SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ત્રીજા પ્રકારના જીવા વાંસળી જેવા છે. સૂર કયારે સંભળાય ? મેઢામાં પવન ભરીને ફૂંક મારો તા વાંસળી વાગે છે. તે રીતે કંઈક જીવા એવા છે કે તેમને પુલાવે, થૈડું માન આપે। તેા ધર્મ કરે. સ ંઘના અગ્રેસરને કોઈની પાસેથી પૈસા કઢાવવા હાય તા પહેલાં અને પુલાવે છે ને પછી પૈસા કઢાવે છે. આવા જીવાને પુલાવે એટલે વધુ ધર્મારાધના કરે. તે ત્રીજા નખરના જીવા છે. ૪૫૦ ચેાથા પ્રકારના જીવા સિતાર જેવા છે. સિતારને સ્હેજ આંગળી અડે તે એમાંથી મધુર સૂરની સરગમ છૂટે. ને સિતાર સાંભળનાર સ્તબ્ધ બની જાય. તે રીતે કેટલાક જીવે એવા હાય છે કે તેને કાઇ સ્હેજ આંગળી ચીંધે કે તરત ઊભા થઈ જાય. આગળ આપણે કહી ગયા ને કે તેજીને ટકરા હાય. તેમ સિતાર જેવા જીવાને કહેવાપણું હોય નહિ. સતા પ્રાચયના ઉપદેશ આપે કે તરત ઊભા થઇ જાય. અંધુઓ ! ધ પેાતાના આત્મા માટે કરવાના છે. તેમાં વાદાવાદી કે દેખાદેખી ન હાય. આ તે દુનિયામાં કેવા કેવા પ્રકારના જીવા હાય છે તેનું વિભાજન કર્યું છે. હવે આ ચાર પ્રકારના જીવામાંથી તમારા નખર ક્યા પ્રકારમાં છે તે તમે વિચાર કરી લેજો. આજે અમારા તારણહાર, પરમ શ્રધ્ધેય, વિશ્વની વિરલ વિભૂતિ, જૈન શાસનના શિરતજ સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ, મા. બ્ર. પૂ. રત્નચંદ્રજી સાહેબની ૨૭ મી પુણ્યતિથિના પવિત્ર દિવસ છે. મહારાજ આજે એ મહાન ઉપકારી પૂ. ગુરુદેવના જીવનમાં રહેલા ગુણાનું આપણે સ્મરણ કરવાનું છે. અમારા ગુરૂદેવ જ્ઞાતિના ક્ષત્રિય હતા. તેમને-તમારી જેમ વારસાગત જૈન ધ મળ્યા ન હતા. દુનિયામાં પાણીમાં તા સૌ વહાણ ચલાવે તેની કેઇ વિશેષતા નથી. પશુ જે રેતીમાં વહાણ ચલાવે તેની વિશેષતા છે. તેમ આજે તમને પારણામાંથી જૈન ધર્મના સંસ્કારાનું સિંચન મળ્યું છે. જ્યારે પૂ. ગુરૂદેવને આવી રીતે પ્રથમથી જૈન ધર્મ મળ્યા ન હતા. પૂ. ગુરૂદેવની પવિત્ર જન્મભૂમિ સાખમતી નદીના કિનારે ખંભાત તાલુકામાં આવેલ ગલીયાણા ગામ છે. ગલીયાણામાં વસતા જેતાભાઈ ક્ષત્રિયને ત્યાં રત્નકુક્ષી માતા જયાકુંવર બહેનની કુક્ષીએ પૂજ્ય ગુરૂદેવના જન્મ થયા હતા. ખરેખર! આ દુનિયામાં રત્નને જન્મ દેનાર એ છેઃ એક પૃથ્વીમાતા અને ખીજી જન્મદાત્રી માતા. પવિત્ર માતાની રત્નકુક્ષીએ જન્મેલા રત્નની કિંમત અમૂલ્ય હાય છે, જે માતાની કૂખે પવિત્ર મહાન પુરૂષા જન્મે છે તે જીવનમાં એવા મહાન કાર્ય કરે છે કે જેની કીર્તિને કળશ દુનિયાના મસ્તકે ચઢે છે ને યુગના યુગ સુધી તેમની કીર્તિ અવિચળ રહે છે. છીપમાં જેમ અમૂલ્ય મેાતી પાકે છે તેમ જયાકુંવર માતાની કુક્ષીએ અમૂલ્ય રત્ન પાયું. છીપ કઇ મેાતીને જન્મ આપતું નથી પણ ત્રણ વસ્તુના સગમ થાય ત્યારે માતી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy