________________
સ્વ. છગનલાલ શામજીભાઈ વિરાણી
જેમના દાનઃવડેઃ જૈન તથા જૈનેત્તર સમાજની, જનકલ્યાણની તથા માનવતાની અનેકવિધ પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું છે તેઓ રાજકેટની અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તથા ટ્રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રના ઘણાં સ્થળાએ ઉપાશ્રય વિરાણી હાઈસ્કૂલ, વિરાણી કન્યા વિદ્યાલય, મુંગા-બહેરાની શાળા જેવી અનેક સંસ્થાઓમાં મેટુ દાન આપ્યું છે. પોતે ઘણાં દયાળુ, ધાર્મિક વૃત્તિવાળા અને પ્રેમાળ હતા.