SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ- સુવાસ કરે છે કે મને કંઈ સંતને વેગ મળી જાય તે કેવું સારું! વહેરાવીને કહા લઉં. કારણ કે ઉનું પાણી નથી તેથી એકાસણુના બદલે એક ટંક ખાઈને પચ્ચખાણ કરીશ, પણ આ વગડામાં ભેગ કયાંથી મળે ? ધર્મ ઉપર અજબ શ્રદ્ધા હતી એટલે ખાતા પહેલા નવકારમંત્રનું સ્મરણ કર્યું. પાંચ મિનિટ નવકારમંત્રનું સ્મરણ કરી લાડ ખાવાની તૈયારી કરે છે ત્યાં વીસ-પચ્ચીસ કૂતરા શેઠની આજુબાજુ ફરી વળ્યા. લાડવાનું બટકું લઈને મોઢામાં મૂકવા જાય છે ત્યાં કૂતરા તેના હાથમાંથી તરાપ મારીને લઈ લેવા જાય છે. શેડના મનમાં થયું કે આ કૂતરા ભૂખ્યા લાગે છે. એને બટકુ આપવા જાય છે પણ એ ખાતા નથી ને શેઠને ખાવા દેતા નથી. શેઠ તે કૂતરાને કાઢવા કેટલા વાના કરે છે પણ એકેય કૂતરું ત્યાંથી ખસતું નથી. શેઠ લાડે મેઢામાં મૂકવા જાય છે ત્યાં તરાપ મારે છે. કેઈ હિસાબે કૂતરા શેઠના મેઢામાં લાડવે જવા દેતા નથી. શેઠ વિચાર કરે છે કે હમણું તે એકે ય કૂતરું નહતું ને આટલા બધા ક્યાંથી આવ્યા? આ કૂતરા ખાતા નથી ને મનેય ખાવા દેતા નથી. ઠીક ત્યારે આજે હું ઉપવાસ કરી લઉં. જ્યાં ઉપવાસના પચ્ચખાણ કર્યા ત્યાં બધા કૂતરા અલેપ થઈ ગયા. શેઠ વિચાર કરે છે કે આ બધું શું? છેવટે લાડવા બાંધી શેઠ આગળ વધ્યા. રસ્તામાં રાત પડતા સૂઈ ગયા. પાછા ચાલ્યા, ત્યાં એક તળાવ આવ્યું એટલે શેઠે વિચાર કર્યો કે આજે આ તળાવની પાળે બેસીને એક ટંકનું ખાઈ લઉં. શેઠે જ્યાં લાડ હાથમાં લીધે ત્યાં કા કા કરતાં ઘણું કાગડા શેઠની આસપાસ આવીને બેસી ગયા. શેઠ લાડ મોઢામાં મૂકવા જાય ત્યાં કાગડા ચાંચ મારીને લાડે પડાવી નાખે છે. શેઠને થયું કે આ શું, હું જમવા બેસું છું ત્યાં આ કાગડા કયાંથી આવ્યા ? ભૂખ ખૂબ લાગી છે પણ ખાઈ શકતા નથી, તેમજ લાડ મૂકે છે તે કાગડા ખાતા નથી. શેઠે વિચાર કર્યો કે આજે પણ મારે ખાવું નથી. ઉપવાસ કરું. શેઠે છઠ્ઠના પચ્ચખાણ કર્યા, એટલે કાગડા બધા અદશ્ય થઈ ગયા. ત્યારે શેઠના મનમાં વિચાર થયો કે લાડવામાં કંઈક છે. છેવટે શેઠ રાત્રે જંગલમાં રોકાઈને સવારે કેઈ એક ગામના પાદરમાં આવ્યા. ત્યાં એક ધર્મશાળા જેઈ એટલે મનમાં વિચાર કર્યો કે આ ધર્મશાળાના એટલે બેસીને પારણું કરું. શેઠ બિચારા હાથ પગ ધે પાણી લાવીને એટલે છકૂનું પારણું કરવા બેસે છે ત્યાં પટાવાળે આવીને કહે છે તે ભિખાર ! અહીં શા માટે બેઠે છે? તે કહે-ભાઈ! ખાવા બેઠે છે, ત્યારે પટાવાળે રૂઆબ કરીને કહે છે ઉઠ, ઉભું થા અહીંથી આ તારે ખાવા બેસવાની જગ્યા નથી. એમ કરીને ઉઠાડ્યા. બીજે જઈને બેઠા તે ત્યાંથી પણ ઉઠાડ્યા. આમ ત્રણ ચાર જગ્યાએ ગયા પણ તેમને કોઈએ બેસવા ન દીધા, ત્યારે શે વિચાર કર્યો કે મને આજે પણ કેઈ લાડવા ખાવા દેતું નથી તે મારે હવે ખાવું. નથી. એમ કહીને અઠ્ઠમના પચ્ચખાણ કર્યા શા. સુ. ૧૪
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy