SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કેટલાક મકરા લેકે કહેવા લાગ્યા કે, શેઠ-શેઠાણીની ઠીક જોડી મળી છે. શું આ સમય ધર્મધ્યાન કરવાનું છે? કઈ એમ પણ કહેવા લાગ્યા કે, કોણ જાણે! આની પાછળ શું રહસ્ય રહેલું હશે ? પતિ ઉપર સંકટ આવે અને પતિનું અપમાન થતું હોય ત્યારે પત્નીને કેટલું બધું દુઃખ થાય! આમ હોવા છતાં શેઠાણું ધર્મધ્યાન કરવા બેઠી છે તે એની પાછળ કોઈ રહસ્ય રહેલું હોવું જોઈએ ! - આ જોઈ લેકે વિચારવા લાગ્યા કે હવે શું કરવું? આખરે બધા લેકે રાજા પાસે જવાના નિશ્ચય ઉપર આવ્યા અને રાજાની પાસે જઈ તેઓ કહેવા લાગ્યા કે, “આપને ઉચિત લાગે તેમ કરો. શેઠ કાંઈ બેલતા જ નથી અને શેઠાણી પણ તેના પતિનાં લક્ષણ જાણતા હોવાથી સુદર્શનને સમજાવવા આવતી નથી, તે પણ , વિતી નથી. તે પણ કાંઈ બેલતી નથી. બેલે પણ કયા મેઢે ? એટલા માટે આપને જેમ ઉચિત લાગે તેમ કરે.” લોકોનું આ કથન સાંભળી રાજાએ નિશ્ચય કર્યો કે, હવે બીજો કોઈ માર્ગ નથી માટે રાજધર્મના નિયમાનુસાર સુદર્શનને થળી ઉપર ચડાવી દે. આ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ સિપાઈઓને હુકમ કર્યો કે, સુદર્શનને શૂળી ઉપર ચડાવી દેવામાં આવે. હુકમ મળતાં જ શૂળી ઉપર ચડાવનાર સિપાઈઓ સુદર્શનની પાસે આવ્યા. સુભટ શેઠ પકડ જૂલિકા, પહનાયા શુંગાર; નગર ચોટે ઉભાં કર કે, બેલે હ લલકાર. ધન૧૦૧ છે યહ સુદર્શન શેઠ નગરકા, ધમી નામ ધરાય; પરતિરિયા કે પાપસે, યે લિ ચઢાયે જાય. એ ધન ૧૦૨ મા રાજાના હુકમના તાબેદાર સુભટો યમરાજના દૂતોની માફક સુદર્શનને પકડી, તેમનાં કપડાં ઊતારી ચૂળીએ ચડાવવાનાં કપડાં પહેરાવવા લાગ્યાં કે જેથી લેકે જાણી શકે કે, આ માણસને શૂળીએ ચડાવવામાં આવશે. શેઠનું પૌષધ વ્રત પૂરું થયું હશે કે નહિ તેની ચર્ચા અને કરવામાં આવતી નથી. અહીં તે કેવળ એટલું જ કહેવાનું છે કે, જ્યારે શૂળીએ ચડાવવાનાં કપડાં પહેરાવવામાં આવ્યાં ત્યારે એ સમયે કેટલે બધે ત્રાસજનક અને ભય પેદા કરનારે હતે ! તેમ છતાં પણ આવા સંકટના સમયે સુદર્શન તે મૌન અને શાન્ત બેસી રહ્યો. તેને જરાપણ ભય ન લાગે. ળીએ ચડાવવાનાં કપડાં પહેરાવી સુભટો સુદર્શનને પકડી નગરનાં ચૌટા ઉપર લાવ્યા અને હજારો લોકોની સામે સુભટો જોરથી કહેવા લાગ્યા કે, “આ સુદર્શન, નગરના શેઠ અને ધર્માત્મા કહેવાતા હતા પણ પરસ્ત્રીના પાપના કારણે આજે તેને શૂળીએ ચડાવવામાં આવે છે, અને આ પ્રમાણે જે કઈ પરસ્ત્રીસેવનનું પાપ કરશે તેની દશા આ સુદર્શન શેઠ જેવી કરવામાં આવશે.” તમે લેકે અભયા રાણીના પક્ષમાં છે કે સુદર્શન શેઠના પક્ષમાં છે ? જે સુદર્શન શેઠના પક્ષમાં છો, તે તમે સુદર્શનની માફક સ્ત્રીને માતા સમાન માનો. જો તમે “પરસ્ત્રીને માતા અને પરધનને ધૂળ” માને તે આ સંસારસાગરને પાર કરવાની તમને જાણે એક નૌક મળી છે એમ માનજે. સંસારમાં જે મોટાં મોટાં પાપ થાય છે તે પાપે પ્રાયઃ પસ્ત્રી અને પરધનને કારણે જ થાય છે. - સુદર્શનને શૂળી વિષે સુભટોની વાત સાંભળી પાપીઓનાં મન ઉપર પણ પરસ્ત્રીના સેવનથી બચવાને પ્રભાવ એ પડ્યો હશે કે, જે અમે પરસ્ત્રીના સેવનના પાપથી નહિ
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy