SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર છે. જો કે વર્તમાનને સંબંધ ભાવનિક્ષેપથી છે. પરંતુ વર્તમાન જ્ઞાયક શરીરમાં જ્ઞાતાને જ્ઞાને પગ વર્તમાન નથી એટલે ત્યાં દ્રવ્યનિક્ષેપ જ માનવામાં આવેલ છે. વસ્તુના ઉપાદાન કારણને વસ્તુના નામથી ઓળખાવવું તે ભાવિ આગમ દ્રવ્ય નિક્ષેપ છે. આમાં વસ્તુના જ્ઞાતાનું શરીર નહિ પરંતુ વસ્તુનું ઉપાદાન કારણ પકડવામાં આવે છે. જેમકે, રાજાનું ઉપાદાન યુવરાજ છે. વસ્તુથી સંબંધ રાખનાર અન્ય કે પદાર્થને તે વસ્તુના નામથી કહેવું તે તદ્દ વ્યતિરિકત ના આગમ દ્રવ્યનિક્ષેપ છે. જેમકે, રાજાના શરીર (મૃત અથવા જીવિત)ને રાજા કહેવું. તમે કહેશે કે, તદ્દવ્યતિરિકત નાઆગમ દ્રવ્યનિક્ષેપ તે જ્ઞાયક શરીરમાં સમાવિષ્ટ થઈ શકે એમ છે તે તેને પૃથક ભેદ તરીકે કહેવાની શી જરૂર છે? આ પ્રશ્ન ઉપરથી જોતાં બરાબર લાગે છે. પરંતુ જ્ઞાયક શરીર અને ત૬વ્યતિરિત આગમ દ્રનિક્ષેપમાં પાયાને સૂમ ભેદ છે. તે તમારા ખ્યાલમાં નથી આવ્યું એટલે તમને આવી શંકા થાય છે. યાદ રાખજો જ્ઞાયક શરીરમાં જ્ઞાતાનું શરીર વિવક્ષિત છે. એટલે જ્ઞાયક શરીર નિક્ષેપથી રાજાના જ્ઞાતા શરીરને રાજા કહેવાય છે, ત્યારે વ્યતિરિકતથી તે સ્વયં સજાના શરીરને જ રાજા કહેવાય છે. જીવ દ્રવ્યના વિચારમાં જ્યારે આ નિક્ષેપ જોડવામાં આવે છે ત્યારે વ્યતિરિકતના કર્મ અને કર્મ એવા બે ભેદો થાય છે. આ ભેદને અનુલક્ષી ત્યાં વિચાર કરાય છે. . કદાચ તમે કહો કે ઘટને તે શરીર હેતું નથી. તે પછી તવ્યનિરિકતથી ઘટ કેને કહેશે? આવા પ્રસંગમાં ઘટના અન્ય નિમિત્તે કારણે અથવા સંબંધીઓને ઘટ કહીશું. જેમ કેઈ કુંભાર કહે કે “અહીં ઘડે નથી–તે તેના ઉત્તરમાં કહી શકાય કે “તમે પિતે જ ઘટ છે. અહીં ઘટનું નિમિત્ત કારણ કુંભાર છે એટલે તેને જ ઘટ કહી નાખે. આ જ રીતે ઘટના બીજા નિમિત્ત જેવાં કે દંડ, ચક્ર, ચીવર આદિને પણ ઘટ કહી શકાય છે. તમે પૂછશે કે, શું દ્રવ્યનિક્ષેપના બધા ભેદ બધા શબ્દો સાથે લાગી શકે છે? આના જવાબમાં કહેવાનું કે જીવ, પુદ્ગલ, આકાશ આદિ દ્રવ્યવાચી શબ્દ સાથે ભાવિ આગમ ભેદ ઘટી શકે નહિ. કારણ, આ બધા દ્રવ્ય અનાદિ અનંત છે.• ભાવિ ને આગમ નિક્ષેપ ઉપાદાન કારણમાં કરાય છે. પરંતુ જે અનાદિ હોય તેનું ઉપાદાન કારણ વળી શું? હાં, મનુષ્ય આદિ જીવની વિશિષ્ટ અવસ્થાઓમાં તે ઘટી શકે છે. કારણ છવદ્રવ્ય અનાદિ છે. પરંતુ તેની મનુષ્યાદિ વિવિધ અવસ્થાએ અનાદિ નથી, પરંતુ સાદિ છે. જે અનાદિ હોય ત્યાં જ ભાવિ આગમ ભેદ ન ઘટે. અવસ્થાએ અનાદિ નથી પરંતુ સાદિ છે. એટલે ત્યાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy