SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ २०१ શારડા સુથાર ત્યારે સુખી હતું ને હવે ધર્મ કરવા લાગે ત્યારે દુખી થઈ ગયે. માટે હવે ધર્મ નથી કરે. આવા જ પણ પડયા છે પણ આ શેઠ ખૂબ શ્રદ્ધાવાન છે. સમજી લે. આમાંથી કેઈને આ પ્રસંગ બની જાય તે એવો વિચાર ન કરશે કે ધર્મ કર્યો એટલે દુઃખ આવ્યું. ધર્મ કરનારને કદી દુઃખ આવતું નથી. દુખ તે પિતાના કર્મોથી આવે છે. કોઈ પણ ભવના કર્મો જીવને સતાવે છે. શેઠની શ્રદ્ધા તે દુઃખમાં પણ મજબૂત છે. ઉદારતા અને માનવતાની મહેંકથી શેઠનું જીવન પવિત્ર છે. કર્મરાજાએ એવી દશા કરી કે ખાવાના સાંસા પડ્યા. શેઠ મહેનત મજુરી કરવા લાગ્યા. હવે શેઠાણના રંગરાગ પૂરા કરવાની મુશ્કેલી પડે છે. શેઠાણું તે જ ઉઠીને કહે કે મારે આ જોઈએ, તે જોઈએ. શેઠ કહે હવે હું લાવી શકું તેમ નથી. જે છે તેમાં સંતોષ માને, ત્યારે શેઠની સામે ગમે તેવા શબ્દો કહેવા લાગી કે જે તમારે મને આવું દુઃખ આપવું હતું તે પરણ્યા શા માટે ? પહેલેથી ખબર નહોતી? કંઈક ખાનદાન સ્ત્રીઓ પતિના સંગ પ્રમાણે ઘર ચલાવે છે ને આબરૂ વધારે છે. શેઠના કર્મોદયે શેઠાણી બગડયા. હવે સમજે, સંસાર કે છે? સ્વાર્થ સરે ત્યાં સુધી સગપણ – સંસાર સુખની પ્યાસી શેઠાણી મનમાં વિચાર કરવા લાગી કે એક તે શેઠ ધમષ્ઠ બની ગયા છે એટલે મારી ઈચ્છાઓ પૂરી થતી નથી. બીજું પૈસાથી પણ ખલાસ થયા એટલે મારું બધું સુખ ચાલ્યું ગયું છે. તે આવા પતિની શી જરૂર છે? જેમ ડાંગરમાંથી ચેખા કાઢયા બાદ ફેતરા તે ફેકી દેવાના જ હેય ને? તેમ હવે જે પતિ સુખ ન આપે તે ફેતરા જે જ ગણાય ને? હું એને ત્યજી દઉં. આ વિચાર કરીને શેઠાણીએ ધીમે ધીમે શેઠ પ્રત્યેથી પ્રેમ એ છે કર્યો. એના દેહમાં ભેગની આગ ભડકે બળતી હતી એટલે તે બીજાના પ્રેમમાં પડી. આગળની સતી સ્ત્રીઓ જીવનમાંથી બધું જતું કરતી પણ પિતાનું ચારિત્ર તે જવા દેતી નહિ. ચારિત્ર માટે કાયા કુરબાન કરી દેતી, પણ આ તે ભેગની ભિખારણ હતી. એને ચારિત્રની પડી ન હતી. ધીમે ધીમે શેઠ પ્રત્યેને પ્રેમ તદ્દન ઓછો કરી નાખે. શેઠે એને પિતાની અર્ધાગના માની હતી. જેની પાછળ એક વખત તે પાગલ બન્યા હતા તે શેઠાણી શેઠના સામું પણ જેતી નથી. શેઠાણીનું વર્તન જોઈને શેઠને વહેમ પડે કે આ શેઠાણું આમ કેમ કરે છે? શેઠાણીએ શેઠને બહારગામ મોકલવાની કરેલી બનાવટ":- આ તરફ શેઠાણીને એને પતિ સંસાર સુખમાં આડખીલરૂપ લાગે. એ હશે ત્યાં સુધી મારું સુખ હું નહિ ભોગવી શકું. આથી તેણે વિચાર કર્યો કે શેઠને બહારગામ મકલી દઉં. એટલે ધીમે રહીને કહે છે, નાથ ! આપણા પાપકર્મોને ઉદય છે એટલે બધી સંપત્તિ ચાલી ગઈ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy