SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૪૫૯ પાપની આલોચના ન કરે તે વિરાધક થાય છે. તે વાણવ્યંતર આદિ દેવ થાય છે. દેવનું ઓછામાં ઓછું આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે. આ તારાચંદ્ર મુનિ કાળધર્મ પામીને અલ્પ આયુષ્યવાળા દેવ થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને પૂર્વે ઉંદર અને ઉંદરડીઓને કિલેલ કરતાં જોઈને મનમાં વિચાર કર્યો હતો ને કે સાધુપણ કરતા આવું જીવન કેવું સારું! એ પાપકર્મના યેગે એમને ઉંદર ચેનિમાં ઉત્પન્ન થવું પડ્યું. ભગવાનની વાણી સાંભળીને સભા છક થઈ ગઈ. ઉંદરે પણ પિતાના પૂર્વભવની કહાની સાંભળી. એને ખૂબ પશ્ચાતાપ થવા લાગે. એ પાપને પશ્ચાતાપ એના અંતરના ઓરડામાં પ્રકાશ પાથરી રહ્યો હતો. આંખમાંથી દડદડ આંસુ વહેતા હતાં. અશ્રુભીની આંખે ઉંદર એની ભાષામાં પ્રભુને વિનવણી કરવા લાગે. અહે હે કરૂણસિંધુ ભગવંત! સાધુપણામાં સંયમની વફાદારી સાચવી ન શકે. કુવિચારોના વાવાઝોડામાં જીવન લુપ્ત કરી બેઠે. પ્રભુ! હવે મારા ઉદ્ધાર માટે કઈ માર્ગ ખરે? ઉંદરના પ્રશ્નનો જવાબ આપતા ભગવતે કહ્યું. હે ભદ્ર! કર્મ બાંધતી વખતે જીવે વિચાર ન કર્યો. હવે એ કર્મને વિપાક જોગવવાને સમય આવ્યું છે પણ હજુ બાજી હાથમાં છે. સાવધાન બનીને સર્વ સાવધ વ્યાપારનો ત્યાગ એટલે કે અણુસણ કરીશ તે બાજી સુધરી જશે. ભગવાનની વાણી સાંભળીને ઉંદરે કહ્યું. ભગવંત! મને અણુસણ કરાવે, આજથી ખાવું-પીવું બધું બંધ કરીને મૌનપણે રહીને મારા આત્માને પરમાત્માના ધ્યાનમાં સ્થાપન કરીને શેષ જીવન સુધારીશ. ત્યાં ભગવાને ઉંદરને અણુ પણ કરાવ્યું. એટલે પિતાના પાપને પશ્ચાતાપ કરતે ઉંદર ભગવાનના સસરણમાંથી નીકળીને પિતાના સ્થાને ગયે. ઉંદરને ગયા ઘણા સમય થઈ ગયો હતો એટલે એની ઉંદરડીએ રાહ જોતી હતી કે હજુ કેમ ન આવ્યા? ઉંદર પણ પંચેન્દ્રિય છે એટલે એને પણ મનુષ્યની માફક બધી સંજ્ઞાઓ છે, તેથી ઉંદરડીઓને ચિંતા થવા લાગી. “ઉંદરના ભવમાં કરેલી સાધના” દૂરથી ઉંદરને આવતે જોઈને ઉંદરડીએ કૂદવા લાગી ને તેના સામી જઈ પ્રેમને ધેધ વહાવવા લાગી, પણ ઉંદર તે હવે મસ્ત યોગી જેવો બની ગયો હતો, એટલે આત્મધ્યાનમાં લીન બનીને એક ખૂણામાં મૌન લઈને નીચું જોઈને બેસી ગયો. હવે એ સ્નેહના બંધનમાં ફસાવા ચાહતે ન હતું. એના હૈયાના હેજમાં વૈરાગ્યના કુવારે ઉછળી રહ્યા હતા. ઉંદરડીએએ ઉંદરને મનાવવા ઘણી મહેનત કરી પણ સફળ ન થઈ છેવટે ઉંદર સમાધિમાવમાં મૃત્યુ પામીને મિથિલા નગરીના મિથિલા રાજાની મિત્રારાણીની કુક્ષીમાં રાજકુમારપણે ઉત્પન્ન થશે. ત્યાં તેનું નામ ચિત્રકુમાર પડશે. ત્યાં મુનિના વચન સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન થતાં પિતાના પૂર્વભવે દેખાશે અને વિચારશે કે અડે! હું સાધુના ભવમાં કુવાસનાએ ચઢીને ક્યાં પટકાઈ ગયે ! મારે ઉંદર થવું પડયું ! ત્યાં ભગવાન મને મળ્યા ને સાચે માર્ગ બતાવ્યું. તેના પ્રતાપે મરીને
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy