SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ-ઉત્થાનને પાયા (૭) સમ્યગ્દર્શન એટલે શું ? સમ્યગ્દર્શન એટલે આત્મસાક્ષાત્કાર. વ્યક્તપણે આત્માનું સ્વસંવેદન. ઈન્દ્રિય અને મનથી, જે પરલય થાય છે, તેને ફેરવીને મતિજ્ઞાન સવ (Soul) માં એકાગ્ર કરતાં આત્માને પ્રત્યક્ષ અનુભવાય છે તે પ્રગટ અનુભવનારને સમ્યગ્દર્શની અને સમ્યજ્ઞાની કહેવાય છે. (૮) સૌથી મોટે રાગ કયે? દેહમાં આત્મબ્રાંતિ, (૯) જીવ શાથી હેરાન થાય છે? આત્માના અજ્ઞાનથી. (૧૦) સંસારમાં જીવને દુલભ શું? અને અપૂર્વ શું? ત્રસ પણ, પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું, મનુષ્યપણું, ઉત્તમ જાતિ-કુળ, પંચેન્દ્રિય પૂર્ણતા, દીર્ધાયુ અને સાચા દેવગુરુ આ બધું દુર્લભ છતાં પૂર્વે મળ્યું છે. પછી આત્મરૂચિ કરી સમ્યગ્દર્શન પ્રગટાવવું તે દુર્લભ અને અપૂર્વ છે. મુનિ પણું અને કેવળજ્ઞાન સૌથી દુર્લભ છે. (૧૧) સુગુરુ કોને કહેવાય? જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ગુણેમાં જે મોટા તે સુગુરુ. ગુહાત્માના ઉપદેશ વડે તેઓ ઉપકાર કરે છે. (૧૨) સાચું જૈનત્વ એટલે શું? સાચું જૈનત્વ એટલે સમભાવ અથવા સમદષ્ટિસત્યદષ્ટિ. સમભાવ એટલે અહિંસા અને સત્યદષ્ટિ એટલે અનેકાંત. અહિંસા આચારને નિર્મળ બનાવે છે. અનેકાંત વિચારને વિશુદ્ધ અને વિશાળ કરે છે. (૧૩) શાસ્ત્ર એટલે શું? શાસન કરી, સમજાવી, બીજાને બચાવે તે શાસ્ત્ર ! અને હણીને બીજી બીજાને બચાવવાની શક્તિ તે શા ! (૧) કઈ ચીજ એવી છે, કે જે વયે જાય છે ? તૃણા. (૧૫) કઈ ચીજ એવી છે, કે જે ઓછી થતી જાય છે? આયુષ્ય (૧૬) કઈ ચીજ એવી છે, કે જે વધતી-ઘટતી નથી ? સંસાર. (૧૭) કઈ ચીજ એવી છે, કે જેમાં વધ-ઘટ થાય છે? મોહ. (૧૮) શુદ્ધાત્માને જાણવાની રીત કઈ? પોતાના સ્વાનુભવ વડે તે જણાય છે. (૧૯) તજવા જેવી વસ્તુઓ કઈ ? જીવને અધોગતિમાં નાંખનાર કનક અને કામિની. (૨૦) બંધાયેલે કે? પાંચ વિષમાં આસકિતવાળો જીવ. (૨૧) છૂટેલે કોણ? જેને વિષયે પ્રત્યે વૈરાગ્ય આવેલ છે, તે. (૨૨) ઘર નરક કઈ? પિતાને જ દેહ, જો એ હમાયેલ ન હોય તે. (૨૩) સ્વર્ગાપવર્ગનું પગથિયું કર્યુ? સર્વ તૃષ્ણાઓને સમૂળ-ય. (૨૪) જીવની સ્વાભાવિક ગતિ ઉ4, છતાં સંસાર-અવસ્થામાં તિ" કે અધોગમન થાય છે, તે શાથી? કર્મ દ્રવ્યની અસરને લીધે જ તેમ થાય છે. (૨૫) સ હ વેર વિખેર થઈને, અલકમાં ફેંકાઈ જતાં કેમ નથી ? એમાં કારણ તરીકે, ધર્મ-અધમ દ્રવ્યની અસર છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy