SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર કદી એક ઉપવાસ પણ નહિ કરનારા અમ કરવા આવ્યા છે. તે કહેશે કે ઘરમાં કલેશ થયો છે. આવું કાયયુકત તપ કરવાથી કદી કર્મની નિર્જરા થતી નથી. કર્મોની જંજીરે તેડવાને આ અમૂલ્ય અવસર છે. આ અવસર ફરીફરીને મળવો મુશ્કેલ છે. “સુ વહુ માણસે મો” મનુષ્ય જન્મ પ્રાપ્ત થ દુર્લભ છે. મહાન પુણ્યદયે આ દુર્લભ મનુષ્ય ભવ તમને મળે છે. તો તેમાં ઉત્તમ સાધના કરીને કર્મના બંધન તેડી નાંખો. કર્મની જંજીરો તેડવા માટે વાલકેશ્વરના આંગણે ૮૫ મહોત્સવ શરૂ થયું છે. સંસારીએ તે તપ ક્ય ને પારણાં પણ થયા ને હજુ બીજી તપશ્ચર્યા ચાલી રહી છે. પણ તેમાં તેનું તપ અલૌકિક છે. તમે કે તમારા સ્નેહી કે સગાંને પારણું કરાવે છે તે કંઈક ને કંઈક ચાંલ્લો કરે છે. દાગીને કે સાડી આપતા હશે. પણ અહી અમારા મહાસતીજીને એક સોનાની લગડી કે પૈસા કે સાડી તમારે આપવાની નથી. અરે ! એક પછેડી પણ એમને લેવી નથી. એમને તે તમે કેમ વધુ આવી ઉત્તમ આરાધનામાં જોડાવ તે જોઈએ છે, અમને કલપના ન હતી કે વાલકેશ્વરને આંગણે આવો મટે તપમહોત્સવ મંડાશે. અમારે અહીં ભેગા થવું પણ મુશ્કેલ છે. અમે દેશમાં હાઈએ તે ગામ અલગ હોય-એટલે આ મહાન મહત્સવ હોય છતાં ભેગા થવાય નહિ. દૂરથી આનંદ માની લેવાનો રહે. જ્યારે અહીં તે પ્રત્યક્ષ આવી શકાય છે અને અહીં તે આ વખતે એવી ગોઠવણી થઈ છે કે વાલકેશ્વર-કાંદાવાડી અને ચીંચપોકલી ત્રણે સ્થળ ચાર માઈલની અંદર છે. એટલે અમને આવવું કલ્પી શકે છે. એટલે આજે ત્રણે સ્થાનેથી સંત–સરિતા એકત્ર બનીને વાલકેશ્વર સંઘને આંગણે ત્રિવેણી સંગમ થયું છે તેથી મને ખૂબ આનંદ થયું છે. પણ આજે હું અહીં વક્તા બનીને નથી આવ્યો પણ શ્રેતા બનીને લાભ લેવાની ઈચ્છાથી આવ્યો છું. પૂ. ગુરૂદેવની આજ્ઞાથી અમે ચાર મુનિરાજે અહીં ઉપસ્થિત થયા છીએ. આમ તે પૂ. ગુરૂદેવ પધારવાના હતા પણ તેમને આજે આઠમ ઉપવાસ છે. તે સિવાય બીજા બે સંતને પણ તપશ્ચર્યા ચાલે છે. કુદરતને કે યંગ મળી ગયું છે કે અહીંયા ત્રણ ત્રણ સતીજીની તપશ્ચર્યા ચાલુ છે ને ત્યાં પણ ત્રણ ત્રણ સંતને તપશ્ચર્યા છે. બંને જગ્યાએ સરખું છે. એ પણ પુણ્યને રાશિ ભેગે થાય ત્યારે આ સરખે યોગ મળે છે. સંતે અને સતીજીએ પોતાના કર્મોને તોડવા માટે આવું મહાન તપ કરે છે ને સાથે તમને સજાગ કરવા માટે હાકલ કરે છે, કે હે ભવ્ય જી! તમે જાગે. આપણું પરમ પિતા પ્રભુએ પણ કર્મના પહાડોને તેડવા માટે ૧૨ વર્ષ ને ૧૫ દિવસ ઉગ્ર સાધના કરી. આવી ઉગ્ર સાધનામાં પારણના દિવસે ફક્ત ૩૪૯ ને મારા ને તમારા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy