SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ મનુષ્યની શિબિકા કાચ જેવી ઝાંખી લાગે છે પણ દેવે પિતાની શિબિકા અલગ રાખતા નથી, કારણ કે તેમને તીર્થંકર પ્રભુનું અને તેમના માતા-પિતાનું બહુમાન કરવું છે. એમને મહિમા વધારે છે એટલે આ બધું કાર્ય કરે છે. નેમકુમારને માટે શિબિકા તૈયાર થઈ ગઈ છે દેવ-દેવીઓને તથા મનુષ્યને હર્ષનો પાર નથી. બીજા યાદ માટે પણ કૃષ્ણ વાસુદેવે શિબિકાઓ તૈયાર કરાવી છે. દ્વારકા નગરીમાં દેવતાઈ વાજા વાગી રહ્યા છે. માણસ અને દેવેનો પાર નથી. ચારે તરફ આનંદમય વાતાવરણ દેખાય છે. સમુદ્રવિજય મહારાજા અને કૃષ્ણવાસુદેવ અનેક દે, ઈદ્રો બધા નેમકુમારને દીક્ષા મહોત્સવ ઉજવી રહ્યા છે સૌના દિલમાં ભગવાનને દીક્ષા મહોત્સવ ઉજવવાને ઉમંગ છે. ભગવાનના દીક્ષા મહોત્સવમાં હાજર રહીને તેમની સેવાને જેટલું બને તેટલે લાભ ઉઠાવીએ ને આપણું આત્માને ઉજજવળ બનાવીએ. નેમકુમારના પિતાજી દીક્ષા મહેસવમાં જે જે ચીને લાવ્યા તે બધી ઈન્દ્રો પણ લાવ્યા ને તેમની વસ્તુઓમાં દેવેએ પિતાની વસ્તુઓ સમાવી દીધી, તેથી તેનું તેજ અનેક ગણું વધી ગયું. શિબિકા તૈયાર થઈ ગયા પછી નેમકુમાર સિંહાસન ઉપરથી ઉભા થયા ને જ્યાં શિબિકા હતી ત્યાં આવ્યા देव मणुस्स परिवुडो, सिविया रयणं तओ समांरठो। निक्खामिय बारगाओ, रेवयम्भि ठिो भयवं ॥ २२॥ ભવનપતિ, વાણવ્યંતર, તિષી અને વૈમાનિક એ ચારે ય જાતિના અનેક દેવે તથા અનેક મનુષ્યના પરિવારથી ઘેરાયેલા નેમકુમાર ઉત્તમ રથી જડેલી શિબિકામાં બેઠા. તીર્થંકર પ્રભુ આત્મશ્રેયની ઈચ્છાથી શિબિકાને ફરતી ત્રણ પ્રદક્ષિણા કરીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને શિબિકામાં મુકેલા સિંહાસન ઉપર તેઓ બેસી ગયા. ત્યાર પછી સમુદ્રવિજય રાજાએ શિબિકા ઉપાડનારા માણસને સ્નાનાદિ કરાવી સારા વસ્ત્રાભૂષણે પહેરાવીને તૈયાર કર્યા હતા તેમને ભગવાનની પાલખી ઉંચકવાને આદેશ આપ્યું. રાજાની આજ્ઞા થતાં પાલખી વહન કરનારા માણસોનું હૈયું પણ હર્ષથી નાચી ઉઠયું. અહ! આપણાં ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે તીર્થંકર પ્રભુની શિબિકા ઉંચકવાનું આપણને સદ્ભાગ્ય મળ્યું. સંસારને ભાર તે ઘણે ઉંચકર્યો. તેનાથી આપણું આત્માનું કલ્યાણ થયું નહિ પણ ભગવંતની શિબિકા ઉંચતા આપણા કર્મની કોડે ખપી જશે. આ પ્રમાણે હર્ષભેર માણસોએ શિબિકા ઉંચકી લીધી “ભગવાનની શિબિકાના દાંડાને ઝાલતા ઈ-દ્રો" – ત્યાર પછી શકેન્દ્ર મહારાજે શિબિકાના દક્ષિણ બાજુના દાંડાને ઝાલે, ઈશાનેન્દ્ર ઉત્તર તરફના દાંડાને ઝા, બલિન્કે ઉત્તર દિશા તરફના નીચેના દાંડાને ઝાલે, તે સિવાય બાકીના બધા ભવનપતિ વાણુવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવેએ પિતાપિતાની યેગ્યતા પ્રમાણે પાલખીના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy