SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શારદા દર્શન સામે ન જેવું. દીકરાઓ કહે છે પણ એમ ખરચ્યા કરશે તે તિજોરી તળિયાઝાટક થઈ જશે. શેઠે કહ્યું-પુત્રો ! તમે જરા સમજે. તિજોરી ભરાવનાર કેણ છે? પૂર્વે સુકૃત્ય કરીને પુણ્ય ઉપાર્જન કર્યું છે તેના પ્રતાપે તિજોરી ભરેલી છે. અને જે ધન ધર્મના કાર્યમાં વપરાય છે તેનાથી મહાન પુણ્ય બંધાય છે, ને આપ્યા કરતાં બમણું મળી રહે છે. ભારેમ છોકરાઓને પિતાની આ વાત ગળે ઉતરતી નહિ. તથી અંદર અંદર કચવાટ કર્યા કરે છે. ત્યારે શેઠાણું કહે છે બેટા! તમે તમારા પિતાજીને આમ શા માટે કર્યા કરો છો ? એ કમાયા છે ને વાપરે છે તેમાં ખોટું શું છે? ત્યારે છોકરાઓ ગુસ્સે થઈને કહે છે એ કંઈ ચાલશે નહિ. તમારે તમારું વાયુ કરવું હોય તે ઘર છોડીને ચાલ્યા જાઓ. શેઠ-શેઠાણી કહે – ભલે, તમે ઘરમાં સુખેથી રહો. અમે ચાલ્યા જઈશું. મની ખાતર સંકટ વેડવા તૈયાર થયેલા શેઠ શેઠાણું”: શેઠ શેઠાણી ઘર છોડીને ચાલ્યા ગયા. ગામને છેડે નાનકડું ઘર લઈ ને હા. શેઠ શેઠાણીએ ઘર છેડયું પણ ધર્મ ન છે. જુઓ, એક ધમે સારા રાવવાની ખાતર કેટલું છાયું ? નાનકડા ઘરમાં આતી રડવા લાગ્યા. પણ પેટને માટે કઈક તો કરવું પડે ને ? એટલે શેઠ મીઠ, મરચું, હળદર, ધાણાજીરું વિગેરે જે ના વિગેરે શેડો થડો મસાલો ખરીદી એક થેલામાં ભરી કરી કરીને મસાલો વેચવા લાગ્યા. તે જે મળે તેમાંથી ગુજરાન ચલાવે છે. પણ તેમાંથી ચોરી ભાગ દાનમાં વાપરે છે. રોજ નવા નવા ભજન જમવાને બદલે લખો રોટલો ને દાળ ખાય છે. બંગલાને બદલે ભાંગ્યાતૂટયા ઘરમાં રહે છે, સાદા કપડાં પહેરવા મળે છે તેના મનમાં જરા પણ ખેદ નથી. બધું ભલે ગયું પણ ધર્મ કરાય છે ને પિતાના નિયમોનું પાલન થાય છે તેનો અનેરો આનંદ છે. હવે શેઠ જે મકાનમાં રહે છે તેની બાજુમાં એક મેટું વડલાનું વૃક્ષ ઉછે. તેના ઉપર એક વાણવ્યંતર દેવને વાસ હતું. આ શેઠની ધર્મભાવના, દાન દેવાના ભાવના જોઈને વાણવ્યંતર દેવના મનમાં થતું કે ગરીબાઈમાં પણ કેટલી ઉદાર ભાવના છે ! છતાં તેની પરીક્ષા કરું. હવે શેઠ મસાલે વેચવા જાય ત્યાં તેને મસાલા વેચવા દે નહિ. માંડ ચાર આના મળે. છતાં શેઠ એક આનો અવશ્ય દાનમાં વાપરે, અને જ્યારે બે જ પૈસા મળે ત્યારે પોતે ભખ્યા રહેતા ને બે પૈસા દાનમાં વાપરી નાંખતા. ત્રણ દિવસ બે પૈસા મળ્યા છે તે પૈસા દાનમાં વાપરી પિતે અઠ્ઠમ કર્યો. પણ એ વિચાર ન કર્યો કે બે પૈસા મળ્યા છે તે દાન નથી દેવું. ચણા મમરા લાવીને ખાઈ લઈએ. આવી રીતે શેઠને અઠ્ઠમ થયો છતાં મનની ખૂબ પ્રસન્નતા ને ઉદારતા જોઈને દેવના દિલમાં થયું કે આ ધમષ્ઠ માણસ દુઃખી ના રહે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy