SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ નિક્ષેપ મંત્ર ગઈ કાલથી નિક્ષેપેાના સંબંધમાં વિવેચન ચાલી રહ્યું છે. વિષય જરા ગંભીર છે પરંતુ સમજવા જેવા છે. લઘીશ્રયમાં તે સ્પષ્ટ ઉલ્લેખ છે કેઃ 'अप्रस्तुतार्थापाकरणात् प्रस्तुतार्थव्याकरणाच्च निक्षेपः फलवान् ||' થાય. માટે અપ્રસ્તુત-અપ્રાસંગિક અ”નું નિરાકરણ અને પ્રસ્તુત-પ્રાસંગિક અંનું નિરૂપણુ નિક્ષેપમાં થઈ જાય છે એ જ તેની સાકતા છે. દરેક શબ્દના કેટલા અર્થા સભવે છે અને કયાં કયા અથ ઇષ્ટ છે, એ નિક્ષેપેાના જ્ઞાન વગર સમજાય નહિ અને અનર્થોપત્તિ પણ પ્રાપ્ત નિક્ષેપોની યથાર્થ સમજણુ આવશ્યક છે. આ વિષય ગભીર છે એમાં કોઈ શંકા નથી. છતાં હું મારી રીતે એને સરળ અને રચક બનાવવા પ્રયત્ન કરીશ. પણ તેથી વિષયની ગંભીરતા તમારે જરાયે ઓછી આંકવાની નથી. વિષય ગંભીર છે, છતાં તેને ધ્યાનપૂર્વક સાંભળવા અને સમજવા તમે સૌ ઉત્સુક છે એમ માનીને જ હું આગળ ચાલું છું. ગઇ કાલે દ્રવ્યનિક્ષેપના, આગમ દ્રવ્યનિક્ષેપ અને ના આગમ દ્રનિક્ષેપ એ એ મૂળ ભેદ ખતાવ્યા હતા. તેમાંથી આગમ દ્રવ્યનિક્ષેપનુ. વિવેચન સંક્ષેપમાં ગઈ કાલે કર્યુ હતું. આજે તેના ખીજા ભેદ, ના આગમ દ્રવ્યનિક્ષેપની વાત કરીએ. જ્ઞાન (જ્ઞાતા)ને છેાડીને કોઈ પણ વસ્તુની પૂર્વોત્તર અવસ્થા અથવા તેનાથી સખધ રાખનારી કોઈ અન્ય વસ્તુને તે વસ્તુના નામથી કહેવું તે ના આગમ દ્રવ્યનિક્ષેપ છે. એના પણ ત્રણ ભેદો છે–નાયકશરીર, ભાવિ અને તદૃશ્યતિરિકત. સાયકેશી૨ : આગમ દ્રવ્યનિક્ષેપથી વસ્તુના જ્ઞાતાને વસ્તુના નામથી ઓળખાવીએ છીએ. પરંતુ નેઆગમ દ્રવ્યનિક્ષેપથી વસ્તુના જ્ઞાતાના શરીરને પણ તે વસ્તુના નામથી એળખાવીએ છીએ. જેમકે, ચાણકય જેવા રાજનીતિશાસ્ત્રમાં પરમ કુશળ માણસના દિવંગત થઈ જતાં તેનાં મૃત શરીરને ખાળવામાં આવતાં કહેવુ` કે, આજે રાજનીતિ મરી ગઇ ! આ વાકયમાં રાજનીતિજ્ઞનાં મૃત શરીરને પણ રાજનીતિનું નામ આપવામાં આવ્યું. જ્ઞાયકે શરીરના ત્રણ ભેદ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન વર્તમાન સાયક શરીરનુ દૃષ્ટાંત તે ઉપર બતાવવામાં આવેલ છે. ભૂત શરીરના પણ ત્રણ ભેદ કરવામાં આવ્યા છે. ત્યક્ત, ચ્યુત, ચ્યાવિત. શરીર છૂટે તે પૂર્વે સ્વય’ શરીરના ત્યાગ કરે અથવા મમત્વ છોડી સન્યાસ ધારણ કર્યો પછી છૂટી જનારૂ શરીર ત્યક્ત છે. સમય પર આયુષ્ય પૂર્ણ થતાં જે શરીર છૂટે છે તે શ્રુત કહેવાય છે. વિષભક્ષણાદિ વડે અકાળ મૃત્યુથી જે શરીર છૂટે છે તે ચ્યાવિત છે. ભૂત અને ભવિષ્યના સંબંધ પરલેાકથી છે. જ્ઞાતા ત્રૈકાલિક છે અને અમર છે. તેને સબંધ અનેક શરીર સાથે હાય છે એટલે નાયક શરીરના ત્રણ ભેદ કરવામાં આવ્યા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy