SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધિ-શુભનું પ્રદાતા પુણ્ય ૩૩ આ માંગણીમાં ગુરુજન પૂજાથી કૃતજ્ઞતા અને પરાર્થકરણથી પરોપકાર–ગુણ જ સૂચિત થાય છે. આ ગુણ્ણાની પ્રાપ્તિ, ભગવદ્-ભક્તિના પ્રભાવે થાય છે અને પ્રભુ પ્રાર્થના તેમાં પ્રાણ પૂરે છે. જન્મદાતા માતાપિતા આદિ લૌકિક ઉપકારી જતેનું આદરબહુમાન અને તેમની સેવા, આજ્ઞાપાલન આદિ કરવાથી શુભગુરુ-ચાગ એટલે કે, લેાકોત્તર ઉપકારી સદ્ગુરુ આદિને શુભ સમાગમ કરાવી આપે તેવી, તથા તવચન સેવના એટલે કે તેમના વચન (આદેશ) અનુસાર આચરણ કરી શકીએ તેવી સદ્દબુદ્ધિ અને પુણ્ય શક્તિ ઉત્પન્ન થાય છે. અન્નપુણ્ય જલપુણ્ય આદિ લૌકિક પોપકાર સ્વરૂપ પુણ્ય કાર્યાં કરવાથી, લેાકેાત્તર ઉપકાર કરી શકાય તેવી અદ્ભુત પુણ્યશશિનું સર્જન થાય છે. કૃતજ્ઞતા અને પરાપકારગુણુની પ્રાપ્તિ જ આ સંસારમાં અત્યંત દુર્લભ છે. તે ગુણા આવ્યા પછી, બીજા ગુણા તા–તેના પ્રભાવે સ્વયમેવ ક્રમશઃ પ્રગટતા જાય છે. પુણ્યથી પુણ્યની વૃદ્ધિ જેમ ધનથી ધન વધે છે, તેમ પુણ્યથી પુણ્ય વધે છે. પુણ્યથી પ્રાપ્ત થયેલા મન-વચન-કાયાની શક્તિના કે ધન-ધાન્યાદિ ખાદ્ય પદાર્થોને બીજાના હિતાર્થે ઉપચેાગ કરી, તેના આનંદ ( હર્ષ ) માણવાથી, પુણ્યના ભંડાર અખૂટ બને છે, જ્યારે પેાતાની સામગ્રીના પાતે જ આસક્તિ પૂર્ણાંક ભેગ કે ઉપભેાગ કરી તેમાં આનંદ માણે તા ભરેલા પુણ્યના ભંડાર પણ ખાલીખમ થઈ જાય છે. બીજાને આપવું એ પુણ્ય છે અને પાતે જ આસક્તિ પૂર્ણાંક ભાગવવુ એ પાપ છે, આપવાથી ઉદારતા-ગુણુ ખીલે છે. ભાગવવાથી આસક્તિ પાષાય છે. આસક્તિના પાપમાંથી છૂટવા ચેાગ્ય પુણ્ય સર્જવા માટે જ બીજાને આપવાનુ છે; નહિ ભાગાપભાગની વધુ સુંદર સામગ્રી મળે એવી કામનાથી ! કાઈ પણ વસ્તુનું દાન મને સારૂ મળે કે વધુ મળે એવી આશાથી નહિ, પણ મને જે કાંઇ મળ્યું છે, એ પરાપકારી અને કૃતજ્ઞતાનાં સ્વામી એવા દેવગુરુની કૃપાથી જ મળ્યું છે. માટે દેવગુરુની આજ્ઞા મુજબ જ પરાર્થે આપવું એ મારૂ' કતવ્ય છે, એવી ઉદાત્ત ભાવનાથી જ કરવુ. જોઇએ, પુણ્યથી મળેલી સામગ્રીના પુણ્ય માગે ઉપચેગ કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે. દાનાદિ પરોપકારમાં દાન લેનાર માહમૂદ જીવાની દૃષ્ટિ પુદ્ગલ તરફની હોઈ શકે છે, પણ દાતાની દૃષ્ટિ તા સામા જીવના ‘જીવ તત્ત્વ’ ઉપર જ હાવી જોઈએ. સામા જીવની પીડા પ્રતિકૂળતા કેમ દૂર થાય? કેમ એને શાતા અને શાંત્વન મળે, એવી અનુકપા કરુણા ભાવનાથી દાતાએ અન્નપુણ્ય વગેરે પુણ્યકાર્યો કરવા તૈયાર થવુ' જોઈએ. દાનમાં તેા દાતા પેતાની જાતને પરમ સદ્દભાગી માની, માત્ર પુણ્ય બુદ્ધિથી જ દાન આ ૪૩
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy