SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ શાણા સુવાસ પિતાના લાડીલા દીકરાને પરણ. વર-કન્યા પરણીને ઘેર આવ્યા. માતા પિતાના મનમાં 'ચિંતા છે કે જ્યોતિષીએ કહ્યું છે કે ભયંકર ઘાત છે તે શું થશે? જે તિષીએ કહ્યું હતું તેને શેઠે ફરીને બોલાવ્યું, ને પૂછ્યું–મહારાજ ! શું થશે? જોષીએ તે કહ્યું મેં જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. આપના દીકરાને જરૂર ભયંકર ઘાત આવવાની છે. એમાં બે મત નથી. શેઠે કહ્યું - આજે મારે દીકરો પરણીને આવે છે. તમે આજે અહીરેકાઈ જાવ. જ્યોતિષીને પિતાને ઘેર રાખ્યો. નવા બંગલામાં શેઠે કોઈ જીવ જતુ ન પ્રવેશી જાય તે માટે પૂરી સાવધાનીથી બંગલે બંધાવ્યું છે. રાત પડી એટલે પુત્ર અને પુત્રવધૂને નવા બંગલામાં મોકલ્યા. બંગલે ખૂબ શણગાર્યો હતે. પતિ-પત્ની પરણ્યાની પ્રથમ રાત્રે આનંદથી વાત કરીને આનંદ માણી રહ્યા છે, પણ એમને બિચારાને ખબર નથી કે અમારી સુહાગરાત વેરણ બની જશે ને કેવું દુઃખ આવી પડશે ! એ તે બંને જણાં આનંદ કિલ્લોલ કરીને સૂઈ ગયા. કરૂણ વિલાપ સાંભળી વહારે ગયેલી પુત્રવધુ – બરાબર મધરાત્રીને સમય થયે ત્યારે એ બંગલાની નીચે કઈ સ્ત્રી અને પુરૂષ કરૂણુ સ્વરે રૂદન કરતા હતા. આ સાંભળીને શેઠની પુત્રવધૂ જાગી ગઈ. એણે બારીએથી નજર કરી તે એક યુગલ પિતાના બંગલાની છત નીચે બેઠું છે. તેમાં સ્ત્રી બેહાલ દશામાં પડી છે. એને પતિ એને આશ્વાસન આપે છે. આ કન્યા ખૂબ હોંશિયાર ને દયાળુ હતી. એને પતિ ભરનિંદમાં સૂવે છે એટલે જગાડે નહિ ને પિતે એકલી જ નીચે આવી. એણે એ વિચાર ન કર્યો કે હું પરણીને સાસરે આવી છું, અજાણ્યું ઘર છે અને મધરાત્રે આવા માણસે રડે છે તે એ કેવા હશે? એ કંઈ જ વિચાર ન કર્યો. હવે તમે બરાબર સાંભળજો. આ કન્યા દરેક મહિનાની તેરસ, ચૌદશ ને પાખીના અડ્રમ કરતી હતી. એના લગ્નને દિવસ પુનમને હતે, એટલે એને ત્રીજે ઉપવાસ હતે. ધર્મની શ્રદ્ધા કેટલી દઢ કહેવાય કે લગ્નને દિવસ આ તે પણ પિતાને તપ છે નહિ. પરણ્યાની પ્રથમ રાત્રી હતી પણ અઠ્ઠમ તપ હિતે એટલે એનું બ્રહ્મચર્ય પણ અખંડિત હતું. આ કન્યા નીચે ગઈ. જઈને જોયું તે બાઈને પ્રસૂતિ થઈ ગઈ છે એટલે એને પતિ ગભરાઈ ગયા છે કે હું આને શું કરું? રહેવા ઘર નથી, ખાવા અન્ન નથી ને પહેચ્છા બીજુ કઈ વસ્ત્ર નથી. આવી સ્થિતિમાં આ પત્ની અને બાળકને લઈને હું ક્યાં જાઉં?. તેથી તે રડતે હતો. સ્ત્રી કેચલું વળીને પડી છે. આ કન્યા તરત ઘરમાં આવી અને પાણી નીચે લઈ ગઈ સ્ત્રીની અશુચી સાફ કરીને પિતાના લગ્નના કરિયાવરમાં જે કપડા લાવી છે તેમાંથી સારા કપડા લાવીને પહેરાવ્યા. પિતાનું મા-માટલું લાવી છે તેમાંથી મીઠાઈ લઈને બાઈને ખાવા માટે આપી, અને પિતાની પાસે જે પૈસા હતા તે પણ આપી દીધા. આણાની રેશમી રજાઈમાં બાઈને સૂવાડી દીધી, તેથી બંને માણસને ખૂબ શાંતિ વળી, શા, સુ. ૨૮
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy