SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ કકર શારદા સુવાસ - દેવાનુ પ્રિય! તમે સાંભળી ગયા ને કે મહાન પુરૂષે કેટલા નિર્ભય છે! અને પરિગ્રહ મનુષ્યને કેટલે ભયભીત બનાવે છે ! તમારે ભયભીત બનવું છે કે ભયથી મુક્ત બનવું છે ? તમારે સર્વ પ્રકારના ભયથી મુક્ત બની નિર્ભયતા, સુખ અને આનંદ જેતે હોય તે પરિગ્રહની આસકિત છેડે. પિતાનું ધન બીજા ને આપીને તેમને શાંતિ પમાડે. દુઃખીને આશ્વાસન આપે. જે દુખીને દુઃખમાં આશ્વાસન આપી શકે છે, તે વ્યક્તિ એના અંતરના આશીર્વાદ જરૂર મેળવી શકે છે. પરિગ્રહની મૂછી ઉતરે તે જ મનુષ્ય કેઈને આશ્વાસન આપી શકે છે, અને આશીર્વાદ લઈ શકે છે. ખીના દિલની દુઆ કેવું કામ કરે છે ! તે વાત ખાસ જાણવા જેવી છે. હું એક અષ્ટાંત આપીને તમને સમજાવું. એક કોડાધિપતિ શેઠને એક દીકરો હતે. તે ખૂબ રૂપવંત ને ગુણવંત હતે. એક વખત શેઠને ત્યાં કેઈ જોતિષી આવ્યા, એટલે શેઠે પૂછ્યું–મારા દીકરાનું ભાવિ કેવું છે? તિષીએ કહ્યું-શેઠજી ! તમારો દીકરો દાનમાં, પુણ્યમાં, ગુણમાં, બુદ્ધિમાં બધી રીતે તમારા કરતાં સવાયે થશે. આટલું કહીને જતિષી અટકી ગયા. શેઠે કહ્યું કેમ અટકી ગયા ? ત્યારે જોતિષીએ કહ્યું-શેઠ ! તમારા દીકરાને પરણ્યાની પ્રથથ રાત્રે જ ભયંકર ઘાત છે. જીવતે રહેવું મુશ્કેલ છે. આ સાંભળીને શેઠના દિલમાં ગભરાટ થવા લાગ્યું. સમય જતાં છેક વીસ વર્ષનો થયો. શેઠ ખૂબ દાનેશ્વરી હેવાથી તેમની ખ્યાતિ ઘણી હતી. તેથી દૂર દૂરથી શેઠના દીકરા માટે કહેણ આવવા લાગ્યા. રૂપ, ગુણ અને ધન, જયાં આ ત્રણને ત્રિવેણું સંગમ થાય ત્યાં શું બાકી રહે? સારા સારા ઘરની છોકરીઓના કહેણ આવે છે પણ શેઠ વિચાર કરવા લાગ્યા કે મારે શું કરવું ? જે તિષીની વાત સાચી હોય તે સામાની દીકરીનું શું ? અને બેટી હોય તે મારા દીકરા માટે શું ? બહાર પડયા પછી દીકરે કુંવારા રહી જાય. છેલે શેઠે વિચાર્યું કે ધમષ્ઠ છોકરી લઉં. ધર્મના પ્રતાપે સારું થાય અને કદાચ પાપને ઉદય હેય ને દુઃખ આવે તે દુઃખમાં હિંમત રાખશે. આમ વિચારી શેઠ કન્યા જેવા જાય છે. જ્યાં જાય ત્યાં ધર્મના અનેક પ્રશ્નો પૂછે. ધર્મ કોને કહેવાય ? ધર્મથી શું લાભ થાય ? કર્મોદયથી દુઃખ આવે ત્યારે શું કરવું ? દુઃખમાં અને સુખમાં કેવી રીતે રહેવું ? સામાઘક પ્રતિક્રમણ તમને આવડે છે ? વિગેરે પ્રશ્નો કરતાં. ઘણી કન્યાઓ જોઈ પણ મન ઠર્યું નહિ. છેવટમાં એક ધમીષ્ઠ ઘર મળી ગયું. છોકરી રૂપરૂપને અંબાર, ખૂબ સંસ્કારી અને ધર્મની જાણકાર. કન્યા જોતાં શેઠનું મન ઠરી ગયું, હવે વધે નહિ આવે, તેમ વિચારી સગપણ કર્યું કે લગ્ન લીધા. પુત્ર પરણ્યાની પહેલી રાત્રિએ ચિંતા કરતા મા-બાપ” – પિતાના બંગલાની સામે જ શેઠે બીજો નવે બંગલે બંધાવ્યો. બંગલે તૈયાર થઈ ગયો એટલે શેઠે બડી ધામધૂમથી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy