SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ ૮] રાજકેટ–ચાતુર્માસ [૪૧૩ બચીએ તે કોઈ દિવસ અમારી પણ આવી જ અવદશા થશે. કેઈ એમ પણ કહેતા હતા કે, આવા ધર્માત્માને રાજા નિર્ણય કર્યા વિના જ દંડ આપે છે ! અને કઈ એમ કહેતું હતું કે, આમાં કાંઈ રાજાને દોષ નથી. મોટા મેટા પ્રતિષ્ઠિત લેકે પણ સુદર્શનને સમજાવવા ગયા પણ તે તે કાંઈ બોલ્યા જ નહિ. સુભટ આ પ્રમાણે નગરજનો સમક્ષ અવાજ કરતાં કરતાં સુદર્શનના ઘરની આગળ આવ્યા. એટલે કે શેઠાણી પાસે જઈ કહેવા લાગ્યા કે, હવે આ છેલ્લે અવસર છે માટે બહાર નીકળી પતિના દર્શન તે કરી લે ! પણ શેઠાણીએ કાંઈ ઉત્તર ન આપતાં, તે તો ધ્યાનમાં બેસી રહી. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.' વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૮ ગુરુવાર પ્રાર્થના જય જય જગત શિરોમણિ, હું સેવકને તૂ ધની; • અબ તૌમું ગાઢી બણી, પ્રભુ આશા પૂરે હમ તણી. મુજ હેર કરે, ચંદ્રપ્રભુ, જગજીવન અંતરજામી; ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. છે જય જય૦ ૧ -વિનયચંદ્રજી કુંભચેવશી. મા ચંદ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.. ભકતોએ પિતાના હૃધ્યમાં પેદા થતાં ભાવોને પ્રાર્થનાની કડિઓમાં વ્યક્ત કરેલ છે. તેમના હૃદયમાં કેટલાં બધાં ભાવ ભર્યો હશે એ તે કહી શકાય નહિ; પણ એ તે સ્પષ્ટ છે કે, જ્યારે હૃદયમાં બહુ ભાવ ભરાઈ જાય છે ત્યારે કેટલાક ભાવે સ્તુતિ રૂપે બહાર નીકળી આવે છે. જ્યારે એનમાં બહુ આગ હોય છે ત્યારે થોડી આગ તણખાના રૂપમાં બહાર નીકળી આવે છે. આ જ પ્રમાણે ભકતના હૃદયમાં જ્યારે બહુ ભાવ ભરાઈ જાય છે ત્યારે કેટલાક ભાવો પ્રાર્થનાના રૂપમાં બહાર આવે છે. કદાચ કોઈ કહે કે, અમારા હૃદયમાં પણ ભકતેના જેવા ભાવો હેય, પણ અમને ભાવોને વ્યક્ત કરવાની રીત આવડતી નથી; તે પછી અમે ભાવોને પ્રાર્થનાના રૂપે કેવી રીતે વ્યક્ત કરી શકીએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ભલે પ્રાર્થનાની કડીઓ જોડાય કે ન જોડાય પણ હૃદયમાં તે ભાવો એવા જ હોવા જોઈએ, અને વ્યક્તિસ્વાતંત્ર્યની દૃષ્ટિએ જે ભાવ ભકતએ પ્રગટ કર્યો છે તેથી અનંતગણું ભાવે પિતાના હૃદયમાં પેદા કરી શકાય છે. ભક્તો કહે છે કે, “હે ! પ્રભો ! હું તારા ગુણો કેવી રીતે ગાઉં ? તારા શરણે કેવી રીતે આવું? તું ત્રિભુવનને નાથ અને રાગદ્વેષ રહિત જિન છે. તારી સ્તુતિ કરવામાં ઇન્દ્ર પણ સમર્થ નથી તે પછી હું તુચ્છ તારી સ્તુતિ કેવી રીતે કરી શકું ? અને તારા શરણે કેવી રીતે આવી શકું? પણ તું વીતરાગ છે એ જાણીને તારા શરણે આવવાની અને તારી સ્તુતિ કરવાની મને હિંમત આવે છે. એટલા માટે મારામાં જે ભાવે છે એ ભાવેને હું મારી શક્તિ અનુ
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy