SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શિશુવયને વટાવી બાલ્યવયને પ્રાંગણમાં પગ મૂકતા શારદાબહેનને તેમના પરમ ઉપકારી માતા પિતાએ સાણંદની ગુજરાતી શાળામાં અભ્યાસ અર્થે મોકલ્યા. જીવનમાં સુસંસ્કાર અને સદ્ગુણરૂપી નેગેટીવ અને પોઝેટીવ વાયરના તારે જ્યાં કામ કરી રહ્યા હોય ત્યાં જીવનમાં ઝળહળતા પ્રકાશની રેશની પ્રગટે તેમાં શું આશ્ચર્ય ! તેમ આપણા શારદાબહેનને એક તરફ સુસંસ્કારી આદર્શ માતા પિતાના સંસ્કારનું સિંચન મળ્યું અને બીજી તરફ તેમને પૂર્વના સંસ્કારના કિરણે પુરૂષાર્થ દ્વારા પ્રકાશ પામતા ગયા. તે અનુસાર સ્કુલમાં છે ગુજરાતી સુધીનો અભ્યાસ કર્યો અને સાથે સાથે જૈનશાળામાં જઈ ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા. શારદાબહેન બાલપણમાં સ્કૂલમાં જાય છે છતાં વિરકત ભાવમાં રહે છે. તેમની બાલ સખીઓ શાળામાં રમતી હોય, ગરબા ગાતી હોય છતાં આ બાળા કયાંય રસ લેતી નથી. તેનું મન કયાંય ચુંટતું નથી. જૈનશાળામાં આ બાળા ધાર્મિક અભ્યાસ માટે જાય છે. મહાન વીર પુરૂની, સતીઓની કથાઓ સાંભળી તેનું મન કેઈ અગમ્ય પ્રદેશમાં વિચારવા લાગે છે. ચંદનબાળા, નેમ રાજુલ, મલ્લીકુંવરી, મૃગાવતી, પદ્માવતી વિગેરે કથાઓ સાંભળી જૈનશાળામાં ભણતી બાળાઓને કહે કે સખી! ચાલો, આપણે દીક્ષા લઈએ. આ સંસારમાં કંઈ નથી. આવા મનેભાવ બાલ્યાવસ્થામાં કુમારી શારદાબહેનને આવે છે. તેમાં પિતાની બહેન વિમળાબહેનના પ્રસૂતિના પ્રસગે થયેલ મૃત્યુએ ચૌદ વર્ષની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચેટ અસર કરી. ખરેખર માનવીને જિંદગીને શે ભરે સો ? મૃત્યુ કઈ ક્ષણે આવશે તેની કોઈને ખબર છે? આજની ક્ષણ સુધારવી એમાં જ માનવજીવનની મહત્તા છે. આવા વિચારોથી આ બાળાનું મન દીક્ષા પ્રત્યે દઢ થતું હતું. માતાપિતાએ જાણ્યું કે બહેન શારદાનું મન સંસારભાવથી વિરક્ત બન્યું છે. તે સંસારના સ્વરૂપને લાવારસ સમાન માની આત્મકલ્યાણની કેલેજમાં દાખલ થવા માટે વિનય, નમ્રતાના કિંમતી અંલકારથી સજજ બનવા મહાન ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની આશા સેવી રહી છે. માતાપિતાનું વાત્સલ્યસયું હૈયું પિતાની લાડીલી વહાલસોયી દીકરીને ખાંડાની ધાર સમાન સંયમ માર્ગે પ્રયાણ કરવા આજ્ઞા આપી શકતું નથી. મહાન શાસન શિરોમણી રત્નચંદ્રજી ગુરૂદેવને સમાગમ” :- સવંત ૧૯૯૫માં ખંભાત સંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ, શાસન શિરોમણી, જિનશાસન નમણી, ચાસ્ત્રિ ચુડામણી આચાર્ય બા. બ્ર. પૂ. શ્રી રતનચંદ્રજી મહારાજ સાહેબનું ચાતુર્માસ સાણંદમાં થયું. પૂ. ગુરૂદેવના ઉપદેશથી શારદા બહેનને વૈરાગ્ય વધુ દઢ બન્યો. પૂ. ગુરૂદેવને ખબર પડી કે વાડીલાલભાઈ શ્રાવકનું કન્યારત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે તેથી તેમણે શારદા બહેનને લાવીને કસેટી કરી. બહેન ! સંયમ માર્ગ એ ખાંડાની ધાર છે એ માર્ગે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy