SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ચારદા દ'ન ૧૯૭ એ સંઘાડા દ્વારિકા નગરીમાં ગૌચરી કરતાં કરતાં વસુદેવ મહારાજાની રાણી દેવકીજીના મહેલે પધાર્યાં. એ સંઘાડે ચાર મુનિએ વહેારીને ગયાં ને દેવકીરાણી બેઠા છે ત્યાં " तयानंतर च णं तच्चे संघाडप बारावईप नयरीए उच्चनीप जाव पडिलामेइ " ત્રીજે સંઘાડે એ મુનિએ પણ ઉચ,નીચ અને મધ્યમકુળોમાં ગૌચરી કરતાં કરતાં દેવકીજીના મહેલે પધાર્યા. આ જોઈ ને દેવકીરાણીના દિલમાં અનેરો આન' થયા. અહો ! આજે હું તેા મહાન પાવન ખની ગઈ. મને ત્રીજી વખત સુપાત્રે દાન દેવાનો અવસર મળ્યેા. તમને પણ આવે અવસર મળે તેા ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય માના ને ? ભાગ્યવાન માણસને ગમે ત્યાંથી લાભ મળી જાય છે. અને કંઈક જીવા બિચારા દાન દેવા તલસતા હાય પણ તેને લાભ મળતા નથી આ તે દાનની વાત છે પણ તમારે ધન કમાવા માટે પણ આવું જ બને છે ને ? પુણ્યવાન મનુષ્યા થાડો પ્રયત્ન કરે ને ધનના ઢગલા થાય છે ને પુણ્ય વિનાના માણસા ધન કમાવા માટે કેટલા પુરૂષાર્થ કરે છે! ભૂખ–તરસ વેઠે છે. કાળી મજુરી કરે છે છતાં માંડ પેટ ભરે છે. આવું જોઈને તમે કહેા છે ને કે “ ભાગ્યશાળીને ભૂત રળે ને અકરમીના પડીયા કાણાં.” આ કહેવત ઉપર એક દૃષ્ટાંત યાદ આવે છે. એક ગામમાં એક શેઠ વસતા હતા. એના પુષ્ચાર્યે તેને મન તે વારસામાં મળ્યું હતું ને સાથે ધમ પણ મળ્યેા હતેા. એને એવા નિયમ હતા કે દરરાજ સવારમાં ઉઠીને સામાયિક પ્રતિક્રમણુ કરવું, નવકારશી કરવી પછી ગામમાં સંત સતીજી બિરાજતાં હોય તેા તેમનાં દર્શન કરવા, વ્યાખ્યાન વાણી સાંભળવી પછી વહેપાર ધંધાનું કામ કરવું, અને વહેપારમાં જે કમાણી થાય તેમાંથી ચાથે ભાગ દર મહિને ધર્મના કાર્યમાં વાપરી નાંખવા. આવા શેઠ જમવા બેસે ત્યારે ભાવના ભાવે જો સુપાત્ર દાન દેવાનો સમય મળી જાય તેા દાન દે. સતના ચાગ ન મળે તે કાઇ સ્વધર્મી દુઃખી બધુને જમાડતા. એ પણ ન મળે તે કોઈ ગરીબને આપીને પછી પાતે જમતા. શેઠે આવા ધર્મીષ્ઠ હતાં. એમની ભાવના એક જ હતી કે મને જે કંઈ મળ્યુ છે તે ધમના પ્રતાપે મળ્યુ છે. તે ધમના વાપરવુ! કાર્ય માં શા માટે ન દાનવીર શેઠ સામે દીકરાઓના વિરોધ : શેઠ દાન પુણ્ય બધું કરે તે એમના છેકરાઓને ગમે નહિ. એટલે શેઠને કહે છે માપુજી! આપણા ગામમાં આટલા ખધા શ્રીમતા છે પણ એ કંઈ તમારી જેમ પૈસા ધર્મોઢામાં વાપરતાં નથી ને તમે તા બધું ઉડાવે જ રાખા છે. શેઠ કહે હું દીકરાઓ ! બધાને સારા કાર્યમાં રસ ના હાય, ખાપને ચાર પુત્રો હોય તેમાં અવિનીત પુત્ર ખાપની સેવા ન કરે તે શુ' વિનીત પુત્ર હાય તે ન કરે ? આપણે સારું કાય કરવું હોય તેા ન કરનારની
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy