SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૩૧ નુકશાન થાય છે ! તમે અત્યારે પણ નજરે જોતા હશે કે જુગાર રમનારા એક પૈસાથી માંડીને જુગાર રમતાં કેટલુ' ધન હારી જાય છે ! અને પરિણામે તેમની કેવી કફોડી સ્થિતિ થાય છે! નળરાજાના ભાઈ કુબેરે નળરાજાને પણ જુગાર રમાડ્યા તા તે નળરાજા જુગારમાં બધું હારી ગયા તે તેમને પહેયે કપડે જંગલમાં જવુ' પડયું. આવી જ વાત પવિત્ર પાંડવાના જીવનમાં ખની હતી તે શું તમે નથી જાણતા ? જુગારે પાંડવાને મહેલમાંથી જંગલમાં મૂકી દીધા. તમને એમ થશે કે પાંડવા જેવા પવિત્ર પુરૂષષ જુગાર રચા ત્યારે અમારા જેવા રમે એમાં શુ નવાઈ ! બહુઆ ! તમે એવા વાદ ન લેશે. પાંડવા તા પવિત્ર પુરૂષ હતા. પાંડવાને જુગાર શું કહેવાય તેની પણ ખખર ન હતી, પણ જ્યારે અર્જુનના પુત્ર અભિમન્યુના જન્મ મહેાત્સવ ઉજવાયા ત્યારે કૌરવાને જન્મમહાસમાં ભાગ લેવા માટે પાંડવેાએ હસ્તિનાપુર તેડાવ્યા હતા. તે સમયે પાંડવાની જાહેાજલાલી, સત્કાર-સન્માન બધુ જોઈને દુર્યોધન ઈર્ષ્યાથી ખળવા લાગ્યે. પાછું અન્યું એવુ કે એ પ્રસંગે દિન્ય સભામાં જતાં ભી'તને ખાણું માનીને અંદર જવા ગયા ત્યારે ભીંત સાથે માથું અથડાવાથી દ્રૌપદ્મીના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે અધાના જાયા તે। અંધા જ હોય ને ! દ્રૌપદીના આ શબ્દો દુર્યોધનને હાડોહાડ લાગી ગયા, અને વગર અગ્નિએ જલવા લાગ્યા. દુર્ગંધને ત્યારથી એ નિશ્ચય કર્યો કે મારે કોઈ પણ રીતે પાંડવાના વિનાશ કરવા. દુāધને પાંડવાના નાશ કરવાના કરેલા નિશ્ચય :- હરિતનાપુરથી પેાતાની રાજધાની ઇન્દ્રપ્રસ્થ જતાં રસ્તામાં દુર્ગંધને એના સાથીદારોને કહ્યું-આવા અપમાનિત થઈને જવા કરતાં મરી જવું શ્રેષ્ઠ છે. મારે આવવું નથી. હું તે આપઘાત કરીને મરી જઈશ, ત્યારે તેના મામા શકુનિએ કહ્યું' કે મે' જુગારવિદ્યાને સિદ્ધ કરી છે. હું' જુગારમાં ભલભલાને હરાવી શકું છું, માટે તું ચિંતા ન કરીશ. જુગાર સિવાય ખીજી કોઈ પણ રીતે આપણે પાંડવાને જીતી શકીએ તેમ નથી. કારણ કે તે પાંચે ભાઈ એ ખૂબ પરાક્રમી છે. માટે તું હમણાં ઈન્દ્રપ્રસ્થ ચાલ, પછી ત્યાં જઈને શું કરવું તે ચેાજના ઘડીએ, એટલે દુર્ગંધન પેાતાની રાજધાનીમાં માબ્યા, અને ખૂમ વિચારને અંતે તેમણે નક્કી કરીને એક સુંદર સભા બનાવી. તેમાં વિવિધ પ્રકારની સુંદર રચના કરી, અને એના પિતાજી ધૃતરાષ્ટ્રને કહ્યું કે પિતાજી ! મારે પાંડવાને સત્તા જોવાના બહાને અહી મેલાવીને જુગાર રમાડવા છે, ત્યારે ધૃતરાષ્ટ્રે દુર્યોધનને ખૂબ સમજાવ્યે ને કહ્યું કે બેટા ! આ જુગાર અન કારી છે. સાત વ્યસના માંહેનુ મેટું વ્યસન છે. જુગાર રમવાથી ભલભલા સજ્જન પુરૂષાનુ પતન થયું છે. માટે તુ આ વાત છેડી દે, ત્યારે દુર્યોધને કહ્યું–પિતાજી! તમે હા કહે! કે ના કહા પણ મારું ભરસભામાં અભિમાની પાંચાલીએ અપમાન કર્યુ છે. તેના મલે મારે આ રીતે લેવા છે. માટે હું તમારી વાત નહિં માનું. જ્યારે પેાતાનાથી દુર્ગંધન ન માન્યા ત્યારે એમણે વિદુરજીને ખેલાવીને દુર્ગંધનને સમજાવવા કહ્યુ.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy