SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ २०७ ને તમે કાળી મજુરી કરી છે. પણ કાંઈ મળતુ નથી. જો તમે બહારગામ કમાવા જા તા આપણે એ પૈસે સુખી થઈએ, ત્યારે શેઠે કહ્યું-શેઠાણી ! આમ કેમ કહેા છે? હું. મહેનત મજુરી કરીને પેટ પૂરતું કમા` છું. શેઠાણી કહે છે પણ ખડારગામ જાવ તે આટલી મહેનત ન કરવી પડે. શેઠ કહે, ભલેને આપણે રાટલે નૈ દાળ ખાઈશું પણ ભેગા તા રહી શકીએ ને ! અત્યારે મારા પાપકર્મોના ઉત્ક્રય છે. પણ મને શ્રદ્ધા છે કે જરૂર મારા શુભ કર્મના ઉદય થશે ને જે મારા પૈસા દબાવીને બેઠા છે તે બધા મને સામેથી ખેલાવશે ને આપશે. ચેડા વખતમાં દુઃખના દિવસે ચાલ્યા જશે. માટે તમે શાંતિ રાખા, ત્યારે શેઠાણીએ કહ્યું, નાથ ! કિસ્મતની કોને ખબર છે! ઘણી વખત એવુ' અને છે કે માણસના ભાગ્ય બહારગામ ખીલે છે. શેઠે કહ્યું, બધી વાત ઠીક છે પણ તુ મને બહારગામ જવા માટે આટલે બધા આગ્રહ શા માટે કરે છે ? શેઠાણી કહે છે મારું મન કહે છે કે તમે બહારગામ જાવ તો સારું. શેઠાણીએ ખહારગામ જવા માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે શેઠના મનમાં થયુ` કે સૌ સૌના ભાવા જે હાય તે ભલે હાય પણુ જ્યારે એણે મને બહારગામ જ માકલવા છે તે જાઉ. : શેઠાણીએ કરેલુ કારસ્તાન -શેઠે બહારગામ જવાનું નક્કી કર્યું. શેઠાણી તે રાહ જ જોતી હતી “ કયારે ય આ ખોખું' ને ઘર થાય ચામું ” મનમાં તે ખૂબ રાજી થઈ પણ ઉપરથી પ્રેમ બતાવતી કહે છે, નાથ! તમને રસ્તામાં ખાવા ભાતું તા જોઈએ ને ? તે હું ચૂરમાના લાડુ બનાવી દઉં. શેઠ કહે ભલે. પત્ની બહારગામ જવા માટે આટલા મધે આગ્રહ કરે છે એટલે શેઠને વહેમ તે હતા પણ સમજી ગયા કે સંસાર અસાર છે. એમાં રાગ રાખવા જેવા નથી. મારે તા મારા આત્માનું કલ્યાણુ કેમ થાય તે જોવું છે. શેઠે દુઃખમાં પણ સુખ શોધ્યુ ને વિષમાં અમૃત શોધ્યું ને જવા તૈયાર થયા. શેઠાણીએ ભારે ઝેર નાંખીને ધીથી લચપચતા ચાર લાડવા બનાવ્યા. એણે વિચાર કર્યાં કે એક લાડવા ખાઈ ને નહિં મરે તે બીજે ને બીજો ખાધે નહિ મરે તે ત્રીજો ખાશે તે મરી જ જશે ને છેવટે ચેાથેા ખાશે પછી તે જીવતા રહેશે જ નહિ. બંધુઓ ! જુએ, આ સંસાર બહુ વહુ લે છે ને ? જે પત્નીને પેાતાની માની પતિ તેની પાછળ પેાતાનું સર્વસ્વ ખચી નાંખે છે તે પત્ની કેવા દગા કે છે? પરદેશી રાજા એમની સૂરિકતા રાણીની પાછળ પાગલ હતા પણ જ્યારે પરદેશીને કેશીસ્વામી જેવા જ્ઞાની ગુરૂ મળ્યા ને ધર્માંના માર્ગે વળ્યા ત્યારે સૂરિકતાને આ શેઠાણીની જેમ પરદેશી રાજા ડાંગરના ફૈતરા જેવા લાગ્યા. તે મનમાં વિચાર કરવા લાગી કે પતિ મને સંસારનુ સુખ આપતા નથી. મારામાં ને વિધવામાં શું ફેર છે! એને જીવતા રાખીને શું કામ છે એવા વિચાર કરીને ઝેર ફેવા ઉદ્દી. સંસાર કેવા છે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy