SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાણ પિતાનું કાર્ય કરી રવાના થઈ ગયા. અંધારામાં ખબર નહિ પડવાથી અશસિંહ રાજાનું સૈન્ય સામાસામી લઠે છે. થડી વાર થતાં અંધકાર નષ્ટ થયે પ્રકાશ પથરાય ત્યારે સૌને ખબર પડી કે ચિત્રગતિ કે એનું સૈન્ય કેઈ નવી, પણ પિતાના જ સૈનિકે ચાસણ આપસમાં લી રહ્યા છે. રાજાએ બધાને લડતા બંધ કર્યા પદ્ધ તેને યાદ આસું કે હાથમાંથી ખડ઼ા કયાં ગયું? પિતાનું દેવી શસ્ત્ર ચાલ્યું જતાં રાજાને ખૂબ હખ થઈ નકી પેલે કરે લઈ ગયે લાગે છે. ત્યાં એને જોતિષીને વચન યાદ આવ્યા કે જે તમારા હાથમાંથી ખડ્ઝ લઈ જશે તે તમારે જમાઈ થશે. આથી એમલે આનંદ થી પણ હવે એને શેધવા કયાં જવું? ત્યાં યાદ આવ્યું કે પ્રતિષીએ કહ્યું હતું કે સિદ્ધારા ક્ષેત્રમાં દેવે તેના ઉપર પુષ્પની વૃષ્ટિ કરશે, પણ હવે સિદ્ધાયતન ક્ષેત્રમાં જવાનું અમારે બને.રાજા એ અવસરની રાહ જોતા સુખપૂર્વક મહેલમાં રહેવા લાગ્યા. બહેનના અપહરણથી ભાઈને આવેલા વૈરાગ્ય આ તરફ ચિત્રગતિ સુમિત્રની બહેનને લઈને ચક્રપુર નગરમાં આવ્યું ને સુમિત્રને તેની બહેન સેંપી દીધી એટલે સુમિત્ર બહેનને કલિંગદેશ એના સાસરે મોકલી દીધી. આ કાર્ય કરવા બદલ સુમિત્રે ચિત્રગતિના ખૂબ આભાર માન્યો અને થોડા દિવસ પિતાને ત્યાં રે. આમ તે સુમિત્રનું ચિત્ત કેવળી ભગવાન પાસે ભદ્રાનું જીવન સાંભળ્યા પછી વૈરાગી બની ગયું હતું. તેમાં પિતાની બહેનના હરણને પ્રસંગ બનતાં તેનું મન તદ્દને સંસાર ઉપરથી ઉઠી ગયું. એટલે તેણે ચિત્રગતિને કહ્યું? મિત્ર! આ સંસારની માયાજાળથી હું કંટાળી ગયે છું. મારે તે હવે દીક્ષા લેવી છે, ત્યારે ચિત્રગતિએ કહ્યું, ભાઈ ! તારી ઉંમર નાની છે માટે જે કર તે વિચારીને કર. આ સાંભળી સુમિત્રે કહ્યું, મિત્ર ! રાજ્ય માટે મારી અપરમાતાએ મને એર આપ્યું પણ હું તમારા પ્રભાવે તેમાંથી બચી ગયે, અને મારી માતા પાપ કરીને મરકે ગઈ. બહેનનું હરણ થયું. તેમાં મારા માટે તમારે યુદ્ધ કરવું પડ્યું. આવા પ્રપંચથી ઘરે સંસારમાં રહીને શું કામ છે? રાજય ચલાવવામાં કેટલા પાપ કરા પડે છે. મારે હવે એક ક્ષણ પણ સંસારમાં રહેવું નથી. સુમિને તીત્ર વૈરાગ્ય જેઈને ચિત્રગતિએ કહ્યું, તમને જેમ સુખ ઉપજે તે કરી ચિત્રગતિની રજા મળતાં તેની હાજરીમાં સુમિત્ર રાજાએ સુયશા કેવળી ભગવાન પણ ઢા લીધી. પછી ચિત્રગતિ મુનિને વંદન કરીને પિતાના નગરમાં ચાલ્યા ગયે. સુપિત્ર ખુલ દિક્ષા લઈને સુયશા કેવળી ભગવાનની સાથે ગ્રામનુગ્રામ વિચરવા લાગ્યા. ગુરની સાનિધ્યમાં રહીને તેમણે નવપૂર્વનું જ્ઞાન મેળવ્યું, પછી ગુરૂની પાસે આજ્ઞા માગી કે હે ભગવંત ! જે આપની આજ્ઞા હોય તે થેડે વખત એકાકી વિહાર કર્યું. ગુરુ તે કેવળી ભાત હતા. શિષ્યનું હિત જાની આજ્ઞા આપી.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy