SearchBrowseAboutContactDonate
Page Preview
Page 866
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ સુવાસ ૮૦થી દાંડાને પકડયા, અને બધાએ ભેગા થઈને અરિહંત પ્રભુની પાલખી ઉંચકી. ભગવાનની પાલખી ઉંચકતા ઈન્દ્રો, દે અને મનુષ્યોના દિલમાં હર્ષ સમાતું નથી. તેમના સાડા ત્રણ ક્રોડ મરાય ખીલી ઉઠયા, આ સમયે દેએ પોતાની શક્તિથી વિફર્વેલા આભરણે અને વસ્ત્રો પહેરીને ભગવાનની શિબિકા ઉપાડી હતી. તે વખતે દેવોએ કાનમાં પહેરેલા કુંડળ આમથી તેમ હાલતા હતા. તેમના મસ્તકે પહેરેલા મુગટના મણીઓ અને રને ઝગમગ થતા હતા. એક તે દેવે અને મનુષ્યથી બનેલી દિવ્ય શિબિકા અને તેમાં સાક્ષાત્ તેજોમર્તિ તીર્થકર ભગવંત બેઠા હોય અને દેવે તેમની શિબિક ઉપાડીને ચાલતા હોય તે સમયની શોભા કેટલી વધી જાય ! તે સમયને દેખાવ અલૌકિક હતું. તેમના તેજની સામે ચંદ્ર અને સૂર્યના તેજ પણ ઝાંખા પડી જાય. ભગવાનની દીક્ષાનો વરઘોડો ચઢયે ત્યારે આખી દ્વારકા નગરી હેલે ચઢી. શીવાની માતા તે પિતાના વ્હાલસોયા પુત્રને ધારી ધારીને જેવા લાગ્યા. દ્વારકા નગરીના રાજમાર્ગો ઉપરથી વરઘેડે પસાર થવા લાગ્યા. ભગવાનની આટલી મોટી શિબિકા અને બીજા એક હજાર પુરૂષની શિબિકાઓ સાથે દીક્ષાને ભવ્ય વરઘેડે આખી દ્વારકા નગરીમાં ફરીને ચાલતે ચાલતે રૈવતક પર્વત ઉપર આવ્યું. દીક્ષાના કામી નેમકુમાર વતક પર્વત ઉપર પધાર્યા, ત્યાર પછી શું બને છે. उज्जाण संपत्तो, ओइण्णो उत्तमाओ सीयाओ। साहस्सीह परिवुडो, अभिनिक्खमईउ चिताहि ॥ २३॥ કરવતક પર્વત ઉપર જઈને તેઓ પર્વતના સહસ્ત્રાગ્ર નામના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને નેમકુમાર એ સર્વોત્કૃષ્ટ પાલખીમાંથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને તેમણે પિતાના શરીર ઉપર પહેરેલા આભરણે પિતાની જાતે ઉતારવા લાગ્યા, ત્યારે તેમના માતાજી શીવાદેવી રાણીએ બધા આભૂષણો પિતાની સાડીના પાલવમાં ઝીલી લીધા. આમ એક પછી એક બધા આભૂષણે ઉતારી નાંખ્યા, અને એક હજાર પુરૂષની સાથે ચિત્રા નક્ષત્રમાં શ્રાવણ સુદ છટ્ઠના દિવસે નેમકુમારે દીક્ષા અંગીકાર કરી. હવે કેમકુમાર મટીને તેઓ તેમનાથ ભગવાન બની ગયા. તેમનાથ ભગવાનના પાંચે કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયેલ છે. ભગવાને ત્રણ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં કુમારપણામાં વ્યતીત કરીને પ્રવજ્ય ગ્રહણ કરી છે. ભગવાને દીક્ષા કેવી રીતે લીધી તે કહે છે. अह सो सुगंधगंधिए, तुरिय मिउय कुचिए । सयमेव लुचइ केसे, पंचमुट्टिहि समाहिए ॥ २४ ॥ પ્રવજ્ય લેતી વખતે ભગવાને શીધ્રપણે સુગંધમય, સુકોમળ અને વાંકડિયા વળેલા કેશને તરત જ પિતાના હાથે પંચમુષ્ટિ લેચ કર્યો અને સમાધિપૂર્વક સાધુપણું અંગીર શા. સુ. ૫૧
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy