SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૫૨૩ મટાડશે ને તેને સાજો કરશે તેને હું જે · માંગશે તે ઇ દઇશ. એટલે મારા રાગ મટાડવા માટે મેટા માટા કુશળ વૈદ્ય, હકીમા, ડોકટરા બધા આવ્યા. એ વૈદ્યો કાઇ સામાન્ય ન હતા. ડાકટરા પણુ રોગીના રાગ પારખવામાં નિષ્ણાત હતા. આજે તેા નદી ડોકટર કે વૈદ્ય પાસે દવા લેવા જાય ત્યારે પૂછે, કે તમને શું થાય છે? પછી એ નિદાન કરે. પણ તે સમયના વૈદા ને ડાકટરો એવા હતા કે માણુસની નાડી જોઈને પારખી લે કે આ દર્દીને કેવા રોગ છે? વૈદ્યા વૈશાસ્ત્રના જાણકાર હતા અને ડૅાકટરો શસ્ત્ર-કુશલ એટલે કે આપરેશન કરવામાં કુશળ હતા. મંત્રવાદીઓ મંત્રવિદ્યામાં કુશળ હતા. આ બધા ખડા પગે મારી સેવામાં હાજર હતા. મારા રેગની ચિકિત્સા કરતા થાકી ગયા પણ રાગ પારખી શકયા નહિ ને મારી વેઢના એક અંશ માત્ર પણ ઓછી કરી શક્યા નહિ. ત્યારે મારા મનમાં થયું કે હું આ શરીરને કારણે આવી કારમી વેદના સેગવી રહ્યો છું. હું રાજન્ ! તમે જે શરીર લેગ સેગવવાને ચેાગ્યે કહ્યું હતું તે શરીરમાં આવી ભયંકર વેદ્યના ઊપડી ને તેના કારણે હું મરી જાઉ તા સારું એવા વિચાર કરતા હતા. કારણ કે તે સમયે મને એવું જ્ઞાન ન હતુ. જડ અને ચેતનનું ભેદજ્ઞાન હાય તેને ગમે તેટલી વેદના થાય તેા પશુ તેના મનમાં સ્હેજ પણ ગ્લાનિ અવે નહિ. જેના તન અને મન અને સ્વચ્છ હોય તેને ગમે તે પરિસ્થિતિમાં આનદ્ર હાય છે. પણ એમાંથી એક પણ જો મિલન અને તે રસભર્યું જીવન નિઃરસ ખતી જાય છે. માનવીને અમર બનાવનાર જ્ઞાન છે, તે જ્ઞાન અમૃતને સાગર છે. જ્ઞાન એટલે શુ? સાચું જ્ઞાન કોને કહેવાય તે તમે જાણા છે ? શું પુસ્તકનું જ્ઞાન, સ્કૂલે કે કાલેજોમાં મળતુ જ્ઞાન એ સાચું જ્ઞાન છે ? ના'. એ તે એક જાતના સંગ્રહ છે. તમે ભેગી કરેલી વસ્તુઓની વિગતા ને માહિતી મેળવા છે. પણ હું કાણુ છું અને આ દેહું શું છે ! એ એ માટે વિચાર કરાવી શકે અને એ ખેતુ જે ભેદજ્ઞાન કરાવે તે સાચું જ્ઞાન છે. જડ અને ચૈતન્યને, સ્વ અને પરને, સત્ અને અસત્ત્ને, શાશ્વત અને અશાશ્વતને, મૃત અને અમૃતને જુદા પાડે અને જે વિવેક કરાવે તે સાચું જ્ઞાન છે. આત્માને કના ભારથી હળવા કરવા માટે ઉપરનું જ્ઞાન કામ નહિ આવે. જ્ઞાન રૂપી અમૃત સાગરમાં ડૂબકી મારીને એના તળિયે જવાનુ છે. તેમાં જેટલા ઊંડા ઊતરશે તેટલા અજ્ઞાનના પડળ ખસતા જશે ને આત્માનું ચિંતન વધતુ જશે. સાચા ઝવેરી અને – જ્ઞાનના અભાવમાં ખાટુ પણ સાચુ લાગે છે. જેટલા ચમકે તે બધા હીરા દેખાય છે કારણ કે સાચા હીરા કયા ને ખાટો હીરો કર્યો. તેનું જ્ઞાન નથી. પણ ઝવેરીની આંખ પડે ત્યાં સાચા - ખેાટાની પારખ થઇ જાય. કેમ વાલકેશ્વરના ઝવેરીએ ! વાત ખરાબર છે ને? હું તમને પૂછું છું, કે તમે આટલા વર્ષો હીરા-ઝવેરાત પારખવામાં કાઢયા પણ આત્માનુ ઝવેરાત પારખવા માટે કંઇ મહેનત કરી છે. ખશ ?
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy