું છે? પૈસા, પત્ની, પુત્ર, બંગલા અને બગીચા આદિ ભૌતિક પદાર્થોમાં. પણ વિચાર કરો. તેમાં સાચું સુખ નથી. એ તે નકલી સુખ છે. દરિયાની રેતીમાં સૂર્યના કિરણ પડે ત્યારે તમે જે તે રેતી હીરાકણીની જેમ ચળકતી હોય છે. પણ શું એ રેતીમાં હીરાકણીઓ હોય છે? ના. એ તે ખાલી રેતી છે. તેમાં હીરાકણ નથી. તેમ એ સોનું બનાવવાની તેજંતુરી પણ નથી. છતાં ચળકાટ દેખાય છે. તેમ આ ભૌતિક સુખે દરિયાની રેતી જેવા અસાર છે. તેમાં સુખ નથી. પણ સુખાભાસ છે. છતાં જીવ સુખ માનીને તેની પાછળ દોડે છે. પાણી નહિ હોવા છતાં મૃગલે ઝાંઝવાના જળને જળ માનીને દેડે છે ને તર રહી જાય છે. તેમાં તમે જેમાં સુખ માન્યું છે તે સુખ નહિ પણ સુખાભાસ છે. જેને તમે પિતાના માને છે તે બધા દુઃખ વખતે કોઈ દુઃખમાંથી છોડાવનાર નથી. ભગવાન કહે છે “નારું તે તવ તાળા વા, સરખIણ વા, તુમ જ તેલિ નારું તાળાવા સરળTU વા.” તમને તેઓ ત્રાણ-શરણ થવાના નથી અને તેમના દુઃખ વખતે તમે પણ તેમને ત્રાણ-શરણ થવાના નથી. પૈસા મેળવવા માટે ૧૮ પાપનું સેવન કરે છે પણ યાદ રાખજો કે તેમાંથી એક રાતી પાઈ સાથે આવવાની નથી. તેને મેળવતાં બાંધેલું પાપ સાથે આવશે. એ પાપ તમને પરલોકમાં પડશે માટે વિતરાગ વાણીને હૃદયમાં ઉતારો, કંઇક સમજે. મહાન પુરૂષે કહે છે કે, જે જાણી છે જિનવાણી, તે કયાં છે હર્ષ કે હાણું, જીવનયુતિ લો જાણું, જે કરવી છે સાચી કમાણું. જે આત્મા જિનવાણીનું રહસ્ય સમજે છે તેને સંસારમાં કયાંય હર્ષ કે શેક થતો નથી. કેઈને ઘેર ખૂબ પૈસો હોય, ચાર મેટરે હોય તે જોઈને જિનવાણીમાં શ્રદ્ધા કરનારને એમ નથી થતું કે આને ઘેર આટલું સુખ ને મારે નહિ! આનું સમાજમાં આટલું બધું માન અને મારું નહિ! જિનવાણી સમજનારને આવું કંઈ ન થાય. કારણ કે, એ સમજે છે કે આ બધી કર્મની કરામત છે. કહ્યું છે કે - કરમને કેયડે અલબેલો, એ એને પામ નથી સહેલે-કમનેએક માતાના પુત્ર બે એમાં, એક ચતુર એક ઘેલો, એકને પાણું માંગે ના મળતું, બીજાને દૂધને રેલો...કરમને...
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy