SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ સહસ્રધા સાધના : ૨૮૯ પુખ્ય ત્તિ મારતે જ્ઞમ-આ ઋષિપ્રધાન અને ધમ પ્રધાન ભૂમિમાં જન્મેપલબ્ધિ એ પણ એક પરમ પુણ્યની નિશાની ગણાય છે. પરંતુ આવા અધ્યાત્મમૂલક પવિત્ર દેશમાં આપણા જન્મ થયા હેાવા છતાં, જે આધ્યાત્મિક, પવિત્ર અને હિતકર સંસ્કૃતિની એક સુંદર, પ્રભાવક અસર આપણા માનસ ઉપર હાવી જોઇએ તે જોવા મળતી નથી. પરિણામ એ આવ્યું કે, મદિરા અને ઉપાશ્રયામાં જ્યાં ભગવદ્ ભકિત અને ભગવદ્ વાણી સાંભળવાના લેાકેાત્તર અવસર મળે છે ત્યાં આંખા ઊંઘથી ઘેરાઈ જાય છે અને જ્યાં પથારી પર જઇને સૂઇ જવાને પ્રયાસ કરીએ ત્યાં મન ચિંતા અને વિચારોના ચકકરમાં સપડાઈ જાય છે. પરિણામે ઊંઘ આવવાને બદલે તે ભાગી જાય છે અને વિશ્રાંતિ મળવાને બદલે ઉજાગરાના શ્રમ લાગે છે. એકાગ્રતાની સાધના વગર ચિત્તની વૃત્તિએમાં આવી જ વિસંગતિ કે વિસંવાદિતા સ્વાભાવિક રીતે જ આવી જાય છે. ધ્યાનમાં કે પ્રાથનામાં આંખા અધી ઉઘાડી રાખવાની જે ધારણા છે તેની પાછળ પણ ઘણા અનુભૂત સત્યાનુ` મ` છે. આંખા મીંચી પ્રાથના કરવા જતાં ઊંઘ આવી જવાના ભય રહેવાના જ. મનની સાધના વગર મીંચાએલી આંખા, ઇશ્વરના દરબારના દર્શન કરવાને બદલે, તમેગુણ પ્રધાન નિદ્રાદેવીના શરણમાં પહેાંચી જવાની. નિદ્રા સાથેના સાતત્યને લઇ મીંચાએલી આખા પ્રાથનામાં પ્રભુનાં દર્શન કરવાને બદલે નિદ્રાના સુખમાં તન્મય બની જવાની. કારણ તેને પરમાત્માને તેા કશા જ અનુભવ નથી, પરમાત્માપલબ્ધિની તેની સાધના નથી, સ્વની પ્રાપ્તિની કશી જ તપશ્ચર્યા નથી અને જે સુખને તેને અનુભવ છે તે તે માત્ર ઊંઘના જ સુખના અનુભવ છે. તમેાગુણના આનંદ સાથે તાદાત્મ્ય સાધવા દેવાએલી તેની આંખા પરમાત્મા તરફ કેમ આકર્ષાઇ શકે ? વળી જો તે જોર કરીને ખુલ્લી રાખશે તેા પણ તેની નજર તા ચારેકોર ફર્યાં જ કરવાની, તે ભાગ્યે જ કયાંય સ્થિર થવાની. એટલે ખુલ્લી રાખવામાં આવતી આંખા સદા રોગુણ તરફ્ ઘસડાઈ જવાની એક ભીતિ હાય છે. આ બંને તમેગુણુ અને રજોગુણના ભયસ્થાનામાંથી ખચી જવા માટે અનુભવીએએ આંખાની વચલી સ્થિતિ એટલે કે અધી ઊઘાડી રાખવાની હિમાયત કરી છે, પલાંઠી કે આસન વાળી બેસવાથી કોઇ હેતુ સરવાના નથી. મનની શુદ્ધિ એ જ એક અમેઘ ઉપાય છે. બહારની વસ્તુનું આકષણ અને ચિંતન છૂટી જાય એ જ પરમાત્મેપલબ્ધિના એક માત્ર સરળ માર્ગ છે. દેવતાએ અસખ્ય વર્ષાના મેાટા આયુષ્યમાં પણ જે નથી મેળવી શકતા, તે માણસ આ નાનકડી આવરદામાં મેળવી શકે છે એ માણસનું પરમ સૌભાગ્ય છે. પરમાત્મભાવના અનુભવ મનુષ્ય સિવાય કોઇ ચેાનિમાં શકય નથી. આ સત્ય જો માણસના હૃદયમાં જોડાઈ જાય, કોતરાઇ જાય, તેા તે નરમાંથી નારાયણ બનવાના. અન્યથા માણુસ નરમાંથી વાનર જ થવાને. સામાન્યતયા બધા મનુષ્યની આકૃતિ સમાન જ હોય છે. દરેકને બે આંખા, એ આંખેા વચ્ચે નાક, તેમજ બ ંને બાજુએ એક એક કાન હાય છે. છતાં એક માણસ દેવ જેવે જણાય, તેનું સાંનિધ્ય
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy