SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શારદી સુવાસ કૂદતા કૂદતા કહે કે જે આ એક દેશને જી, બીજી ઢગલીને કૂદીને કહે કે આ બીજે દેશ જીત્યા, આ ત્રીજો દેશ છયે. બંધુઓ ! રાજકુમારની રમત પણ રાજ જીતવાની હેય. બજા કરાએ રમે તે આ મારું ઘર ને આ તારું ઘર એવી રમત રમે પણ આ તે રાજ્યનું બીજ છે એટલે દેશ જીતવાની રમત રમે છે. અપરાજિતકુમાર એમના માતાપિતાને એકને એક પુત્ર હતું અને વિમલબેધ પ્રધાનને એક જ પુત્ર હતો એટલે એમના માતાપિતાએ તેમને એકલા બહાર રમવા કે કે ફરવા જવા દેતાં ન હતા. એમની સાથે એકી પહેરે છે. આ બંને કુમારે ભેગા થાય ત્યારે વાત કરતા કે આપણું તે કંઈ જીવન છે ! આપણું માતાપિતા આપણને ક્યાંય એકલા ફરવા જવા દેતા નથી. જ્યાં જઈએ ત્યાં પહેરેગીર સાથે જ હોય, ત્યારે પ્રધાનપુત્ર કહે કે આપણે નાના છીએ એટલે એકલા કયાંય જવા દેતા નથી. આ બંને કુમારને રાત્રે સ્વપ્ના આવવા લાગ્યા કે આપણે બંને ઘેડે બેસીને ફરવા ગયા, એક, બે, ત્રણ કરતાં ઘણું ગામ ફર્યા. બંને ભેગા થાય એટલે એકબીજા રવપ્નની વાત કરતાં કે મને આ સ્વપ્ન આવ્યું ને બીજે કહે, મને આવું સ્વપ્ન આવ્યું. પણ સવાર પડે કંઈ ન હોય એટલે નિરાશ થઈ જતા પણ એક દિવસ એ આવ્યું કે એમનું સ્વપ્ન સાકાર બની ગયું. સેદાગરનું સિંહપુરમાં આગમન”:-આ બંને કુમારે મોટા થયા ત્યારે એક સોદાગર પાણીદાર ઘોડા લઈને સિંહપુરમાં વેચવા માટે આવે. હરિનંદી રાજાને પણ ડાને ખૂબ શેખ હવે, સેદાગર ઘેડા લઈને રાજા પાસે આવ્યું. એટલે રાજાએ બે પાણીદાર ઘેડા પસંદ કર્યા. કુમારને પણ એ ઘેડા બહુ પસંદ પડયા એટલે સોદાગરને મેં માંગ્યા મૂલ્ય આપીને ખરીદ કર્યા. હવે આ બંને કુમારને ઘેડા ઉપર બેસીને ફરવા જવાનું મન થયું. એટલે કહે છે “પિતાજી ! આ નવા ઘેડા આવ્યા છે તેના ઉપર બેસીને અમે ફરવા જઈએ!” રાજાએ કહ્યું ભલે, ખુશીથી જાઓ પણ ઘણે દૂર ન જતા જલ્દી પાછા આવજે. કહે-ભલે પિતાજી! અમે જલદી પાછા આવીશું. એમ કહીને રાજકુમાર અને પ્રધાનકુમાર બંને એક ઘેડા ઉપર બેસીને ફરવા માટે નીકળ્યા. આ ઘેડે પવનવેગી હતું એટલે થેડી વારમાં તે કયાંય પહોંચી ગયે. ઘણે દૂર નીકળ્યા પછી ઘોડાને ઉભે રાખવા ઘણે પ્રયત્ન કર્યો, પણ કઈ રીતે ઉભું રહેતું નથી, જેમ લગામ ખેંચે તેમ વધુ ડે. છેવટે થાકીને લગામ ઢીલી મૂકી એટલે ઘેડે ઉભે રહ્યો. બંને કુમારો સ્વપ્નામાં ઘેડા દેડાવતાં હતાં તે સાચે જ આજે ઘડા દેડાવતાં ઘણે દૂર નીકળી ગયા. ઘણીવાર થઈ છતાં બંને કુમારો પાછા ન આવ્યા એટલે રાજાને અને પ્રધાનને ચિંતા થવા લાગી કે આ બંને કુમારે ક્યાં ગયા? હજુ કેમ ન આવ્યા? એમનું શું થયું હશે? આમ અનેક પ્રકારની શંકા કરવા લાગ્યા ને ચિંતાતુર બની ગયા. રાજાએ ચારે તરફ તપાસ કરવા માટે માણસે મોકલ્યા પણ ક્યાંય પત્ત પડયે નહિ.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy