SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ જન્માષ્ટમી પ આજે શ્રીકૃષ્ણના જન્મ દિવસ છે. શ્રીકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના સ ́રક્ષક છે, એટલુ જ નહિ પણ પ્રત્યેક ભારતીના હૃદયમાં તેમનુ આગવુ અને સન્માનભર્યું સર્વોચ્ચ સ્થાન છે. એટલે કૃષ્ણના આદર્શ વ્યક્તિત્વની પ્રતીતિ રૂપે આજે હિન્દુ સમાજમાં તેમની જયંતિ ભારે ધૂમધામ અને ઉલ્લાસથી ઊજવાઈ રહી છે. કૃષ્ણ શબ્દના એક અથ આકર્ષિત કરવું એવા થાય છે. આકર્ષિત કરવું એટલે ખેચવુ. ખેંચવાની જેનામાં ક્ષમતા હેાય તે કૃષ્ણ ! જેના તરફ બધી વસ્તુ આપોઆપ ખેંચાય તે ચુંબક શ્રીકૃષ્ણ પણ હિન્દુસમાજના એવાજ એક વિશિષ્ટ શકિત ધરાવતા શિક્તશાળી ચુંબક હતા. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ અલૌકિક અને અદ્ભુત છે. એટલે આજે આપણે એમના વિષે અધ્યાત્મમૂલક ચર્ચા વિચારણા કરવી છે. હિન્દુ ધર્મમાં એમને વિષ્ણુના અવતાર તરીકે માનવામાં આવે છે. એમાં પણ થાડેઘણે અંશે અસામંજસ્ય ઊભુ` છે. ઘણાનું માનવું છે કે, ગીતાના ગાયક કૃષ્ણ અને શ્રીમદ્ ભાગવતના કૃષ્ણ એક હોઈ શકે નહિ. અને વચ્ચે કોઇ સીધા ઘનિષ્ટ સંબંધ નથી. બંનેમાં એકદમ પાČકય દૃષ્ટિગોચર થાય છે, માત્ર પાકય જ ષ્ટિગોચર થતું નથી, બંને જુદી જુદી દિશાની જુદી જુદી વ્યક્તિઓ હાય તેમ જણાય છે. બ ંનેનુ બિ ંદુ પણ જુદુ' જુદુ દેખાય છે. આ બંને વચ્ચે એકરૂપતા સાધવાના આપણા પ્રયાસ નથી. કદાચ આપણું મન તે માટે તૈયાર પણ ન હેાય. તેનાં કારણેા બહુ સબળ અને સ્પષ્ટ છે. ગીતાના કૃષ્ણે ધીર, ગંભીર અને આધ્યાત્મિક જ્ઞાનનાં શિખરે પહેાંચેલા જણાય છે; જ્યારે ભાગવતના કૃષ્ણ કનૈયાને કશી જ જવાબદારી કે ગંભીરતાના ખ્યાલ નથી. આ રીતે શ્રીકૃષ્ણને, એ કૃષ્ણના અલગ અલગ રૂપમાં જોવાનું આપણને મન થશે. આપણે કહીશું કે શ્રીકૃષ્ણ એક હોવા છતાં તેમનું વ્યકિતત્વ એ ભાગોમાં વિભાજીત છે. કૃષ્ણ કયારેક એક જાતની વાત કરે છે તો કયારેક બીજી જાતની વાત કરે છે. એક જ વ્યકિતમાં એ પૃથક્ પૃથક્ વ્યકિતત્વ કામ કરી રહ્યું છે. ઇતિહાસન્ન પ્રકાંડ પ`ડિતને પૂછીશું, તે તે કહેશે કે એક માણસ અનેકની વૃત્તિ અને કાર્યક્ષમતા ધરાવે એ અશકય છે. એક જ માણસ જુદા જુદા ઘણા માણસા જેવા હાઈ શકે તે માની શકાય તેવુ નથી. તે ખેલી ઊઠશે કે ગીતાના મહાયોગી કૃષ્ણ કેવા અને ભાગવતના રાસવિહારી રસિક લીલાધર કૃષ્ણ કેવા ? મને એક હાઇ શકે નહિ. આ બધું સત્ય હોવા છતાં કૃષ્ણનાં વ્યક્તિત્વને વિભાજીત કરી, ખાળ કૃષ્ણ, યુવા કૃષ્ણ, દ્વારિકાધીશ કૃષ્ણ અને ગીતાના રચિયતા મહાન ચેગી કૃષ્ણનાં એક અને અખંડ સ્વરૂપ પ્રત્યે જો ઉઢાસીનતા કેળવીશું તે સચ્ચિદાનંદ, બંસીધર, હસતા, ગાતા, નાચતા અને ગોપાલે સાથે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy