SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાદનુ મહત્ત્વ ખરા સ્વાદનું આસ્વાદન કરનારા બની જાય છે અને જગતમાં એમનું સ્થાન ‘અજેય’ ખની જાય છે ૪૨૯ જો સ્યાદ્વાદને જીવનમાં ઉતાર્યો સિવાય કે ઉતારવાની દરકાર રાખ્યા સિવાય માત્ર તેનું વર્ણન કરવામાં જ આપણે શૂરવીર હોઇએ તે આપણે નટ કરતાં ઊતરતા ગણાઈ એ. કારણ કે નટ તેા પેાતાની ભૂમિકામાં રહીને પેાતાના પાઠ ભજવે છે, જ્યારે આપણે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી, હલકી ભૂમિકાના પાઠ ભજવનારા બની જઈએ. સ્યાદ્વાદની વફાદારી જે માણસ જે પ્રમાણે પાતે આવે છે અને ઉપદેશ આપે છે, તે જ પ્રમાણે જો પોતે અંદરથી વર્તન કરે અથવા વર્તન કરવા માટે કાળજી રાખે અને આદશને પહેાંચવા માટે તનતોડ પ્રયત્ન કરે, તે જ તે સ્યાદ્વાદને વફાદાર છે એમ ગણાય. અન્યથા એ સ્યાદ્વાદને બેવફા ગણાય, સ્યાદ્વાદના ઘાતક ગણાય. અમાપ ઉપકારક સ્યાદ્વાદ મનુષ્યા બીજા પ્રાણીએથી શ્રેષ્ઠ ગણાય છે તેનું મુખ્ય કારણ તે ( મનુષ્યા ) સ્યાદ્વાદને જીવનમાં ઉતારી શકે છે, ઉતારવા માટે સ્વતંત્ર છે-તે છે. તે સ્યાદ્વાદને પેાતાના જીવનમાં ઉતારવા માટે શ્રી જિનેશ્વરદેવાએ ઉગ્ર સાધના કરી છે અને અંતે જીવનમાં તેનુ સાંગોપાંગ પાલન કર્યું છે. માટે જ શ્રી તીર્થંકર ભગવંતા શ્રેષ્ઠ પુરુષાત્તમ પુરુષ' ગણાય છે અને એમના ઉપદેશ મુજબ ત્યાર પછીના મહાપુરુષાએ આ ખાદને જીવનમાં જીવીને પચાવીને, શાસ્ત્રામાં લખીને, આજ સુધી પુષ્કળ પરિશ્રમ વેઠીને ટકાવી રાખ્યા છે. તે ભવિષ્યની પ્રજા એને જીવનમાં ઉતારી તેના લાભને ઉઠાવે તે માટે છે. સ્યાદ્વાદને જીવનમાં કેમ ઉતારવા એ માટેના ઉપદેશ જૈન શાસ્ત્રામાં ભરેલા છે, પણ તેને જીવનમાં ઉતારવાની વ્યવસ્થિત તાલીમની પણ જરૂર છે. ઠેર ઠેર આ તરવજ્ઞાનની તાલીમ મળે એવાં કેન્દ્રો ઊભા કરવા ોઇએ. અને આવા કાર્યોની અંદર સમગ્ર સમાજે એક થવું જોઈએ. જ્ઞાની ભગવતાએ સ્યાદ્વાદના પાલન ઉપર જેટલા ભાર મૂકથો છે, એટલી જ કાળજી તેના પાલન માટે બતાવતા આપણે થઈ જવું જોઈએ. સ્યાદ્વાદી એટલે જગતના તાજ વગરના રાજા, જગતના ત્રાતા. વિવેકી પુરુષાની પરિષદમાં એની સત્તા સાથી અધિક હોય. આ પરિસ્થિતિ આજ સુધી અખંડ રીતે ચાલી આવી છે. માત્ર વિવાદ કરીને સ્યાદ્વાદની સર્વોપરિતા સ્થાપન કરે એવા વિદ્વાના કરતાં, સ્યાદ્વાદને જીવનમાં કેમ ઉતારવા તેનુ' શિક્ષણ આપી શકે, જીવનની સાથે સ્યાદ્વાદને
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy