SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નપ શાશ્ત્રા દર્શન ભાદરવા વદ ૧૦ ને શુક્રવાર તા. ૭-૧૦-૧૭ અનંત જ્ઞાની સČન ભગવ ંતા ભવ્ય જીવાને ભાવ નિદ્રામાંથી જાગૃત કરવા માટે ઉર્દૂધન કરતાં કહે છે કે હું ભવ્ય જીવે ! જગતમાં બધું મળશે પણ આત્મસાધના કરવાને અવસર વારંવાર નહિ મળે, આ જીવે અનંતા કાળ પ્રમાદમાં વીતાવ્યા. પ્રમાદ એ જીવનુ પતન કરાવનાર છે. પ્રમાદ કોને કહેવાય તે જાણા છે ને ? મદ વિસય કષાયા, નિ વિકહા ય પંચમી ભણીયા ! એએ પંચ પમાયા, જીવા પાડતિ સ ંસારે ॥ મન્નુ—અભિમાન, પાંચ ઇન્દ્રિયના વિષયેા, ક્રોધ, માન, માયા, લાભ વિગેરે કષાયા, નિદ્રા અને ચાર વિકથા આ બધામાં રસ લેવા તે પ્રમાદ છે. આ પ્રમાદ જીવને ચતુર્ગાંતિ સ'સારમાં રઝળાવનાર છે છતાં તેમાં જીવને કેટલે બધા રસ છે! પ્રમાદી જીવ સંસારમાં પણ સુખી થઈ શકતા નથી. જો ભવના ફેરા ટાળવા હોય તેા પ્રમાદ છેડો ને વીતરાગ વચનામૃતનું પાન કરો. વીતરાગ વચન એ ભવરોગને નાબૂદ કરવાની અમૂલ્ય ઔષધિ છે. જીવના મહાન પુણ્યના ઉદય હાય ત્યારે વીતરાગનુ શાસન મળે. એથી અધિક પુણ્યના ઉદય હાય તે સતાના દર્શન થાય, અને એથી અધિક પુણ્યના ઉદય હાય તે વીતરાગ વાણી સાંભળવા મળે. તમને આ બધું મળ્યું છે તે હવે વિચાર કરા, તમે કેવા પુણ્યવાન છે ! બધી સામગ્રી મળવા છતાં જો તેને ઉપયેગ ન કરે તે તે પ્રમાદી કહેવાય ને ? શરીરમાં રાગ થાય એટલે ડોકટર પાસે જાઓ છે. ડોકટર દવા આપે પણુ દી દવા ન પીવે તે રોગ મટે ? · ના.’ આપણે પણ ભવના દદી છીએ. વીતરાગ ભગવતે આ ભવરોગ નાબૂદ કરવા માટે આપણને અમૂલ્ય ઔષધિ આપી છે પણ આપણે તેનું પાન ન કરીએ ભગવાનની આજ્ઞા મુજબ આચરણ ન કરીએ તેા ભવરાગ મટશે ખરા ? ના. તે પ્રમાદ છેડી આત્મા તરફ વળે. એક પ્રમાદી માણસ જાંબુડાના વૃક્ષ નીચે સૂતા હતા. એને કકડીને ભૂખ લાગી હતી. જાંબુના ઝાડ ઉપર લુબેને ઝુંબે જાંબુડા હતા. પવનથી ખરીને ઘણાં જા ંબુડા ભોંય પડેલા, પશુ પેલા પ્રમાદી બેઠો થઈ ને જાબુડા વીણતા નથી, માઢામાં મૂકતા નથી અને મેઢેથી એલ્યા કરે છે કે મને બહુ ભૂખ લાગી છે, જે કાઈ ત્યાંથી નીકળે તેને કહેતા કે હુ બહુ ભૂખ્યો છું મને કોઈ ખાવાનું આપે.. એક માણુસ ઉંટ ઉપર બેસીને ત્યાંથી નીકળ્યા. પેલા પ્રમાદી માણસ હાથ લાંબા કરીને સૂતા સૂતા તેને કહે છે અહીં આવે. ત્યારે ટવાળા માણુસના મનમાં થયું કે આ ખિચારો બિમાર પડચો લાગે છે, તેનાથી ઉઠાતું નથી તેથી મને ખેલાવે છે. તે લાવ ત્યાં જાઉ', એમ વિચાર કરીને તેની પાસે આવ્યે ને પૂછ્યું. કેમ ભાઈ ! શુ છે ? ત્યારે કહે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy