SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર અહો! હું જેને જોઉં છું? મુનિએ શ્રેણીક રાજા સામે જોયું પણ નથી. તેમની સાથે બેલ્યા પણ નથી છતાં કેવું આકર્ષણ! મુનિને જોઈને મહારાજા શ્રેણીક બધું ભાન ભૂલી ગયા. એ મુનિ સુસમાધિવંત હતા. પિતે આત્મ-સમાધિમાં લીન બનેલા હતા. ચારિત્ર નિર્મળ હતું. પોતે આત્મસાધના કરતાં હતા તે બીજાને કરાવતા હતા. સાધુ કેને કહેવાય? “સાધતિ પર નિ તિ સાધુ ” પિતાનું કલ્યાણ કરે અને પિતાને શરણે આવેલાનું કલ્યાણ કરાવે તેનું નામ સાધુ. જેઓ સૂતેલા આત્માને જગાડનાર છે, જેના ચરણમાં આપણી જીવનનૈયા ઝુકાવવાની છે તે ગુરૂ કેવા હોવા જોઈએ ને કાને સામે કિનારે લઈ જવામાં નાવિકનો મુખ્ય આધાર છે, તેમ સંસારસાગર પાર કરાવવામાં મુખ્ય આધાર ગુરૂ છે. આ જગતમાં ગુરૂઓ બે પ્રકારના છે. ' गुरवो वहवः सन्ति, शिष्यद्रव्यापहारकाः। જુવો વિરા ક્ષત્તિ, રિાણ ચિત્તોપારા કેટલાક ગુરૂઓ એવા હોય છે કે જે પિતાની વાહવાહ માટે, પોતાની નામના માટે, પિતાની જરૂરિયાત માટે પોતાના શ્રાવક-ભકત પાસે ધન ખર્ચાવનારા હોય છે. આવા ગુરૂએ આ જગતમાં ઘણાં મળશે પણ શિષ્યના ચિત્તને, શિષ્યના અંતરાત્માને ઉપકાર કરનારા, શિષ્યનું-ભકતાનું એકાંત હિત કરાવનારા ગુરૂઓ બહુ ઓછા જોવા મળશે. પિતાના ભકતોનું અને શિષ્યનું કલ્યાણ કેણ કરાવે? જેને પરિગ્રહની મમતા ન હોય તે, નાવ તરે ક્યારે? જે નાવ સુરક્ષિત-છિદ્ર વિનાની હોય અને જેમાં વધારે પડતો ભાર ન હોય તે. લેનમાં પણ જે વધારે પડતો ભાર હોય તો જિંદગી સલામત રહેતી નથી. તમે પ્લેનમાં મુસાફરી કરો છો એટલે જાણો છે ને અમુક કિલો વજન જ પ્લેનમાં લઈ જવા દે છે. વધુ વજન લઈ જવા દેતા નથી. કારણ કે તેને અધર આકાશમાં ઉડવાનું છે. વધારે પડતું વજન હોય તે ન ઉડી શકાય. બંધુઓ! પ્લેન ચલાવવું સહેલું છે પણ સંસાર સમુદ્રને તરવા માટેની નાવ ચલાવવી અઘરી છે, એમાં તે ઓછામાં ઓછો ભાર જોઈએ. નાવ ચલાવનાર નાવિક હોંશિયાર હે જોઈએ. જે નૌકાને નાવિક જાગૃત ન હોય અને એમાં જે વધુ પડતે ભર ભર્યો હોય તે નૌકા સલામત રહેતી નથી, તેમ ગુરૂ પણ એવા હોવા જોઈએ કે જે શિષ્યોનું હિત ચિંતવનાર હોય એવા ગુરૂ મળે તે શિષ્યની નૌકા તરી જાય. કરોડો રૂપિયા ભક્તો ગુરૂના ચરણે ધરી દે પણ તેના સામી દષ્ટિ પણ ન કરે. એક વખત એક શહેરમાં એક બહુરૂપી આવ્યો. એક દિવસ તે સાધુને વેશ લઈ એક કરોડપતિને ત્યાં ગયે. શેઠે તેને આવકાર આપ્યો ને એક ચટાઈ પાથરી તેને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy