SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ !પણું કેઈ કાંઈ બોલી શકયું નહિ, પણ ગદાધારી ભીમથી આ કાળો કેર સહન ન થયે. છે કે રિએ તે ગદા લઈને-ઉઠવા તૈયાર થયે પણ ધર્મરાજાએ ઈશારે કરીને ઉઠવાની ના પાડી. - ભાઈ! હું હારી ગયો છું એટલે આપણે દ્રૌપદી ઉપર સત્તા નથી, માટે તું બેસી જા. આ પદી કાળે કલ્પાંત કરી રહી છે ત્યારે દુર્યોધન કહે છે હે દ્રૌપદી ! હવે તારે શું દુઃખ , છે એમ કહીને ડાબા પગ ઉપરથી ધોતીયું ખસેડીને જાંઘ ખુલ્લી કરીને કહ્યું. હે વહાલી દ્રૌપદી ! આ ઘૂંઘટ પટ દૂર કરી દે. હવે તારે કેઈની શરમ રાખવાની જરૂર નથી. શરમ છોડીને મારી જાંઘ ઉપર બેસ.. A , સુર્યોધને આવા શબ્દ કહ્યા એટલે બાણ જેવા શબ્દોથી દ્રૌપદીએ કહ્યું. હેનરાધમ! છે પાપી દુષ્ટ ! તને આવા શબ્દો બેલતાં શરમ નથી આવતી? હે કુરુવંશને કલંકિત કરના! તને ધિક્કાર છે. આવા કુવચને બેલતા તારી જીભ કેમ કપાઈ જતી નથી? પદના શબ્દો સાંભળીને દુર્યોધન ક્રોધથી સળગી ઉઠે ને કહ્યું હે દુઃશાસન ! તું શું - જઈ રહ્યો છે આ પાપણી, વ્યભિચારણ દ્રૌપદી એને સતી માને છે એટલે હું બોલાવું : અંતે પણ આવતી નથી ને તલવારની ધાર જેવા શબ્દો બોલે છે. એ એના મનમાં શું સમજે છે? હવે એ આપણી દાસી છે. એની સાડી ખેંચીને એને સભા વચ્ચે નગ્ન કરે. એટલે દુશાસન ચીર ખેંચવા તૈયાર થયે, ત્યારે દ્રૌપદીએ શાસન દેવેને પ્રાર્થના કરી કે હે પ્રભુ! આ દુષ્ટ નીચ મારી લાજ લૂંટવા તૈયાર થયા છે. મારા પતિ હારી ગયા છે એટલે એ કંઈ કરી શક્તા નથી. હવે મારી લાજ તારે હાથ છે. મારી લાજ જશે એ તારી લાજ જાય છે. સતીને પિકાર સાંભળીને શીયળના રક્ષક દેવે દેડતા આવ્યા અને સતીના ૧૦૮ ચીર પૂર્યા. એકસો આઠ ચીર ખેંચતા દુઃશાસન થાકી ગયે એટલે એ ઝંખવાણે થઈને બેસી ગયે ને સતીની લાજ - રહી ગઈ આ સમયે આકાશમાંથી દેએ સતી દ્રૌપદીને જય જયકાર બેલા. જય છે' વિજય હે સતી દ્રૌપદીને. સતીને યજયકાર બેલા એટલે પાંડેના પગમાં જેમ આવ્યું, તેથી ભીમ સભા વચ્ચે ઉભે થયે ને ક્રોધાવેશમાં આવીને બે કે હું આજે આ પ્રતિજ્ઞા કરું છું કે ભરી સભામાં દ્રૌપદીને ચેટ પકડીને લાવનાર અને એના ચીર ખેંચનાર દુશાસનને હાથ કાપીને એના લેહીથી પૃથ્વીને લાલ બનાવીશ અને પાપી કે દુર્યોધને દ્રૌપદીને જાંઘ બતાવી છે, એની જાંઘના મારી ગદાથી ચૂરેચૂરા કરી નાંખીશ, જે આ કાર્ય હું ન કરું તે હું પાંડુપુત્ર ભીમ નહિ. જે હું આ વૈરને બદલે ન લઉ તે સારું ક્ષત્રિયપણું છોડી દઈશ. : , બંધુઓ. આ વાત તે ઘણી લાંબી છે. ટૂંકમાં આપણે તે એ સમજવું છે કે જુગારે કેટલે વિનાશ સજર્યો !. પાંડને ભિખારી બનાવ્યા ને બાર વર્ષ વનવાસ મોકલ્યા, ને તેરમું વર્ષ ગુપ્ત રહેવાનું. વનવગડાના. બાર વર્ષે મહાન કષ્ટમાં પસાર કર્યા અને તેરમે વર્ષે વિરાટ રાજાના રાજ્યમાં યુધિષ્ઠિર રાજપુરોહિત બન્યા, અર્જુન નપુંસક બની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy